પાક.ના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને આવ્યો હૃદયનો હુમલો, હોસ્પિટલમાં દાખલ
ઇસ્લામાબાદ, 2 જાન્યુઆરી: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને હૃદયનો હુમલો આવ્યો છે. તેમને રાવલપિંડીના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેમને સારવાર માટે પાકિસ્તાનથી બહાર પણ મોકલી શકાય છે. તેઓ કોર્ટમાં હાજરી આપવા માટે જઇ રહ્યા હતા ત્યારે તેમને આ હૃદયનો હુમલો આવ્યો હતો. તેમને હોસ્પિટલના ક્રિટિકલ કેયર યૂનિટમાં દાખલ કરવામાં આવ્યા છે.
તેમને વિશેષ કોર્ટમાં હાજરી આપવા જવાનું હતું, જ્યા તેમની પર રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો છે. કોર્ટમાં હાજર થવા માટે જતી વખતે આ પૂર્વ સેના પ્રમુખની તબિયત અચાનક લથડી જતા તેમને રાવલપિંડીના આર્મ્ડ ફોર્સેઝ ઇન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી લઇ જવામાં આવ્યા.

પાકિસ્તાનની સરકારે પૂર્વ સેનાધ્યક્ષ પર દેશના સંવિધાનને સસ્પેન્ડ કરવા, રદ કરવા અને દેશમાં અશાંતિ ફેલાવવા માટે તથા 2007માં રાષ્ટ્રમાં ઇમરજન્સી લાગૂ કરવા માટે અને સર્વોચ્ચ અદાલતોના ન્યાયાધિશોની ધરપકડ કરવા માટે તેમની પર રાજદ્રોહનો આરોપ લગાવ્યો છે. કાયદાના નિષ્ણાંતોનું કહેવું છે કે મુશર્રફને મૃત્યુદંડ અથવા જનમટીપની સજા થઇ શકે છે.












Click it and Unblock the Notifications
