ભાવનગર પાસે આવેલા ઘોઘા બીચની રમણીય તસવીરો...
જ્યારે પણ દરિયા કિનારા પર પ્રવાસ જવાનું આપ વિચારતા હશો તો આપના મનમાં સૌથી પહેલા ગોવા, દિવ અથવા કેરળના કોઇ દરિયા કિનારા નજર સમક્ષ આવી જતા હશે. મુંબઇ, ગોવા અને કેરળ જેવા રાજ્યોના દરિયા કિનારાઓનો પ્રવાસ ખેડવામાં પણ ગુજરાતીઓ જ સૌથી ટોચના ક્રમે આવે છે. પરંતુ આપને જણાવી દઇએ કે ગુજરાતની પાસે પણ સૌથી સૌથી મોટો દરિયા કિનારો છે, અને અન્ય રાજ્યોને ટક્કર આપે તેવા સમુદ્ર તટો અહીં આવેલા છે.
- અત્રે એટલું બધું છે કે તમે પણ બોલી ઊઠશો- 'કુછ દિન તો ગુજારો ગુજરાતમેં'
- ક્લીન ઇન્ડિયા: ભારતના ટોપ 10 સૌથી ક્લીન અને હરિયાળા શહેર
- ગુજરાતનો અમૂલ્ય ઇતિહાસ હજીએ ધબકે છે આ 7 કિલ્લાઓમાં
અમે અમારી આ લેખશ્રેણી થકી આપને ગુજરાતના ઘણા દરિયા કિનારાઓથી આપને અવગત કરાવી ચૂક્યા છીએ. આજે એ ક્રમમાં અમે આપને લઇ જઇ રહ્યા છીએ ભાવનગરના ઘોઘા બીચ પર. આમતો ઘોઘા બીચને પ્રવાસન સ્થળ તરીકે વિકસીત કરવામાં આવ્યો નથી માટે અત્રે આપને માણસોની અવરજવર જરા ઓછી જોવા મળશે.
- ગુજરાતના ઇતિહાસને ઊજાગર કરે છે ભુજના આ આકર્ષણો...
- ફોટોગ્રાફીના શોખીનો માટે આ રહ્યા ભારતના ટોપ 10 ફોટોજેનિક ડેસ્ટિનેશન
- ગુજરાતના ટોપ 5 વન્યજીવ અભયારણ્ય જુઓ તસવીરોમાં...
ઘોઘા બીચ ભાવનગરથી માત્ર 20 કિમીના અંતરે આવેલું છે. જેથી અત્રે પિકનીક મનાવવા આવનારાઓની સંખ્યા ક્યારેય ઓછી નથી થતી. સ્થાનિકો પણ આ દરિયા કિનારા પર શાંતિનો અનુભવ કરવા માટે આવી જાય છે. આ બીચ આપને ઘણે-ખરે અંશે દિવ જેવો લાગી આવશે.
- ગુજરાતના પોળોના જંગલોમાં એક વાર કેમ પ્રવાસ કરવો જોઇએ
- જીવનમાં એકવાર તો ગુજરાતના આ ધાર્મિક સ્થળોએ જવું જ જોઇએ
- ગુજરાતના આ બીચને સાંજ ઢળતા જ કેમ ખાલી કરાવી દેવામાં આવે છે!
ઘોઘા બીચ પાસે એક મહાકાળી માતાનું મંદિર આવેલું છે, જ્યાં લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે, જ્યારે શનિ-રવિવારે આ મંદિરમાં ઘણી ભીડ જોવા મળે છે. લોકો અહીં આરતીનો પણ લ્હાવો લે છે. જોકે આ બીચને પ્રવાસન સ્થળ તરીકે નહીં વિકસાવતા અહીં આપને એટલી સુવિધાઓ નહીં મળી શકે. પરંતુ એક પિકનીકનો દરિયા કિનારે અનેરો આનંદ ચોક્કસ મેળવી શકશો.
ઘોઘા બીચને જુઓ તસવીરોમાં...
ઘોઘા બીચ
અમે અમારી આ લેખશ્રેણી થકી આપને ગુજરાતના ઘણા દરિયા કિનારાઓથી આપને અવગત કરાવી ચૂક્યા છીએ. આજે એ ક્રમમાં અમે આપને લઇ જઇ રહ્યા છીએ ભાવનગરના ઘોઘા બીચ પર.
પ્રવાસન સ્થળ નથી
આમતો ઘોઘા બીચને પ્રવાસન સ્થળ તરીકે વિકસીત કરવામાં આવ્યો નથી માટે અત્રે આપને માણસોની અવરજવર જરા ઓછી જોવા મળશે.
પિકનીક સ્થળ
ઘોઘા બીચ ભાવનગરથી માત્ર 20 કિમીના અંતરે આવેલું છે. જેથી અત્રે પિકનીક મનાવવા આવનારાઓની સંખ્યા ક્યારેય ઓછી નથી થતી.
દરિયા કિનારા પર શાંતિનો અનુભવ
સ્થાનિકો પણ આ દરિયા કિનારા પર શાંતિનો અનુભવ કરવા માટે આવી જાય છે. આ બીચ આપને ઘણે-ખરે અંશે દિવ જેવો લાગી આવશે.
બીચ પર એક જહાજ
બીચ પર પડેલા એક જહાજની તસવીર.
મહાકાળી માતાનું મંદિર
ઘોઘા બીચ પાસે એક મહાકાળી માતાનું મંદિર આવેલું છે, જ્યાં લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે, જ્યારે શનિ-રવિવારે આ મંદિરમાં ઘણી ભીડ જોવા મળે છે. લોકો અહીં આરતીનો પણ લ્હાવો લે છે. જોકે આ બીચને પ્રવાસન સ્થળ તરીકે નહીં વિકસાવતા અહીં આપને એટલી સુવિધાઓ નહીં મળી શકે. પરંતુ એક પિકનીકનો દરિયા કિનારે અનેરો આનંદ ચોક્કસ મેળવી શકશો.
પાકિસ્તાનમાં અમીટ હિન્દુ વારસો: ગોરી મંદિર, થારપારકર, સિંધ
અહીંના મંદિરમાંથી પાર્શ્વનાથની મૂર્તિ મુંબઇમાં લવાઇ હતી. જુઓ તસવીરોમાં...