પંચાયત પરિણામો : કોંગ્રેસને કંઈક કળ વળી, છતાં ભાજપ ભારે
અમદાવાદ, 19 ફેબ્રુઆરી: તારીખ 17 ફેબ્રુઆરીના રોજ રાજ્યની બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયત, બનાસકાંઠા જિલ્લાની 12 તાલુકા પંચાયત, ખેડા જિલ્લાની 2 તાલુકા પંચાયત, ગાંધીનગર તાલુકાની પંચાયતની સામાન્ય ચૂંટણીઓ યોજાઇ હતી, જેના પરિણામો આજે આવી ગયા છે જેમાં કોઇને હાર તો કોઇને જીત મળી છે.
ખેડા જિલ્લાની વાત કરીએ તો જિલ્લા પંચાયતની 41 બેઠકોમાંથી કોંગ્રેસને 22 જ્યારે ભાજપને 18 બેઠકો મળી છે, જ્યારે અપક્ષના ફાળે એક બેઠક ગઇ છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની વાત કરીએ તો 55 બેઠકોમાંથી 26 ભાજપને અને 28 બેઠક કોંગ્રેસને ફાળે જાય છે. નોંધનીય છે કે એક બેઠકમાં હરિફ ઉમેદવારનું અવસાન થવાના કાણે ચૂંટણી મોકૂફ રખાઇ હતી.

બનાસકાંઠા જિલ્લાની 12 તાલુકા પંચાયતોમાંથી 7 ભાજપ અને 4 કોંગ્રેસને મળે છે. જ્યારે દાંતીવાડા તાલુકા પંચાયતમાં કોઇને સ્પષ્ટ બહુમતી મળતી નથી. આ તાલુકા પંચાયતમાં બંને પક્ષોને ફાળે 7-7 બેઠક આવે છે, અને અપક્ષને 1 બેઠક મળે છે.
આ રીતે કુલ 15 તાલુકા પંચાયતો પૈકી 9 તાલુકા પંચાયતમાં ભાજપને અને 5 તાલુકા પંચાયતમાં કોંગ્રેસને બહુમતી મળે છે, જ્યારે એક તાલુકા પંચાયત દાંતીવાડામાં ટાઇ પડે છે.
કચ્છ જિલ્લાની ભચાઉ નગરપાલિકામાં 18 ફેબ્રુઆરીના રોજ થયેલા ફરીથી મતદાનનું પણ આજે પરિણામ આવી ગયું, જેમાં કુલ 27 બેઠકો પૈકી કોંગ્રેસને ફાળે 22 બેઠક અને ભાજપને માત્ર 5 જ બેઠક મળે છે. આ ઉપરાંત પેટા ચૂંટણી હેઠળની જિલ્લા પંચાયતોની કુલ 3 બેઠકો પૈકી તમામ 3 બેઠકો ભાજપને મળે છે, જ્યારે તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી 15 ભાજપને અને 3 બેઠક કોંગ્રેસને મળે છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
