ડોંડિયા ખેડા : શોભન સરકાર, ઓમ બાબા સામે કેસ નોંધાયો
નવી દિલ્હી, 24 ઓક્ટોબર : ઉત્તર પ્રદેશના ઉન્નાવના ડોંડિયા ખેડા ગામમાં સોનાનો ખજાનો હોવાનો દાવો કરનારા સંત શોભન સરકાર અને તેમના શિષ્ય ઓમ બાબાની મુશ્કેલીઓ હવે વધી રહી હોય તેમ લાગી રહ્યું છે. આ અંગે જેડીયુના મહાસચિવ જાવેદ રઝાએ પણ તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં સેનાનનું સપનું દેખાડનારા સંત શોભન સરકાર, તેમના શિષ્ય ઓમ બાબા અને કેન્દ્રીય મંત્રી ચરણદાસ મહંત સામે ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં ત્રણે સામે અંધવિશ્વાસ ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ પગલે દિલ્હી પોલીસ તેમના નિવેદનની તપાસ કરશે. આ ફરિયાદ બુધવાર, 23 ઓક્ટોબર, 2013ના રોજ નોંધાવવામાં આવી છે. તેમની સામે ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ઉન્નાવમાં કેન્દ્રીય મંત્રી ચરણદાસની ભલામણને પગલે જ સોના માટે ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. તેમની સામે સરકારી હોદ્દાના દુરુપયોગની ફરિયાદ કરવામાં આવી છે. જેડીયુના મહાસચિવ જાવેદ રઝાએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું છે કે ચરણદાસ મહંતે એક સાધુના સપનાને આધારે એએસઆઇને ડોંડિયા ખેડાના મહેલમાં ખોદકામ કરવા માટે પોતાની સરકારી તાકાતનો ઉપયોગ કર્યો હતો.
-
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી











Click it and Unblock the Notifications
