For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રંજીત સિન્હાએ સંભાળ્યો સીબીઆઇ નિદેશકનો કાર્યભાર

By Super
|
Google Oneindia Gujarati News

ranjit sinha
નવીદિલ્હી, 3 ડિસેમ્બરઃ બિહાર કેડરના આઇપીએસ રંજીત સિન્હાએ આજે સીબીઆઇ નિદેશકનો કાર્યભાર સંભાળી લીધો છે. રંજીત સિન્હા સીબીઆઇના 25માં નિદેશક બન્યા છે.

નવા સીબીઆઇ નિદેશક રંજીત સિન્હા 1974 બેન્ચના બિહાર કેડરના આઇપીએસ અધિકારી છે.

રંજીત સિન્હાની નિયુક્તિ પર વિપક્ષી દળ ભાજપે ઘણી નારાજગી વ્યક્ત કરી હતી અને નિયુક્તિ રોકવા માટે પીએમને પત્ર પણ પાઠવ્યો હતો.

જો કે, ભાજપના જ રાજ્યસભાના સાંસદ રામ જેઠમલાણીએ રંજીત સિન્હાની નિયુક્તિને યોગ્ય ગણાવી હતી અને પાર્ટીના વિરોધ સામે નારાજગી વ્યક્ત કરી હતી.

જેઠમેલણીને યશવંત સિન્હા અને શત્રુઘ્ન સિન્હાનું સમર્થન મળ્યું હતું, સાથે જ એનડીએ ઘટક દળ જેડીયુ નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રંજીત સિન્હાની નિયુક્તિનું સમર્થન કર્યું હતું.

સીબીઆઇ નિદેશકનો કાર્યભાર સંભાળ્યા બાદ રંજીત સિન્હાએ કહ્યું કે સીબીઆઇ પર બધાને વિશ્વાસ છે અને તેમની નિયુક્તિ પર કોઇ વિવાદ નથી.

English summary
Senior IPS officer Ranjit Sinha, who took over as the new CBI director on Monday, said he would lay special emphasis on addressing delays in execution of Letters Rogatory and improving forensic capabilities of the agency.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X