અલ કાયદાનો ચીફ અલ જવાહિરી ડ્રોન હુમલામાં ઠાર મરાયો, રાષ્ટ્રપતિ જો બાઈડેને કરી પુષ્ટિ
અફઘાનિસ્તાનમાં ડ્રોન હુમલામાં અલ કાયદાના વડા અયમાન અલ-જવાહિરીનુ ઠાર મરાયો છે.
વૉશિંગ્ટનઃ અફઘાનિસ્તાનમાં ડ્રોન હુમલામાં અલ કાયદાના વડા અયમાન અલ-જવાહિરી ઠાર મરાયો છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે આ સમાચારની પુષ્ટિ કરી છે. તાલિબાને ટ્વીટ કરીને લખ્યુ છે કે 31મી જુલાઈએ કાબુલ શહેરના શેરપુર વિસ્તારમાં એક ઘર પર એર સ્ટ્રાઈક કરવામાં આવી . આ હુમલાનુ સ્વરૂપ શું હતુ તે શરૂઆતમાં સ્પષ્ટ થયુ નહોતુ. પ્રારંભિક માહિતીમાં એવુ બહાર આવ્યુ છે કે આ સ્ટ્રાઈક અમેરિકન ડ્રોન દ્વારા કરવામાં આવી હતી. મુજાહિદે કહ્યુ કે અમે અફઘાનિસ્તાનના ઈસ્લામિક અમીરાત પર આ સ્ટ્રાઈકની કડક નિંદા કરીએ છીએ. તે આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતો અને દોહા કરારનુ સીધુ ઉલ્લંઘન છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ અલ જવાહિરીના મોતની પુષ્ટિ કરી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનનુ કહેવુ છે કે કાબુલમાં થયેલા હવાઈ હુમલામાં અલ-કાયદાનો નેતા અયમાન અલ-જવાહિરી માર્યો ગયો છે. ન્યાય કરવામાં આવ્યો છે, ભલે ગમે તેટલો સમય લાગે, તમે ગમે ત્યાં છુપાઈ જાઓ, જો તમે અમારા લોકો માટે ખતરો છો તો અમેરિકા તમને શોધીને ખતમ કરશે. તમને જણાવી દઈએ કે અલ જવાહિરી 71 વર્ષનો હતો. ઓસામા બિન લાદેનના મોતના 11 વર્ષ બાદ અલ-જવાહિરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. બંને આતંકવાદીઓને અમેરિકાએ મોતને ઘાટ ઉતારી દીધા છે. અલ જવાહિરીએ એક સમયે ઓસામા બિન લાદેન માટે ડૉક્ટર તરીકે પણ કામ કર્યુ હતુ.
પાકિસ્તાનના જલાલાબાદમાં અમેરિકી સુરક્ષા દળો દ્વારા બિન લાદેનને ઠાર મરાયા ગયા બાદ તેની જગ્યા અલ-જવાહિરીએ લીધી હતી. 7 ઓગસ્ટ 1998ના રોજ તેણે નૈરોબી, કેન્યા, દાર એસ સલામ, તાંગાનિકા, આફ્રિકામાં યુએસ દૂતાવાસ પર બૉમ્બ વિસ્ફોટ કર્યા હતા જેમાં 12 અમેરિકનો સહિત 224 લોકો માર્યા ગયા હતા. આ હુમલાઓમાં 4500થી વધુ લોકો ઘાયલ થયા હતા.
લાંબા સમયથી અલ-જવાહિરી ક્યાં છુપાયેલો હતો તે એક રહસ્ય હતુ. એવી પણ અફવા હતી કે અલ-જવાહિરીનુ 2020માં હિમારીથી મૃત્યુ પામ્યો હતો. પરંતુ તાજેતરના અહેવાલમાં યુએસ વિશ્લેષકોએ પુષ્ટિ કરી કે જવાહિરી અફઘાનિસ્તાનમાં રહે છે અને આઝાદ ફરી રહ્યો છે. અલ જવાહિરી જીવિત હોવાના પુરાવા એક વીડિયો મેસેજમાં મળ્યા હતા. રિપોર્ટમાં અલ-કાયદાની વધતી શક્તિ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. અમેરિકાએ જવાહિરી પર 25 મિલિયન ડોલરનુ ઇનામ રાખ્યુ હતુ.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
