પશ્ચિમ બંગાળ: બળાત્કાર પીડિતાને મળશે ઘર અને રોજગાર
કોલકાતા, 2 ફેબ્રુઆરી: પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં ગયા મહિને સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી આદીવાસી યુવતીનું પુનર્વસન માટે રાજ્ય સરકાર તેને પોલીસ અભિરક્ષા ઉપરાંત રોજગાર અને ઘર પણ આપશે. આ જાણકારી શનિવારે એક મંત્રીએ આપી.
હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પીડિતાને કેટલાંક સમય માટે એક અજ્ઞાત સ્થળે રાખવામાં આવી છે. વીરભૂમ જિલ્લાના સુબાલપુર ગામમાં 13 જેટલા લોકોએ જ્ઞાતિગત પંચાયતના કહેવા પર બળાત્કાર ગૂજાર્યો હતો. પીડિતાને બીજી કોમના યુવક સાથે પ્રેમસંબંધ બાંધવાની સજા કરવામાં આવી હતી.
પીડિતાની સાથે નિરંતર સંપર્ક બનાવી રાખનાર રાજ્યની મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શશિ પાંજાએ જણાવ્યું કે ઇન્દિરા આવાસ યોજના અંતર્ગત એક ઘર અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ હેઠળ રોજગાર આપવામાં આવશે.

તેમણે જણાવ્યું કે 'પીડિતાને સલાહ આપવાનું ચાલુ રહેશે અને તેને સુરક્ષા પણ આપવામાં આવશે. તેની માતા પણ તેની સાથે છે. અમે તેના ભવિષ્ય અંગે વિચારી રહ્યા છીએ, અને તેને આત્મનિર્ભર બનાવવાની કોશીશ કરી રહ્યા છીએ.'
અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે જાતે સજ્ઞાન લઇને રાજ્યના મુખ્ય સચિવને બે અઠવાડીયાની અંદર રીપોર્ટ જમા કરાવવાના નિર્દેશ આપ્યા છે.
-
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી











Click it and Unblock the Notifications
