યુક્રેનના સરહદી વિસ્તારોમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત લાવવા ભારતની ટીમો રવાના!

યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે ભારત સરકારની ટીમો યુક્રેનના સરહદી વિસ્તારોમાંથી ફસાયેલા ભારતીયોને બહાર કાઢવામાં મદદ માટે રવાના થઈ છે. તમને જણાવી દઈએ કે રશિયન હુમલા વચ્ચે યુક્રેને તેના એરસ્પેસમાં પ્રતિબંધો લગાવી દીધા છે.

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી : યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે ભારત સરકારની ટીમો યુક્રેનના સરહદી વિસ્તારોમાંથી ફસાયેલા ભારતીયોને બહાર કાઢવામાં મદદ માટે રવાના થઈ છે. તમને જણાવી દઈએ કે રશિયન હુમલા વચ્ચે યુક્રેને તેના એરસ્પેસમાં પ્રતિબંધો લગાવી દીધા છે, જેના કારણે ભારત યુક્રેનમાં ફસાયેલા પોતાના લોકોને બહાર કાઢવા માટે કોઈ એરક્રાફ્ટ મોકલી શકતું નથી.

Russia-Ukraine War

વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- 'યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પીએમ મોદી રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરવાના છે. અમે તમામ ભારતીય વિદ્યાર્થીઓના સંપર્કમાં છીએ, યુક્રેનથી ફ્લાઈટ્સ માટે સંભાવનાઓ તપાસવામાં આવી રહી છે. યુક્રેનમાં ભારતીયો માટે ઘણી એડવાઈઝરી જારી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 20 થી વધુ અધિકારીઓ કંટ્રોલ રૂમમાં ચોવીસ કલાક લોકોને મદદ કરવા માટે હાજર છે. આ ઉપરાંત, રશિયન બોલતા અધિકારીઓને યુક્રેન મોકલવામાં આવ્યા છે. અમે વિદ્યાર્થીઓને પરત લાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરીશું. જણાવી દઈએ કે લગભગ 16000 ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે, જેમાંથી મોટાભાગના મેડિકલ સ્ટુડન્ટ્સ છે. યુક્રેનમાં કુલ 20,000 વિદ્યાર્થીઓ હતા, પરંતુ તેમાંથી 4 હજાર તો રશિયા દ્વારા યુદ્ધની ઘોષણા પહેલા જ ભારત આવી ગયા હતા.

રશિયામાં અટવાયેલા બિહારના રહેવાસી આર્યન નામના MBBS સ્ટુડન્ટે જણાવ્યું કે અહીંના નીપ્રો શહેરમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. તમામ વિદ્યાર્થીઓ ડરી ગયા છે. અમારી યુનિવર્સિટીથી લગભગ 40 કિલોમીટર દૂર થયેલા વિસ્ફોટોએ તમામ વિદ્યાર્થીઓને હચમચાવી દીધા હતા. આર્યને કહ્યું કે અહીંના મોલમાં ભારે ભીડ છે, કારણ કે લોકો યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને શક્ય તેટલું વધુ રાશન એકઠું કરવા માંગે છે. તેમણે કહ્યું કે યુક્રેનમાં ગેસ રશિયાથી સપ્લાય કરવામાં આવે છે. આવી સ્થિતિમાં રશિયા તરફથી ગેસ સપ્લાય બંધ થવાથી વિદ્યાર્થીઓ ચિંતિત છે.

આર્યને કહ્યું કે યુનિવર્સિટીના લગભગ 800 વિદ્યાર્થીઓ ભારત જવા માટે કિવ એરપોર્ટથી રવાના થયા હતા, પરંતુ એરસ્પેસ પર પ્રતિબંધને કારણે તેઓ ત્યાં અટવાઈ ગયા હતા. આર્યને ભારત સરકારને જલદીથી તેમને અહીંથી બહાર કાઢવા માટે કહ્યું અને કહ્યું કે અમારી પાસે માત્ર 7 દિવસનું રાશન બાકી છે. જણાવી દઈએ કે રશિયાએ હુમલા તેજ કર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X