બીજેપી સાંસદની જાહેરાત- રાજ ઠાકરે જ્યાં સુધી માફી નહી માંગે ત્યા સુધી અયોધ્યમાં ઘુસવા નહી દઇએ
ઉત્તર પ્રદેશના કૈસરગંજથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું છે કે અયોધ્યા આવતા પહેલા રાજ ઠાકરેએ ઉત્તર ભારતીયોની માફી માંગવી પડશે. બ્રિજભૂષણ શરણ સિંહે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ મુંબઈમાં
ઉત્તર પ્રદેશના કૈસરગંજથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું છે કે અયોધ્યા આવતા પહેલા રાજ ઠાકરેએ ઉત્તર ભારતીયોની માફી માંગવી પડશે. બ્રિજભૂષણ શરણ સિંહે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ મુંબઈમાં યુપી-બિહારના લોકો વિરુદ્ધ અગાઉ આપેલા નિવેદનો બદલ માફી માંગવાની માંગ કરી છે.

બ્રિજભૂષણ શરણ સિંહે ગુરુવારે કહ્યું, રાજ ઠાકરેએ ઉત્તર ભારતીયોની માફી માંગવી જોઈએ. જો તેઓ માફી નહીં માંગે અને અયોધ્યા આવશે તો હું તેમને શહેરમાં પ્રવેશવા નહીં દઉં. મેં યુપીના સીએમ યોગી આદિત્યનાથને પણ વિનંતી કરી છે કે જ્યાં સુધી તેઓ માફી ન માગે ત્યાં સુધી તેમને મળે નહી. આપણે 2008 થી જોઈ રહ્યા છીએ કે રાજ ઠાકરેએ 'મરાઠી માનુષ'નો મુદ્દો ઉઠાવીને ઉત્તર ભારતીયો વિરુદ્ધ વાતાવરણ બનાવવાનું કામ કર્યું હતું. મુંબઈના વિકાસમાં 80 ટકા ફાળો બહારના લોકોનો છે જેમને તેઓએ અન્યાય કર્યો છે. તેણે પોતાની ભૂલ સુધારવી જોઈએ અને આ તમામ લોકોની માફી માંગવી જોઈએ.
બીજેપી સાંસદે એમ પણ કહ્યું કે ઠાકરે પરિવારને રામ મંદિર આંદોલન સાથે કોઈ લેવાદેવા નથી. રાજ ઠાકરે 5 જૂને અયોધ્યામાં રામલલાના દર્શન કરવા જઈ રહ્યા છે. બ્રિજભૂષણ શરણ સિંહનું આ નિવેદન રાજ ઠાકરેની આ મુલાકાતને લઈને જ આવ્યું છે. તમને જણાવી દઈએ કે મુંબઈ અને મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની મોટાભાગની રાજનીતિ ઉત્તર ભારતીયો વિરુદ્ધ રહી છે. તેમની પાર્ટીના લોકોએ યુપી બિહારના લોકો પર ઘણી વખત મારપીટ પણ કરી છે.
-
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી











Click it and Unblock the Notifications
