પાટણ: 'પદ્માવત'ના ઉગ્ર વિરોધને કારણે બસ સેવા ફરી બંધ
પદ્માવતના વિરોધને કારણે ફરી એકવાર એસટી બસ સેવાને અસરપાટણમાં બુધવારે રદ્દ થઇ એસટી બસોઆ અંગે વધુ વાંચો અહીં...
મંગળવારે રાત્રે જે રીતે અમદાવાદમાં 'પદ્માવત'ના વિરોધમાં ગુંડા તથા અસામાજિક તત્વોએ શહેરને બાનમાં લીધું હતું, ત્યાર બાદ બુધવારે સવારે પણ વિવિધ સ્થળોએ વિરોધ થયો હતો. ઉત્તર ગુજરાતના પાટણમાં આ કારણોસર એસટી બસ સેવા બંધ કરવામાં આવી છે. 'પદ્માવત'ના વિરોધમાં પાટણના ચાણસ્મા નજીક આવેલા પીંપલ ગામ પાસે કેટલાક તત્વોએ એસટી બસ રોકવાનો પ્રયત્ન કર્યો હતો અને તેના કારણે મુસાફરો ગભરાઈ ગયા હતા. ત્યાર બાદ એસટી ડેપો મેનેજરે સતર્કતાના કારણોસર બસો બંધ કરાવી દીધી હતી.

પાટણથી મોટી સંખ્યામાં હારીજ, ચાણસ્મા, ડીસા, જૂનાગઢ, સુરત તરફ જતા રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે, જેને પરિણામે એ તરફ જતા મુસાફરો ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા. મુસાફરોએ પ્રાઇવેટ વાહનો તરફ નજર દોડાવી હતી, પરંતુ પ્રાઇવેટ વાહનોએ પણ ભાવ વધારી દીધા હતા. આથી મુસાફરોએ રોષ વ્યક્ત કર્યો હતો. ફિલ્મના વિરોધમાં તોફાની ટોળા જે રીતે જાહેર સપંત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે, તેના કરાણે તંત્રએ આ પ્રકારનો નિર્ણય લેવો પડ્યો હતો અને તેનો ભોગ આખરે તો સામાન્ય લોકો બન્યા છે.
-
ગુજરાત ATSની મોટી કાર્યવાહી, આતંકી સંગઠન સાથે જોડાયેલા શંકાસ્પદ ધરપકડ -
ગુજરાતમાં સહકારી મંડળીઓની ચૂંટણી છ મહિના માટે સ્થગિત, જાણો કેમ? -
નવસારી ફ્લાવર શોમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો -
Gujarat Weather Update: રાજ્યમાં આગામી 3 દિવસ બાદ કાતિલ ઠંડીમાં થશે વધારો, જાણો હવામાન વિભાગની આગાહી -
આવનારા દિવસોમાં વાતાવરણ કેવુ રહેશે? માવઠાને લઈને મોટી આગાહી -
Border 2 BO Collection Day 5: બોક્સ ઓફિસ પર 'બોર્ડર 2'નું તોફાન, 5 દિવસમાં કરી છપ્પરફાડ કમાણી -
Ajit Pawar: કોણ છે અજિત પવારની પત્ની સુનેત્રા? કેમ કહેવાય છે ‘Beauty With Brain’? -
ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, નલિયામાં સૌથી વધારે તાપમાન નોંધાયું, જાણો હવામાન વિભાગની આગાહી -
દેશભરની બેંકોમાં હડતાલને પગલે બેંંકિંગ સેવાઓ પ્રભાવિત, જાણો શું છે કારણ? -
મોડી રાત્રે ગાંધીનગરમાં ઠાકોર સમાજનું સમ્મેલન, જાણો શું ચર્ચા થઈ? -
અમદાવાદ મહેસાણા હાઈવે આઠ લેન બનશે, 2630 કરોડની ફાળવણી -
India-EU FTA 2026 : ભારત-એયુ વચ્ચે ડીલ, આ વસ્તુઓ સસ્તી થશે









Click it and Unblock the Notifications
