મમતા બેનરજીનો PMને જવાબ- પરિવર્તન થશે પરંતુ દિલ્હીમાં, બંગાળમાં નહિ
મમતા બેનરજીનો PMને જવાબ- પરિવર્તન થશે પરંતુ દિલ્હીમાં, બંગાળમાં નહિ
બંગાળ ચૂંટણીની ઉલ્ટી ગણતરી શરૂ થઈ ગઈ છે. 27 માર્ચે રાજ્યમાં પહેલા તબક્કાની ચૂંટણી છે. તમામ રાજનૈતિક દળોએ ચૂંટણી માટે એડીચોટીનું જોર લગાવવું શરૂ કરી દીધું છે. જ્યારે ટીએમસીએ કેન્દ્ર, રકાર વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે. એલપીજીના વધેલા ભાવ વિરુદ્ધ આજે પશ્ચિમ બંગાળાના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સિલગુડીમાં મહિલાઓ સાથે પદયાત્રા કાઢી છે. તેમણે કહ્યું કે અમે પીએમ મોદીને બતાવવા માટે આ પ્રદર્શન કર્યું, પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવ કેમ વધી રહ્યા છે તેનો તેમમે જવાબ આપવો જોઈએ.

સીએમ મમતા બેનરજીએ કહ્યું કે પરિવર્તન દિલ્હીમાં થશે, બંગાળમાં નહિ. પીએમે કહ્યું કે બંગાળમાં મહિલા સુરક્ષા નથી, પરંતુ યૂપી, બિહાર અને અન્ય રાજ્યોને જુઓ. બંગાળમાં મહિલાઓ સુરક્ષિત છે અને આ વાત તેમને છોડી બધા જ જાણે છે. મોદી અને તેમની સરકાર પર આકરો પ્રહાર કરતા દીદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ભેલ, ગેલ બધું વેચી રહી છે અને તૌલાબાજીનો આરોપ અમારા પર લગાવી રહી છે. દેશમાં માત્ર એક જ સિંડિકેટ છે, જેનું નામ અમિત શાહ અને નરેન્દ્ર મોદી છે.
જો હમસે ટકરાએગા, વો ચૂર ચૂર હો જાએગા
પોતાના ભાષણમાં ઉગ્ર થતાં સીએમ મમતા બેનરજીએ કહ્યું કે, 'હમસે જો ટકરાએગા, વો ચૂર ચૂર હો જાએગા' મમતા બેનરજીએ આગળ કહ્યું કે અમે બંગાળનો વિકાસ કર્યો છે અને તેના નામે જ વોટ માંગ્યા છે, અમે જે કર્યું છે તે જ કહ્યું છે, અમે એ નથી જે કહે કંઈક બીજું અને કરે કંઈક બીજું.












Click it and Unblock the Notifications
