ચીન મુદ્દે કોંગ્રેસ આક્રમક, પીએમ મોદીને સવાલો કરી મનની વાત કરવા કહ્યું
કોંગ્રેસ નેતા જયરામ રમેશ ચીન મુદ્દે આક્રમક જોવા મળ્યા હતા. અહીં તેઓએ કેટલાક સવાલો કરીને પીએમ મોદીને મનની વાત કરવા કહ્યું હતું.
નવી દિલ્હી : તવાંગમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ સતત રાજનીતિ ગરમાઈ રહી છે. ઘટના સામે આવ્યા બાદ તમામ વિપક્ષી પાર્ટીઓ પીએમ મોદી અને કેન્દ્ર સરકારને સવાલો કરી રહી છે. હવે કોંગ્રેસે પણ આક્રમક અંદાજમાં પીએમ મોદી પર નિશાન સાધ્યુ છે.
ચીન મુદ્દે સંસદમાં ચર્ચાની માંગ સાથે કોંગ્રેસે પીએમ મોદી પર નિશાન સાધ્યુ અને કહ્યું કે આ મુદ્દે પીએમ સંસદમાં કેમ ચર્ચા થવા દેતા નથી અને દેશને વિશ્વાસમાં કેમ નથી લઈ રહ્યા? કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, આ મુદ્દા સાથે જોડાયેલા પ્રશ્નો પર તેમને મન કી બાત કરવી જોઈએ. આ વડાપ્રધાનની રાજકીય ફરજ અને નૈતિક જવાબદારી છે.
જયરામ રમેશનું નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે બીજેપી અરુણાચલ પ્રદેશમાં ચીની સૈનિકોની દાદાગીરીને વિશે ટિપ્પણીને લઈને રાહુલ ગાંધી પર સતત પ્રહારો કરી રહી છે. બીજેપીએ શનિવારે કહ્યું કે કોંગ્રેસે તરત જ રાહુલ ગાંધીને પાર્ટીમાંથી હાંકી કાઢવી જોઈએ.
અહીં જયરામ રમેશે કેટલાક સવાલો કર્યા અને કહ્યું કે, આ પ્રશ્નો પર મન કી બાત કરવી વડાપ્રધાનની રાજકીય ફરજ અને નૈતિક જવાબદારી છે. રાષ્ટ્ર જાણવા માંગે છે.
-
તમે
20
જૂન,
2020
ના
રોજ
કેમ
કહ્યું
કે
પૂર્વ
લદ્દાખમાં
ચીન
દ્વારા
કોઈ
ઘૂસણખોરી
થઈ
નથી?
-
તમે
ચીનને
આપણા
સૈનિકોને
મે
2020
પહેલા
જે
વિસ્તારમાં
નિયમિતપણે
પેટ્રોલિંગ
કરતા
હતા
ત્યાં
હજારો
કિલોમીટરમાં
જતા
રોકવાની
મંજૂરી
કેમ
આપી?
-
તમે
માઉન્ટેન
સ્ટ્રાઈક
કોર્પ્સ
બનાવવા
માટે
17
જુલાઈ,
2013ના
રોજ
કેબિનેટ
દ્વારા
મંજૂર
કરેલી
યોજનાને
કેમ
છોડી
દીધી?
તમે
ચીનની
કંપનીઓને
પીએમ
કેર્સ
ફંડમાં
ફાળો
આપવાની
મંજૂરી
કેમ
આપી?
-
તમે
શા
માટે
છેલ્લા
બે
વર્ષમાં
ચીનમાંથી
આયાતને
રેકોર્ડ
સ્તરે
વધવા
દીધી?
-
તમે
શા
માટે
આગ્રહ
કરી
રહ્યા
છો
કે
સરહદની
સ્થિતિ
અને
ચીન
દ્વારા
ઊભા
કરાયેલા
પડકારો
પર
સંસદમાં
ચર્ચા
ન
થાય?
-
તમે
ચીનના
ટોચના
નેતાને
18
વખત
મળ્યા
છો
અને
તાજેતરમાં
બાલીમાં
શી
જિનપિંગ
સાથે
હાથ
મિલાવ્યા.
ચીને
તાજેતરમાં
તવાંગ
સેક્ટરમાં
અતિક્રમણની
શરૂઆત
કરી
છે
અને
સરહદ
પરની
સ્થિતિને
એકતરફી
બદલી
રહ્યું
છે.
તમે
દેશને
વિશ્વાસમાં
કેમ
નથી
લઈ
રહ્યા?