For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાદ્ય સુરક્ષા પર વટહુકમ લાવશે આજે સરકાર

|
Google Oneindia Gujarati News

manmohan singh
નવી દિલ્હી, 12 જૂન : યુપીએ સરકાર ખાદ્ય સુરક્ષા કાનૂન લાગૂ કરવાની ઉતાવળમાં દેખાઇ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર આજે ખાદ્ય સુરક્ષા પર વટહુકમ લાવશે. કોંગ્રેસની નજરમાં એ વિધેયક આગામી સંસદીય ચૂંટણીમાં ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. જોકે કેબિનેટમાં આના વિરોધમાં અવાજ ઉઠાવનારા પણ છે, જેના કારણે તેના પસાર થવા પર શંકા ઉપજેલી છે.

બદલાતા રાજનૈતિક પરિમાણોને ધ્યાનમાં રાખતા મનમોહન સિંહ સરકાર ખાદ્ય સુરક્ષા વિધેયકને લાગુ કરવાની ઉતાવળમાં છે. વિધેયકને લાગુ કરવા માટે સરકાર વટહુકમ લાવવાની તૈયારી કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે યુપીએના સહયોગી રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય કૃષિમંત્રી શરદ પવારે ગયા અઠવાડિયે ખાદ્ય સુરક્ષા બિલને વટહુકમ દ્વારા પસાર કરવા પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

આ બિલના પ્રાવધાનોમાં દેશની 67 ટકાની વસતીને ખૂબ જ સસ્તા દરે એટલે કે એક રૂપિયા કિલો અનાજ, બે રૂપિયા કિલો ગઉં, અને ત્રણ રૂપિયાના દરે કિલો ચોખા આપવામાં આવશે.

English summary
Cabinet to take up ordinance on Food Security Bill today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X