કેરળના પત્રકાર સિદ્દીકી કપ્પનને 28 મહિના પછી લખનઉની જેલમાં કરવામાં આવ્યો મુક્ત, જાણો સમગ્ર મામલો
કેરળના પત્રકાર સિદ્દીકી કપ્પનને લખનઉની જેલમાંથી 28 મહિના બાદ મુક્ત કરવામાં આવ્યો છે. તેના પર દેશદ્રોહ અને હિંસા ફેલાવવાના આરોપ લગાવવામાં આવ્યા હતા.
Kerala Journalist: છેલ્લા 28 મહિનાથી લખનઉની જેલમાં બંધ કેરળના પત્રકાર સિદ્દીકી કપ્પનને આખરે મુક્ત કરી દેવામાં આવ્યો છે. તેની સામે આતંકી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ છે પરંતુ આજે તેને લખનઉ જેલમાં મુક્ત કરવામાં આવ્યો છે. કપ્પનની ઉત્તર પ્રદેશના હાથરસ શહેરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યાં એક દલિત મહિલાની કથિત રેપ બાદ હત્યા કરી દેવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે કપ્પપન અને અન્ય ત્રણ લોકો સામે પીએફઆઈ સાથે લિંક હોવાનો આરોપ છે. ભારતમાં પીએફઆઈ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કપ્પન અને અન્ય ત્રણ લોકો પર આરોપ છે કે આ લોકોએ હિંસા ભડકાવવાની કોશિશ કરી હતી. ઉત્તર પ્રદેશના હાથરસ કાંડ બાદ હિંસા ભડકાવવા અને દેશદ્રોહના આરોપી સિદ્દીકી કપ્પનની ગુરુવારે સવારે જેલમાંથી મુક્તિ થઈ. શરતો સાથે જામીન મળ્યા બાદ એક મહિનાથી વધુ સમય પછી લખનઉની એક વિશેષ અદાલતે કપ્પનની મુક્તિના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે.
જેલમાંથી મુક્ત થયા પછી કપ્પને કહ્યુ કે હાથરસ રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. રિપોર્ટીંગ કરવુ એ ગુનો બની ગયો છે. મારે 28 મહિના જેલમાં રહેવુ પડ્યુ અને તે પછી પણ મને ન્યાય ન મળ્યો. 28 મહિનાના સંઘર્ષ બાદ આખરે હું બહાર આવ્યો છુ. હું ખુશ છુ. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે કપ્પનને જામીન આપ્યા હતા. પરંતુ કપ્પન મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ હતો. ઈડીએ તેની સામે મની લૉન્ડ્રિંગનો કેસ નોંધ્યો હતો.
કપ્પનને શરૂઆતમાં રાજદ્રોહ અને યુએપીએ હેઠળ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ જેલની સજા કરવામાં આવી હતી. બાદમાં ફેબ્રુઆરી 2022માં ઈડીએ તેની સામે મની લૉન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો હતો. તેના પર પીએફઆઈ પાસેથી પૈસા લેવાનો પણ આરોપ છે. અલાહાબાદ હાઈકોર્ટે 23 ડિસેમ્બરે કપ્પનને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. મની લૉન્ડ્રિંગ કેસમાં તેને કોર્ટમાંથી રાહત મળી છે. બુધવારે તેની સુરક્ષા અંગે કોર્ટમાં ખાતરી અપાયા બાદ કપ્પનને આજે મુક્ત કરવામાં આવ્યો હતો.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
