અમદાવાદમાં ધૂળની આંધી સાથે વરસાદ, આ જિલ્લાઓમાં પણ માવઠું થશે
અમદાવાદમાં ધૂળની આંધી સાથે વરસાદ, આ જિલ્લાઓમાં પણ માવઠું થશે
અમદાવાદઃ સોમવારે સાંજે અમદાવાદમાં ધૂળની આંધી સાથે વરસાદ ખાબકતાં અમદાવાદીઓને ગરમીમાંથી રાહત મળી છે. એપ્રિલ મહિનાની શરૂઆતથી જ અમદાવાદમાં 38 ડિગ્રીથી પણ ઉપર તાપમાનનો પારો પહોંચી ગયો હતો. ત્યારે ઉનાળાની શરૂઆતમાં ધોમ તડકાએ અમદાવાદીઓનો પરછેવો છોડાવી દીધો હતો. જો કે સોમવારે આવેલ વરસાદનાં ઝાંપટાંને પગલે શહેરીજનોને મહદઅંશે રાહત મળી છે. સોમવારે સાંજે ધૂળની આંધીએ અમદાવાદમાં પણ દેખાં દીધાં હતાં. જો કે આ આંધીને કારણે પણ તાપમાનનો પારો ગગડ્યો હતો. હવે આગામી 2 દિવસ સુધી અમદાવાદીઓને ગરમીમાંથી રાહત મળશે.

હનામાન ખાતાના અમદાવાદ કેન્દ્રએ સોમવારે થંડરસ્ટોર્મની આગાહી કરતા કહ્યું કે મંગળવારે પણ ગુજરાતના અન્ય ભાગોમાં ધૂળની આંધી ઉઠશે. હવામાન ખાતાના અધિકારીએ કહ્યુ્ં કે દક્ષિણ રાજસ્થાન અને તેના પાડોશમાં આવેલ વિસ્તારોમાં ચક્રવાત પરિભ્રમણને કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે. વધુમાં હવામાન ખાતાએ આગાહી કરી કે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, તાપી, નર્મદા, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, પોરબંદર અને કચ્છમાં ધૂળની આંધી આજે ઉઠી શકે છે. ઉપરાંત આગામી 6 દિવસ સુધી આ વિસ્તારોમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો- ઓરેન્જ એલર્ટઃ 16 અને 17 એપ્રિલે ફરી ઉઠશે ધૂળની આંધી, વરસાદની સાથે કરા પણ પડશે
ધૂળની આંધીને કારણે સોમવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને લઘુત્તમ તાપમાન 26.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સોમવારે અમદાવાદમાં હ્યુમિડિટી લેવલ 24-40 ટકાની રેન્જમાં હતી. આ ધૂળની આંધી સ્વાસ્થ્ય માટે હાનીકારક હોવાથી લોકોને ઘરની બહાર ન નિકળવા ચેતવણી આપવામાં આવી છે. મંગળવરે અમદાવાદમાં મહત્તમ તાપમાન 73 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આશંકા છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
