ગોડસેને લઈ પ્રજ્ઞા ઠાકુરે આપેલ નિવેદન પર અમિત શાહે ચુપ્પી તોડી
ગોડસેને લઈ પ્રજ્ઞા ઠાકુરે આપેલ નિવેદન પર અમિત શાહે ચુપ્પી તોડી
નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે જેી રીતે લોકસભામાં નાથૂરામ ગોડસેને લઈ વિવાદિત નિવેદન આપ્યું હતું તે બાદ ભારે હંગામો થયો હતો. સમગ્ર વિવાદ પર ભાજપના અધ્યક્ષ અમિત શાહે ચુપ્પી તોડી છે. અમિત શાહે કહ્યું કે સરકાર અને ભારતીય જનતા પાર્ટીએ પ્રાજ્ઞા ઠાકુર દ્વારા લોકસભામાં નાથૂરામ ગોડસેને લઈ આપવાાં આવેલ નિવેદનની આકરી આલોચના કરી છે. જણાવી દઈએ કે ઈકોનોમિક્સ ટાઈમ્સના એક કાર્યક્રમમાં ઉદ્યોગપતિ રાહુલ બજાજ પ્રજ્ઞા ઠાકુરના નિવેદનની આલોચના કરી હતી. જે બાદ અમિત શાહે કહ્યું કે રક્ષા મંત્રી રાજનાથ સિંહે પહેલા જ આ નિવેદનની આલોચના કરી છે અને પાર્ટીએ આના પર પ્રજ્ઞા ઠાકુર વિરુદ્ધ પોતાની પ્રતિક્રિયા જાહેર કરી દીધી છે.

અમે તેમના નિવેદનનું સમર્થન નથી કરતા
અમિત શાહે કહ્યું કે સરકાર કે ભાજપ બેમાથી એકેય પ્રજ્ઞા ઠાકુરના નિવેદનનું સમર્થન નથી કરતા. અમે તેમના નિવેદનની આકરી આલોચના કરીએ છીએ. અગાઉ બજાજે કહ્યું કે ડરનો માહોલ છે અને લોકો સરકારની આલોચના કરવાથી ડરી રહ્યા છે, અને તેમને એ વાતનો ભરોસો નથી કે સરકારી તેમની આલોચનાનું સમર્થન કરશે. જણાવી દઈએ કે બુધવારે પ્રજ્ઞા ઠાકુરે લોકસભામાં ડીએમકે નેતા એ રાજાના નિવેદનનો જવાબ આપતાં નાથૂરામ ગોડસેને લઈ વિવાદિત નિવેદન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે એ રાજા નાથૂરામ ગોડસેને લઈને બોલી રહ્યા હતા કે મહાત્મા ગાંધીની હત્યા બાદ ગોડ્સેએ કોર્ટમાં ગાંધીજીને કેમ માર્યા તેના પર પોતાનું નિવેદન આપ્યું હતું.

કોઈપણ પ્રકારના ડરનો માહોલ નથી
જણાવી દઈએ કે પ્રજ્ઞા ઠાકુરના નિવેદન બાદ પાર્ટીએ તેમને સંસદીય પાર્ટીની બેઠકમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવી દીધો છે, એટલું જ નહિ, પાર્ટીએ પ્રજ્ઞા ઠાકુરને ડિફેંસ કંસ્લટેટિવ કમિટીથી પણ બહાર કરી દીધી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ પ્રજ્ઞા ઠાકુરને મહાત્મા ગાંધીનું અપમાન કરવા બદલ ક્યારેય માફ નહિ કરી શકે. જ્યારે ગૃહ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે દેશમાં કોઈપણ પ્રકારના ભયનો માહોલ નથી. અમિત શાહે કહ્યું કે ડરવાની કોઈ જરૂરત નથી. નરેન્દ્ર મોદી સરકારની મીડિયામાં સતત આલોચના થતી રહે છે, જો આવા પ્રકારનો માહોલ હોત તો અમારે વધુ સારું કરવાની જરૂરત છે.

ઘાટીમાં હાલાત સામાન્ય
અમિત શાહે કહ્યું કે સરકારની જો આલોચના થાય છે તો તેને મેરિટના આધાર પર પારદર્શી રીતે સારું કરવામાં આવશે. જ્યારે કાશ્મીરના મુદ્દે અમિત શાહે કહ્યું કે અમે અપીલ કરી છીએ કે તમે કાશ્મીરની વાસ્તવિક હાલાત જાણવા માટે અહીંનો પ્રવાસ કરો. તમે તમારા પરિવાર સાથે કાશ્મીર જાઓ તો તમને ઘાટીના યોગ્ય હાલાતનો અંદાજો લાગી જશે. અમિત શાહે કહ્યું કે દેશના ગૃહમંત્રી તરીકે હું લોકોને અપીલ કરું છું કે તમે કાશ્મીર જાઓ, તમે જોશો કે ત્યાં હાલાત કેટલા સામાન્ય છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા








Click it and Unblock the Notifications
