સુશાંત સિંહ ડ્રગ્સ કેસમાં NCB એ ઉદ્યોગપતિ કુણાલ જાનીની ધરપકડ કરી!
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ બોલીવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસમાં વેપારી કુણાલ જાનીની ધરપકડ કરી છે. બિઝનેસમેન કુણાલ જાની પાસે હોટલ છે.
મુંબઈ, 30 સપ્ટેમ્બર : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ બોલીવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસમાં વેપારી કુણાલ જાનીની ધરપકડ કરી છે. બિઝનેસમેન કુણાલ જાની પાસે હોટલ છે. રિપોર્ટ અનુસાર, કુણાલ જાની સુશાંત સિંહ રાજપૂતનો ખાસ મિત્ર હતો અને સુશાંતના મૃત્યુ બાદથી તે ફરાર હતો.

ગયા મહિને એનડીપીએસ કોર્ટે ફરી એક વખત સુશાંત સિંહ રાજપૂતના ફ્લેટમેટ અને મિત્ર સિદ્ધાર્થ પીઠાણીની જામીન અરજી ફગાવી દીધી હતી. સિદ્ધાર્થ પીઠાણીના વકીલ તારક સૈયદે આ અંગે માહિતી આપી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ ખૂલાશો કર્યો કે કોર્ટે અરજી ફગાવી દીધી, કારણ કે તેને અરજીમાં કોઈ યોગ્યતા દેખાતી નથી.
સિદ્ધાર્થ પીઠાણી ઉપરાંત NCB એ સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાન્ડા, સાવંત સાવંત સહિત અન્ય સ્ટાફ સભ્યોની પણ ધરપકડ કરી હતી. સ્વર્ગીય અભિનેતા સુશાંતના ઘરના મદદગાર કેશવ અને નીરજની ગયા મહિને NCB દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી, તેઓએ ડ્રગ્સના કેસમાં સિદ્ધાર્થ પીઠાણીની ભૂમિકાનો સંકેત આપ્યો હતો.
તમને જણાવી દઈએ કે, 14 જૂન 2020 ના રોજ સવારે સુશાંત સિંહ રાજપૂત મુંબઈના બ્રાન્દ્રા સ્થિત તેમના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેનો રૂમ અંદરથી બંધ હતો. સુશાંતનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે BMC ની કૂપર્સ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. પોસ્ટ-મોર્ટમ રિપોર્ટ બાદ મુંબઈ પોલીસના આસિસ્ટન્ટ કમિશનર અભિષેક ત્રિમુખેએ કહ્યું હતું કે પોસ્ટ-મોર્ટમ રિપોર્ટ મુજબ સુશાંતનું મોત ફાંસીને કારણે ગૂંગળામણથી થયું હતું.
જો કે, બાદમાં સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી સહિત તેના સમગ્ર પરિવાર સામે આ મામલે ઘણા આક્ષેપો કરીને કેસ દાખલ કર્યો હતો. હાલ સુશાંતના મોતના કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે. સીબીઆઈએ હજુ સુધી અંતિમ અહેવાલ રજૂ કર્યો નથી.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
