For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે આસમમાં પૂરનું કહેર, એક લાખથી વધારે લોકો પ્રભાવિત

|
Google Oneindia Gujarati News

ગુવાહાટી, 7 જુલાઇ : ભારે વરસાદના કારણે બ્રહ્મપુત્ર અને તેની સાથે જોડાયેલી સંકળાયેલી નદીઓના જળસ્તરમાં વધારો નોંધવામાં આવ્યો છે અને તે ખતરાના નિશાનાને પાર કરી ગયું છે. જેના કારણે અસમમાં લગભગ એક લાખ લોકો પ્રભાવિત થયા છે. ધેમાજી સહિત 10 જિલ્લામાં લોકો અને તેમના ખેતરોને અસર થઇ છે.

અધિકારીક સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના ઉપરી વિસ્તાર અને પડોશી અરુણાચલ પ્રદેશના વિસ્તારોમાં ભારે વરસાતથી બ્રહ્મપુત્ર નદીનું જળસ્તર ખૂબ જ વધી ગયું છે, અને જોરહટમાં નેમાતિઘાટમાં ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.

assam
બ્રહ્મપુત્રની સહાયક નદી જિયા ભરાલી સોનિતપુર જિલ્લાના એક એન ટી રોડમાં અને ધનશ્રી ગોલઘાટ જિલ્લાના નૂમાલિગઢમાં ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. જૂન બાદ આ ઋતુની પહેલા પૂરમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ગોલઘાટ જિલ્લામાં કાજિરંગા રાષ્ટ્રીય પાર્કની પાસે નાગાંવમાં ઘણા પશુઓના પણ મોત થયા છે.

ધેમાજી, નાગાંવ, ગોલાઘાટ, જોરહટ, કામરૂપ, કરીમગંજ, લખીમપુર, મોરિગાંવ, શિવસાગર અને તિનસુકિયા જિલ્લામાં વરસાદથી લગભગ એક લાખ લોકો પ્રભાવિત થયા છે.

English summary
The rain-fed mighty Brahmaputra and its tributaries flowing above the danger level across Assam have hit nearly one lakh people inundating human habitations and farm land in ten districts with Dhemaji being the worst-hit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X