તેલંગાણાનું અપમાન કરનારાઓને જમીનમાં દાટી દઇશું: મુખ્યમંત્રી

આ સમસ્યા તે સમયે સામે આવી જ્યારે બે ટીવી ચેનલોએ વિધાનસભાના સભ્યોની ખોટી છબી રજૂ કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આપ જનપ્રતિનિધિઓને દારુડીયા અને વાંદરા કહી રહ્યા છો, આપ તેમને જે મનમાં આવે તે કહીને બોલાવી રહ્યા છો. આ કેવી આઝાદી છે? આ કેવી સંસ્કૃતિ છે?
મુખ્યમંત્રીએ મીડિયાને ચેતાવણી આપતા જણાવ્યું કે જો મીડિયા પોતાની હદ ઓળંગશે, તો સરકાર તેને માત્ર પ્રતિબંધિત જ નહીં કરે, પરંતુ તેમની વિરુદ્ધ અન્ય કડક કાર્યવાહી પણ કરશે. જો આપ અન્યોનું સન્માન ના કરી શકો, જો આપ તેલંગાણાની સંસ્કૃતિનો ભાગ ના બની શકો તો આપના માટે અત્રે કોઇ જગ્યા નથી.
રાવે પત્રકારોને અપીલ કરી છે કે તેઓ સરકારની ટિકા કરવામાં નિષ્પક્ષ રહે. પરંતુ પત્રકારોએ આંધ્રના મૂડીવાદીઓનો પક્ષ લેવો જોઇએ નહીં અને તેમનું સમર્થન કરવું જોઇએ નહીં, જે લોકો તેલંગાણાના જન પ્રતિનિધિઓ અને અત્રેની સંસ્કૃતિને નીચી દેખાડવા માંગે છે.
રાવે જણાવ્યું કે અમે તેમના ગળા મરોડી દઇશું અને રાજ્યની બહાર ફેંકી દઇશું. અમે એ દરેક વ્યક્તિને દફનાવી દઇશું, જે તેલંગાણાનું અપમાન કરશે. અમે મૂર્ખતાપૂર્ણ ચીજવસ્તુઓને થવા દઇશું નહીં. વિપક્ષે મુખ્યમંત્રીના આ તગલઘી નિવેદનની ટિકા કરી છે. રાવે આ પહેલા જણાવ્યું હતું કે જો જરૂરીયાત પડી તો તેઓ હિટલર પણ બની શકે છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
