ક્રિકેટ વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની હાર પર શું બોલ્યા પીએમ મોદી
ક્રિકેટ વર્લ્ડકપની સેમીફાઈનલ મેચમાં ભારતીય ટીમની ન્યૂઝીલેન્ડ સામે હારને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિરાશાજનક કહી છે.
ક્રિકેટ વર્લ્ડકપની સેમીફાઈનલ મેચમાં ભારતીય ટીમની ન્યૂઝીલેન્ડ સામે હારને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિરાશાજનક કહી છે. ટ્વીટ કરીને પીએમ મોદીએ કહ્યુ કે આ દિલ તોડનારુ છે. વળી, મોદીએ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓની પ્રશંસા પણ કરી છે. બુધવારે ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં રમાયેલ સેમીફાઈનલમાં ભારતની ટીમ ન્યૂઝીલેન્ડ સામે 18 રનથી હારીને બહાર થઈ ગઈ છે.

પીએમ મોદીએ કર્યુ ટ્વીટ
પ્રધાનમંત્રીએ સેમીફાઈનલના પરિણામ બાદ ટ્વીટ કર્યુ છે. ટ્વીટમાં મોદીએ કહ્યુ, ‘પરિણામ હેરાન કરનારુ છે પરંતુ જે રીતે ટીમ છેલ્લે સુધી લડી તે જોવુ સારુ લાગ્યુ. ભારતીય ટીમે આખી ટુર્નામેન્ટમાં બેટિંગ, બોલિંગ અને ફીલ્ડીંગમાં તગડી રમત બતાવી. આના માટે આપણને ટીમ પર ગર્વ છે. હાર-જીત રમતનો હિસ્સો છે, હું ટીમને ભવિષ્ય માટે શુભકામનાઓ આપુ છુ.'

વિખેરાઈ ગઈ ભારતની બેટિંગ
માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાયેલ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમે ટૉસ જીત્યા બાદ પહેલા બેટિંગ કરી. ભારતીય બોલરોની સારી બોલિંગ સામે ન્યૂઝીલેન્ડની ટીમે 239 રન બનાવ્યા. આના જવાબમાં ભારતની ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી અને તેના ઉપરના ક્રમના બેટ્સમેનો સંપૂર્ણપણે ફેલ ગયા. ઓપનરના એલ રાહુલ, રોહિત શર્મા અને ત્રીજા નંબરે આવેલા વિરાટ કોહલી એક એક રન બનાવીને આઉટ થયા. ભારત તરફથી સૌથી વધુ 77 રન રવિન્દ્ર જાડેજાએ અને એમ એસ ધોનીએ 50 રન બનાવ્યા પરંતુ હારથી ટીમને બચાવી ન શક્યા.

વરસાદના કારણે બે દિવસ સુધી ચાલી મેચ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ બે દિવસ સુધી ચાલી. મંગળવારે ન્યૂઝીલેન્ડની ટીમ બેટિંગ કરી રહી હતી તો વરસાદ આવી ગયો ત્યારબાદ મેચ થઈ શકી નહિ. બુધવારે ન્યૂઝીલેન્ડે પોતાની બચેલી ઓવર રમી અને પછી ભારતે બેટિંગ કરી. આ જીત સાથે ન્યૂઝીલેન્ડની ટીમ સતત બીજી વાર વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. 2015માં રમાયેલ વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડની ટીમ ઉપવિજેતા રહી હતી.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
