Happy Birthday PM Modi : CMથી PM સુધીની સફર, જાણો PM મોદી વિશે ખાસ વાતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ છે. ગુજરાતના વડનગરમાં જન્મેલા મોદી બાળપણથી જ કંઈક અલગ કરવા માંગતા હતા.
Happy Birthday PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીનો 71મો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ છે. ગુજરાતના વડનગરમાં જન્મેલા મોદી બાળપણથી જ કંઈક અલગ કરવા માંગતા હતા. પિતા સાથે સ્ટેશન પર ચા વેચવાની સાથે, તેમને સ્વની શોધમાં યુવાનીમાં હિમાલયના પહાડો પર પણ પહોંચ્યા હતા, ત્યારે નરેન્દ્ર માત્ર 17 વર્ષના હતા.
જે બાદ નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા અને દેશની સેવા શરૂ કરી હતી. જો કે વડાપ્રધાનનું સમગ્ર જીવન દેશને સમર્પિત છે, પરંતુ તેમના જીવન સાથે જોડાયેલી એવી ઘણી વાતો છે, જેનાથી તમે અજાણ હશો. અમે તમને PM મોદી સાથે જોડાયેલી ઘણી એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જેને વાંચીને તમે તેમને વધુ નજીકથી જાણી શકશો.
મોદીએ 1975માં ઇમરજન્સી દરમિયાન તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી, જ્યારે તેમને ગુજરાત 'લોક સંઘર્ષ સમિતિ' ના મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદી 2001થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા. વર્ષ 2014માં વારાણસીથી સાંસદ બન્યા હતા. સંપૂર્ણ બહુમતી સાથે લોકસભાની ચૂંટણી જીતીને દેશના વડાપ્રધાન બન્યા હતા. જે બાદ તેઓ દેશના યુવાનો માટે 'સ્ટાઇલ આઇકોન' બન્યા.
નરેન્દ્ર મોદી સતત બીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા છે અને બિનકોંગ્રેસી PM તરીકેનો સૌથી લાંબો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. તેમણે 2014 અને 2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપની જબરદસ્ત જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 2014માં લોકસભા ચૂંટણી જીત્યા બાદ, મોદીએ જે રીતે લોકશાહીના મંદિરને પ્રણામ કર્યા હતા, તે ચિત્ર આજે દરેકના માનસપટલ પર અંકિત છે.
નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર તેમને લગતી કેટલીક ખાસ વાતો
- દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને સ્વર્ગીય રાજીવ ગાંધી બાદ નરેન્દ્ર મોદી દેશના સૌથી સ્ટાઇલિશ અને સ્માર્ટ PM છે. 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ જ્યારે દેશ સ્વતંત્રતા અને પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વ્યસ્ત હોય છે, ત્યારે દેશનો એક વર્ગ માત્ર એ જોવા માંગે છે કે, PMના સફાનો રંગ શું હશે, કુર્તાની સ્ટાઇલ શું હશે અને શું તેનો રંગ હશે.
- લોકોના દિલમાં ઘણીવાર એ જાણવાની ઈચ્છા હોય છે કે, હંમેશા ચુસ્ત, સચેત અને સતત કાર્યરત રહેતા અભિનેતા-અભિનેત્રી અને રાજકારણી શું ખાતા પીતા હોય છે.
- સોશિયલ મીડિયાના આગમન સાથે, આ વસ્તુઓ હવે છૂપાયેલી નથી. પોતાની જાતને હંમેશા સક્રિય રાખવા માટે, સેલિબ્રિટીથી લઈને દેશના રાજકારણી સુધી, તે પોતાના આહાર અને વ્યાયામનું ખાસ ધ્યાન રાખે છે. મોદી કસરત અંગે ખૂબ જ સાવચેત છે અને દરરોજ સવારે યોગ કરે છે. તેમણે પોતે જ કહ્યું છે કે, તેમને ગુજરાતી ખીચડી ખૂબ પસંદ છે.
- એવું કહેવામાં આવે છે કે જો તમે દાન કરો છો, તો તે એવી રીતે કરો કે ડાબા હાથને જમણા હાથ દ્વારા આપવામાં આવેલા દાનની ખબર ન પડે. PM પદ સંભાળતા પહેલા, તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન લાખો રૂપિયા અને ભેટોનું દાન કર્યું હતું. વર્ષ 2015માં તેમને ભેટ કરેલો સૂટ 4 કરોડ 31 લાખ રૂપિયામાં હરાજીમાં વેચાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુવાનો અને બાળકોમાં મોટી સંખ્યામાં ચાહકો છે. તેને બાળકો માટે ખાસ પ્રેમ છે.
- ખૂબ જ નાની ઉંમરથી એક સરળ પ્રચારકનું જીવન જીવતા નરેન્દ્ર મોદી પાસે ક્યારેય ફિલ્મો જોવાનો વધારે સમય ન હતો, પણ જ્યારે પણ તેમને કોઈ ફિલ્મ જોતા, ત્યારે તેમનો અભિગમ થોડો અલગ હતો. PM મોદીએ એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટતા કરી હતી કે, તેમને સામાન્ય રીતે ફિલ્મો જોતા નથી, પરંતુ યુવાની દરમિયાન તેમને માત્ર યુવાનીમાં રહેલી ઉત્સુકતા માટે વધુ ફિલ્મો જોતા હતા.
- જો તમારી આઠ કલાકની નોકરી તમારા માટે ખૂબ તણાવપૂર્ણ છે, તો માત્ર 70 વર્ષના PM મોદીની દિનચર્યા અને તેમના ચહેરા પર એક નજર કરો. 8 અથવા 10 કલાક નહીં, પણ 18 કલાક કામ કરનારા મોદીના ચહેરા પર થાકની એક રેખા પણ જોઇ શકાતી નથી. ચા વેચવાથી લઈને દેશના વડાપ્રધાન બનવા સુધીની સફર ખૂબ જ અદભૂત છે. તેમણે સખત મહેનત અને ઉર્જાથી પોતાના જીવનની દરેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. તેમણે વિરોધીઓ અને દરેક સમસ્યાનો સામનો કર્યો અને સતત બીજી વખત વડાપ્રધાન બન્યા છે.
- PM મોદી તેમના જન્મદિવસ પર તેમની માતાના આશીર્વાદ લેવાનું ભૂલતા નથી અને દર વર્ષે ગુજરાત આવીને તેમની મુલાકાત લે છે. આ દિવસે તેમની સાદગી જોવા મળે છે.