29 નવેમ્બરથી શરૂ થઈ શકે છે સંસદનું શિયાળુ સત્ર
સંસદના શિયાળુ સત્રની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આવતા વર્ષની શરૂઆતમાં 5 મહત્વપૂર્ણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે, આવી સ્થિતિમાં મોદી સરકાર આ સત્રમાં ઘણા મહત્વપૂર્ણ બિલ લાવી શકે છે.
નવી દિલ્હી : સંસદના શિયાળુ સત્રની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આવતા વર્ષની શરૂઆતમાં 5 મહત્વપૂર્ણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે, આવી સ્થિતિમાં મોદી સરકાર આ સત્રમાં ઘણા મહત્વપૂર્ણ બિલ લાવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થશે, જે 23 ડિસેમ્બર સુધી ચાલશે. આ માટે સંસદ સચિવાલયમાં તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ હજૂ સુધી સત્રની તારીખ નક્કી કરવામાં આવી નથી.
રોગચાળાને ધ્યાનમાં રાખીને ગત વર્ષે સંસદનું શિયાળુ સત્ર યોજાયું ન હતું
સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી ચાલશે. સૂત્રોએ આ માહિતી આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે, સત્ર દરમિયાન કોવિડ 19ના તમામ પ્રોટોકોલનુંપાલન કરવામાં આવશે. સત્ર દરમિયાન લગભગ 20 બેઠકો થવાની સંભાવના છે અને તે ક્રિસમસ પહેલા સમાપ્ત થશે.
રોગચાળાને ધ્યાનમાં રાખીને ગત વર્ષે સંસદનુંશિયાળુ સત્ર યોજાયું ન હતું અને જે પછીના તમામ સત્રોનો સમયગાળો (બજેટ અને ચોમાસુ સત્ર) પણ કોવિડ 19ને કારણે ઘટાડવામાં આવ્યા હતા.
જો કે હજૂ સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી તેમ સૂત્રોએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, સત્ર 29 નવેમ્બરથી શરૂ થઈ શકે છે અને 23 ડિસેમ્બરની આસપાસ સમાપ્તથશે.
જો કે, લોકસભા અને રાજ્યસભા બંને એક જ સમયે મળશે અને સભ્યો શારીરિક અંતરના ધોરણોનું પાલન કરશે. પ્રથમ કેટલાક સત્રોમાં સંસદ પરિસરમાં વધુ લોકોહાજર ન હોય તેની ખાતરી કરવા માટે બંને ગૃહોની કાર્યવાહી અલગ-અલગ સમયે યોજવામાં આવી હતી.
દરેક સમયે માસ્ક પહેરવું પડશે અને કોવિડ ટેસ્ટ કરાવવો પડશે
સૂત્રોએ જણાવ્યું કે, શિયાળુ સત્રમાં કેમ્પસ અને સંસદની મુખ્ય ઇમારતમાં પ્રવેશ કરનારાઓએ દરેક સમયે માસ્ક પહેરવું પડશે અને કોવિડ ટેસ્ટ કરાવવો પડશે.
આવખતે શિયાળુ સત્રનું વિશેષ મહત્વ છે. કારણ કે, તે રાજકીય રીતે મહત્વના ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા હશે.
આચૂંટણીઓને 2024ની સામાન્ય ચૂંટણીની 'સેમી ફાઈનલ' તરીકે જોવામાં આવી રહી છે.
|
સરકાર શિયાળુ સત્રમાં બે મહત્વપૂર્ણ નાણા બીલ રજૂ કરી શકે છે
સરકાર સંસદના શિયાળુ સત્રમાં નાણાકીય ક્ષેત્ર સાથે સંબંધિત બે મહત્વપૂર્ણ બીલ લાવી શકે છે. આની જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી.
આ બીલમાંથી એક જાહેરક્ષેત્રની બેંકોના ખાનગીકરણને સરળ રીતે પૂર્ણ કરવા સાથે સંબંધિત છે. આ ઉપરાંત સરકાર પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) થીનેશનલ પેન્શન સિસ્ટમ ટ્રસ્ટ (NPS) ને અલગ કરવા PFRDA એક્ટ, 2013માં સુધારો કરવા માટે બીલ પણ લાવી શકે છે. તેનાથી પેન્શનનો વ્યાપ વધશે.
સૂત્રોએ જણાવ્યું કે, સંસદના આગામી શિયાળુ સત્રમાં સરકાર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949માં સુધારો કરવા બીલ લાવી શકે છે.
બેંકોના ખાનગીકરણ માટે બેન્કિંગકંપનીઝ (એક્વિઝિશન એન્ડ ટ્રાન્સફર ઓફ અંડરટેકિંગ્સ) એક્ટ, 1970 અને બેન્કિંગ કંપનીઝ (એક્વિઝિશન એન્ડ ટ્રાન્સફર ઓફ અંડરટેકિંગ્સ) એક્ટ, 1980માં સુધારાનીજરૂર પડશે.