IMFના ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે દેશની અર્થવ્યવસ્થા માટે આપ્યા બે સૂચન
આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ (આઈએમએફ)માં ભારતીય મૂળના ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે દેશની સતત બગડતી અર્થવ્યવસ્થા માટે બે રસ્તા સૂચવ્યા છે.
આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ ( આઈએમએફ)માં ભારતીય મૂળના ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે દેશની સતત બગડતી અર્થવ્યવસ્થા માટે બે રસ્તા સૂચવ્યા છે. મંગળવારે ગીતા તરફથી માત્ર દેશન વિકાસના દર માટે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે પરંતુ તેમણે દેશમાં ઢાંચાગત સુધારા માટે પણ મહત્વની વાતો કહી છે. તમને જણાવી દઈએ કે સતત ઘટતા વિકાસ દરના કારણે કેન્દ્ર સરકાર વિપક્ષી અને અર્થશાસ્ત્રીઓના નિશાના પર છે. ગીતાને ગયા વર્ષે જ ચીફ ઈકોનોમિસ્ટની જવાબદારી સોંપવામાં આવી છે.

શું કરવાનુ રહેશે ભારતે
આઈએમએફે મંગળવારે ભારતના આર્થિક વિકાસ દરને આ નાણાકીય વર્ષ માટે સાત ટકાથી ઘટાડીને 6.1 ટકા સુધી કરી દીધુ છે. જુલાઈમાં સંસ્થા તરફથી સાત ટકાના વિકાસ દરનુ અનુમાન લગાવવામાં આવ્યુ હતુ. ગીતાએ મંગળવારે કહ્યુ કે ભારતે દરોમાં ઘટાડો કરવો પડશે અને સાથે જ અર્થવ્યવસ્થા સુધારવા માટે હજુ વધુ સુધારાની જરૂર પડશે. તેમણે મીડિયાને કહ્યુ, ‘સરકારે અમુક જરૂરી પગલા જરૂર ઉઠાવ્યા છે પરંતુ હજુ ઘણુ કરવાનુ બાકી છે. આમાં કોમર્શિયલ બેંકોથી બેલેન્સ શીટને ઠીક કરવી અને નાણાંકીય અસંવેદનશીલતાથી લઈને વિકાસ પર નકારાત્મક અસરને પણ ઘટાડવી પડશે.'

સરકારે કરવુ પડશે ઘણુ બધુ
ગીતાએ આગળ કહ્યુ, ‘રાજસ્વ તરફથી જો વાત કરીએ તો કૉર્પોરેટ ટેક્સને ખતમ કરવા જેવા અમુક પગલા સરકારે ઉઠાવ્યા છે. પરંતુ હજુ સુધી આ વાતનુ કોઈ એલાન થયુ નથી કે આને હવે કેવી રીતે પૂરુ કરવામાં આવશે. એવામાં રાજસ્વ વિશે અનુમાન છે કે આ આશાવાદી છે પરંતુ ભારતને હજુ રાજકોષીય નુકશાનને કાબુમાં રાખવુ પડશે.' ગીતા ગોપીનાતે જણાવ્યુ કેઆ સમય દુનિયાના અમુક દેશોમાં પણ અર્થવ્યવસ્થાના દરમાં ઘટાડો જોવા મળ્યો છે. ગીતાની માનીએ તો ભારતમાં વર્ષ 2019માં આર્થિક દર નબળો થઈ ગયો છે કારણકે કૉર્પોરેટ અને પર્યાવરણીય નિયામક અનિશ્ચિતતા વ્યાપ્ત છે. નૉન-બેંક ફાઈનાન્સિયલ સેક્ટર માટે પણ ચિંતાઓ છે અને માંગ પર પણ દબાણ વધી રહ્યુ છે.

શું છે ગીતાની જવાબદારી
ગીતાને ગયા વર્ષે આઈએમએફના રિસર્ચ ડિપાર્ટમેન્ટમાં ઈકોનૉમિક કાઉન્સિલર અને ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ વિભાગનો રોલ સંસ્થામાં સૌથી મહત્વનો છે. આઈએમએફના રિસર્ચ ડિપાર્ટમેટ દુનિયાભરની અર્થવ્યવસ્થાઓ પર અભ્યાસ કરીને સભ્ય દેશો માટે જરૂરી નીતિઓ તૈયાર કરે છે. સાથે એ મુદ્દાઓ પર રિસર્ચને અંજામ આપે છે જે આઈએમએફ માટે મહત્વના હોય છે. આ ઉપરાંત દુનિયાની અર્થવ્યવસ્થા આગલા અમુક વર્ષોમાં કેવી હોય એ વિશે પણ અનુમાન લગાવવુ કે ભવિષ્યવાણી કરવી આઈએમએફનું જ કામ છે. ગીતા, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા એટલે કે આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન બાદ બીજી ભારતીય છે જેને આ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા









Click it and Unblock the Notifications
