મોદી સરકારે યાદી જાહેર કરી, આ 75 જિલ્લા લૉકડાઉન કર્યા
મોદી સરકારે યાદી જાહેર કરી, આ 75 જિલ્લા લૉકડાઉન કર્યા
નવી દિલ્હીઃ કોરોનાવાઈરસના સંક્રમણના વધતા મામલા અને જનતા કર્ફ્યૂને મળેલી મોટી સફળતાને જોતા કેન્દ્રની મોદી સરકારે રાજ્યોને દેશના કુલ 75 જિલ્લાને સંપૂર્ણપણે લૉકડાઉન કરવાની સલાહ આપી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે રાજ્યોને એમ પણ કહ્યું કે તેઓ પોતાના આંકલન અને પરિસ્થિતિઓના હિસાબે લૉકડાઉન કરાતા જિલ્લાઓની સંખ્યા વધારી શકે છે. આ દરમિયાન જરૂરી સેવાઓ છોડીને બાકી બધી જ ચીજો બંધ રહેશે. આ વ્યવસ્થા હાલ 31 માર્ચ સુધી જ કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક રાજ્યોએ પહેલા જ પોતાની બધા જિલ્લામાં 31 માર્ચ સુધી આવા પ્રકારના લૉકડાઉનની ઘોષણા કરી હતી.

આ જિલ્લામાં લૉકડાઉન
- રાજસ્થાનઃ ભિલવાડા, ઝુનઝુનુ, સિકર અને જયપુર
- તમિલનાડુઃ ચેન્નઈ, ઈરોડે અને કંચિપુરમ
- તેલંગાણાઃ ભદ્રાદ્રી કોઠાગુદમ, હૈદરાબાદ, મેડચઈ, રંગદા રેડ્ડી અને સાંગા રેડ્ડી
- ઉત્તર પ્રદેશઃ આગરા, જીબી નગર, ગાઝિયાબાદ, વારાણસી, લખિમપુર ખેરી અને લખનઉ
- ઉત્તરાખંડઃ દેહરાદુન
- પશ્ચિમ બંગાળઃ કોલકાતા અને નોર્થ 24 પરગના
- કર્ણાટકઃ બેંગ્લોર, ચિક્કાબલ્લાપુરા, મૈસુર, કોડગુ અને કાલબુર્ગી
- કોરળઃ અલપુઝા, એરનાકુલમ, ઈડુક્કી, કન્નુર, કેસરગોડ, કોટ્ટાયમ, મલ્લપુરમ, પથાનમિથિટ્ટા, થિરુવનંતપુરમ અને થ્રિસુર
- લદ્દાખઃ કારગિલ અને લેહ
- મધ્ય પ્રદેશઃ જબલપુર
- મહારાષ્ટ્રઃ અહમદનગર, ઔરંગાબાદ, મુંબઈ, નાગપુર, મુંબઈ સબ-ઉર્બ, પુણે, રતનાગિરી, રૈગાડ, થાણે, યાવતલામ
- ઓરિસ્સાઃ ખુરદા
- પોંડિચેરીઃ માહે
- પંજાબઃ હોશિયારપુર, SAS નગર અને SBS નગર
- આંધ્ર પ્રદેશઃ પ્રકાશમ, વિજયવાડા અને વાઈઝાગ
- ચંદીગઢઃ ચંદીગઢ
- છત્તીસગઢઃ રાયપુર
- દિલ્હીઃ સેન્ટ્રલ, ઈસ્ટ દિલ્હી, નોર્થ દિલ્હી, નોર્થ વેસ્ટ દિલ્હી, નોર્થ ઈસ્ટ દિલ્હી, સાઉથ દિલ્હી અને વેસ્ટ દિલ્હી.
- ગુજરાતઃ કચ્છ, રાજકોટ, ગાંધીનગર, સુરત, વડોદરા અને અમદાવાદ
- હરિયાણાઃ ફરિદાબાદ, સોનપત, પંચકુલા, પાણીપત, ગુરગામ
- હિમાચલ પ્રદેશઃ કાંગરા
- જમ્મુ અને કાશ્મીરઃ શ્રીનગર અને જમ્મુ.

કોરોનાને હરાવવા માટે મોટું પગલું
કેન્દ્ર સરકારે રાજ્યોને દેશના એવા તમામ જિલ્લાને સંપૂર્ણપણે બંધ રાખવાની સલાહ આપી છે જ્યાં કોરોનાથી સંક્રમિત દર્દીઓ મળી આવ્યા હોય અથવા પીડિત દર્દીનું મોત થયું હોય. આ બધા જ જિલ્લાઓમાં 31 માર્ચ સુધી લૉકડાઉન કરવામાં આવ્યું છે.

ભારતમાં કોરોનાના કેસ
આજે વિવિધ રાજ્યોમાંથી કુલ 60 લોકોના કોરોનાના ટેસ્ટ પોજિટિવ આવ્યા છે, આ નવા 60 કેસને ઉમેરતા ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 324 થઈ ગઈ છે અને ભારતમાં આ રોગને કારણે કુલ 7 લોકો મૃત્યુ પામ્યા છે. સુરતમાં સારવાર લઈ રહેલ દર્દી આજે મૃત્યુ પામ્યો.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
