For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલકાયદાએ ભારતમાં નવા ઠેકાણાનો ખુલાસો કર્યો

|
Google Oneindia Gujarati News

jihad
દુબઇ, 4 સપ્ટેમ્બર: આતંકવાદી સંગઠન અલ કાયદાના નેતા અયમાન અલ જવાહિરીએ બુધવારે એક વીડિયોમાં ચોંકાવનારો ખુલાસો કર્યો, વીડિયોમાં જણાવ્યું કે ઇસ્લામિક ચરમપંથી આંદોલનનું નવું કેન્દ્ર હવે ભારતીય મહાદ્વિપથી સંચાલિત થશે.

આ સંગઠને 55 મિનિટના એક ઓનલાઇન વીડિયોને જારી કર્યો. આ વીડયોમાં આ આતંકવાદી સંગઠને ભારતીય ઉપમહાદ્વિપમાં પોતાની ગતિવિધિયો અને ઝેહાદને પ્રોત્સાહનની ઇચ્છા વ્યક્ત કરી છે. ઝવાહિરીએ વીડિયોમાં ઉપમહાદ્વીપમાં પોતાની ગતિવિધિયોને વધારવા મુસ્લિમો માટે ખુશ થવાનો અવસર ગણાવ્યો છે. તેનું કહેવું છે કે સંગઠન બર્મા, બાંગ્લાદેશ અને કાશ્મીરના મુસ્લીમોને અન્યાય અને અત્યાચારથી બચાવશે.

અફગાનિસ્તાનના તાલિબાન નેતા મુલ્લા ઉમર પ્રત્યે પણ આ વીડિયોમાં નિષ્ઠા વ્યક્ત કરાઇ છે. જવાહિરીએ વીડિયોમાં ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠનને અલકાયદાની પ્રભુતાને પડકાર આપવા માટે ધમકાવ્યું છે.

વિશ્વના આતંકવાદી રોધક વિશ્લેષકોનું કહેવું છે કે વૃદ્ધ થઇ ગયેલા અલ જવાહિરીએ પોતાના આતંકવાદી સમૂહમાં ભર્તી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે સાથે જ ઇસ્લામિક સ્ટેટ પણ એક પડકાર સ્વરૂપે તેની સામે છે. ઇસ્લામિક સ્ટેટના નેતા અબૂ બક્ર અલ બગદાદીએ પોતાને ખલીફા જાહેર કરતા મુસ્લિમ સમુદાય પાસે નિષ્ઠાની માંગ કરી હતી.

English summary
In a video that went viral on internet, the Islamic extremist group Al-Qaeda on Wednesday announced that they have launched a new branch in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X