નિધિવન, એ રહસ્યમય સ્થળ જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ આજે પણ રાસલીલા કરે છે!
ભગવાન કૃષ્ણની જન્મજયંતિ આજે દેશભરમાં ઉજવવામાં આવી રહી છે. ભગવાન કૃષ્ણની ઝાંખીઓ શણગારવામાં આવી છે. ભક્તો કૃષ્ણમય બનવા લાગ્યા છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીએ ઉજવવામાં આવે છે.
ભગવાન કૃષ્ણની જન્મજયંતિ આજે દેશભરમાં ઉજવવામાં આવી રહી છે. ભગવાન કૃષ્ણની ઝાંખીઓ શણગારવામાં આવી છે. ભક્તો કૃષ્ણમય બનવા લાગ્યા છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીએ ઉજવવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વખતે અષ્ટમી તિથી 29 ઓગસ્ટના રાતે 11.25 થી શરૂ થઈ રહી છે, જે 30 ઓગસ્ટના બપોરે 1.59 વાગ્યા સુધી રહેશે. આ પ્રસંગે અમે તમને વૃંદાવનમાં સ્થિત રહસ્યમય નિધિવન વિશે જણાવી રહ્યા છીએ. એવું માનવામાં આવે છે કે આજે પણ શ્રી કૃષ્ણ અહીં રાસલીલા કરે છે.
નિધીવનમાં આજે પણ શ્રી કૃષ્ણ રાસલીલા કરવા આવે છે
વૃંદાવન ભગવાન કૃષ્ણની ભૂમિ તરીકે ઓળખાય છે. અહીં હાજર નિધિવન આજે પણ લોકો માટે રહસ્ય છે. સ્થાનિક લોકોનું માનવું છે કે આ તે જ જગ્યા છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ આજે પણ દરરોજ રાત્રે રાસલીલા કરે છે. તેમની સાથે રાધા અને તેની તમામ ગોપીઓ પણ અહીં રાસલીલા કરવા અને માણવા આવે છે.
પશુઓ પણ સાંજે પોતાનું સ્થાન બદલી નાખે છે
નિધિવન એક ગાઢ અને લીલું જંગલ છે, જેમાં સેંકડો વૃક્ષો છે. આ વૃક્ષો પોતાનામાં તદ્દન અનોખા છે, કારણ કે સારા મૂળ અને ડાળીઓ હોવા છતાં આ બધાં વૃક્ષો પોલા છે. છતાં આ જંગલો આખું વર્ષ લીલુંછમ રહે છે. અહીં ભાગ્યે જ કોઈ પ્રાણીઓ અને અન્ય જીવો જોવા મળે છે. કહેવાય છે કે આ વિસ્તારના તમામ પ્રાણીઓ પણ સાંજ પડતાં જ પોતાની જગ્યા બદલી નાખે છે.
દરરોજ રાત્રે ઓરડાને શણગારવામાં આવે છે
નિધીવનમાં એક મંદિર પણ છે, જેમાં ભગવાન કૃષ્ણ અને રાધાની મૂર્તિઓ છે. તેના થોડા અંતરે રંગ મહેલ નામનું બીજું મંદિર છે, જેનું પોતાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ રંગ મહેલ છે, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ પોતે પોતાની પ્રિય રાધાને શણગારે છે. વૃંદાવનનું આ મંદિર એવી વસ્તુઓથી ભરેલું છે જેની દેવતાઓને જરૂર પડી શકે છે. મહંત કહે છે કે દરરોજ રાત્રે ભગવાન શ્રી કૃષ્ણના ઓરડામાં તેમનો પલંગ શણગારવામાં આવે છે. દાતણ અને પાણીની બોટલ રાખવામાં આવે છે. જ્યારે પંડિતો સવારે મંગળા આરતી માટે રૂમ ખોલે છે, ત્યારે લોટાનું પાણી ખાલી અને દાતણ પલળેલુ તેમજ પાન ખાધેલું અને રૂમનો સામાન વેરવિખેર જોવા મળે છે.
રાત્રે નિધીવન જનારા પાછા નથી ફરતા
આ સ્થળે સમયનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. મંદિર સાંજે 5 વાગ્યે બંધ થાય છે. આ પછી કોઈને પણ નિધિવનની આસપાસ ફરવાની મંજૂરી નથી. એટલે કે, આ સમય પછી કોઈ નિધીવનની આસપાસ પણ જઈ શકતું નથી. એવું કહેવામાં આવે છે કે જે કોઈ રાત્રે નિધિવન જવાનો પ્રયત્ન કરે છે, તે કાં તો માનસિક અસંતુલિત થઈ જાય છે અથવા આઘાતથી મૃત્યુ પામે છે.