જરૂરી સેવાઓ માટે આધારકાર્ડ અનિવાર્ય નહી:સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર: સુપ્રીમ કોર્ટે સોમવારે પોતાના એક ચૂકાદામાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યા છે આ વાતનું ધ્યાન રાખવામાં આવે કે કોઇપણ ગેરકાયદેસર નાગરિકનું આધાર કાર્ડ ન બને. આ સાથે જ કોર્ટે નિર્દેશ આપ્યા છે કે જરૂરિયાત સેવાઓ જેમ કે એલપીજી કનેક્શન, ટેલિફોન વગેરે માટે આધારકાર્ડ અનિવાર્ય નહી.

સુપ્રિમ કોર્ટે આ નિર્દેશ એક જનહિત યાચિકાની સુનાવણી દરમિયાન કર્યો હતો. પહેલાં કેટલીક વસ્તુઓ માટે આધારાકાર્ડ હોવું જરૂરી હતું જેમાં જેમની પાસે આધારકાર્ડ ન હતું તેમને પરેશાની થતી હતી.

aadhar-card

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં કેન્દ્ર સરકારે પણ સ્પષ્ટપણે કહ્યું હતું કે સરકારી સબસિડીનો ફાયદો લેવા માટે આધારકાર્ડ અનિવાર્ય બનાવવામાં આવ્યું નથી. એલપીજી ગેસ, ટેલિફોન વગેરે માટે હવે આધારકાર્ડ હોવું જરૂરી નથી. સંસદીય કાર્ય રાજ્યમંત્રી રાજીવ શુક્લાએ રાજ્યસભામાં કહ્યું હતું કે સબસિડીવાળી કોઇપણ યોજના માટે આધારકાર્ડ અનિવાર્ય કરવામાં આવ્યું નથી. તેમને કહ્યું હતું કે જો કોઇ કેન્દ્રિય ઉદ્યમ આમ કરી રહ્યું છે તો તેમાં સુધારો કરવામાં આવશે.

જો કે પહેલાં સમાચાર હતા કે રાંઘણગેસ પર આપવામાં આવતી સબસિડી અધારકાર્ડ સાથે જોડાયેલા તમારા બેંક એકાઉન્ટમાં આવશે. સબસિડીની રકમ ત્યારે જ એકાઉન્ટમાં આવશે. જ્યારે તમે પોતાના આધારકાર્ડ બનાવીને પોતાના બેંક એકાઉન્ટમાં લિંક કરાવ્યા હશે. એ પણ વાત સામે આવી છે કે આધારકાર્ડ ન હોવાના કારણે બજાર ભાવે સિલિન્ડર ખરીદવા પડશે. સૌથી વધુ ભ્રમની સ્થિતી એલપીજીના મુદ્દે થઇ રહી હતી જે કોર્ટના ચૂકાદા બાદ દૂર થઇ જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X