યાસીન ભટકલ અને અસદ ઉલ્લાને મળ્યા 12 દિવસના રિમાન્ડ
યાસીન ભટકલ અને અસદઉલ્લાને કોર્ટે આપ્યા 12 દિવસના રિમાન્ડ. વધુ વાંચો અહીં
અમદાવાદઃ શનિવારે અમદાવાદ માં વર્ષ 2008 સિરિયલ બોમ્બ વિસ્ફોટમાં યાસીન અને અસદઉલ્લાને સાબરમતી જેલની ખાસ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા. જ્યાં કોર્ટ દ્વારા તેમના 12 દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાંચ આ માટે 14 દિવસનાં રિમાન્ડની માંગણી કરી હતી. પણ કોર્ટે ખાલી 12 દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે બાદ તેમને બન્ને ક્રાઇમ બ્રાંચ લઇ જવામાં આવ્યા હતા. નોંધનીય છે કે શુક્રવારે દિલ્હીથી આ બન્ને આંતકી ઓને એક વિશેષ પ્લેન હેઠળ અમદાવાદ લાવવામાં આવ્યા હતા.

એટલું જ નહીં આ બન્નેને કબ્જો લાંબી કાનૂની પ્રક્રીયાના અંતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળ્યો છે. ત્યારે હાલ તો આ બન્ને આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મળતા ક્રાઇમ બ્રાંચને આશા છે કે તે આ બન્ને પાસેથી મહત્વપૂર્ણ વિગતો મેળવી શકે. હાલ આ બન્ને આતંકીઓ અમદાવાદની જેલમાં હોવાના કારણે તેમના માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષ 2008માં અમદાવાદમાં થયેલ સિરિયલ બ્લાસ્ટના આ બન્ને આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હૈદરબાદના એનઆઇએ પાસેથી ટ્રાન્સફર વોરંટ પર ધરપકડ કરી છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
