ભારતના ગુસ્સા બાદ પાકિસ્તાને કરી સ્પષ્ટતા કહ્યું, લખવી જેલમાંથી બહાર નહી આવે
ઇસ્લામાબાદ, 30 ડિસેમ્બર: ઇસ્લામાબાદ હાઇકોર્ટે સોમવારે મુંબઇમાં 26 નવેમ્બર, 2008ના રોજ થયેલા આતંકવાદી હુમલાનું કાવતરું રચનાર મુખ્ય આરોપી જકીઉર રહમાન લખવીને સશર્ત છોડી મુકવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ ભારતનું ગુસ્સે થવું સ્વાભાવિક જ હતું એટલા માટે સોમવારે સાંજે જ પાક હાઇ કમિશનરને જાણ કરી ત્યારબાદ પાકિસ્તાને મોડી રાત્રે પોતાનું નિવેદન મીડિયામાં જાહેર કરીને આ મુદ્દાને સંભાળવાનો પ્રયત્ન કર્યો છે.
પાકિસ્તાને ભારતને વિશ્વાસ અપાવ્યો છે કે કોઇપણ ભોગે જકીઉર રહમાન લખવીને જેલમાંથી બહાર આવવા નહી દે કારણ કે જેવો જ પેરલ પર છુટશે તેને બીજા કેસમાં ધરપકડૅ કરી લેવામાં આવશે. પાકિસ્તાન પોતે આતંકવાદી વિરોધી ગતિવિધિઓ માટે સજાગ છે.

પાકિસ્તાને કરી સ્પષ્ટતા કહ્યું લખવી જેલમાંથી બહાર નહી આવે
અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે ઇસ્લામાબાદ હાઇકોર્ટે લખવીને 10 લાખ રૂપિયાના વ્યક્તિગત જામીન ભરવા માટે કહ્યું છે. કોર્ટે તેને ધરપકડમાં રાખવા સરકારના આદેશને સોમવારે સ્થગિત કરી દિધો.
પાકિસ્તાન પોતે આતંકવાદ વિરોધી ગતિવિધિઓ માટે સજાગ છે
લખવીને પાકિસ્તાનની આતંકવાદ નિરોધક કોર્ટના ન્યાયાધીશ સૈય્યદ કૌસર અબ્બાસ જૈદીએ 18 ડિસેમ્બરના રોજ જામીન આપ્યા હતા. પરંતુ તેને 19 ડિસેમ્બરના રોજ એકવાર ફરી વ્યવસ્થા જાળવી રાખવા સંબંધિત કલમ હેઠળ ધરપકડ કરી લેવામાં આવી હતી. લખવીએ તેને ફરીથી ધરપકડમાં લેવાના સરકારના ફેંસલાને 26 ડિસેમ્બરે પડકાર્યો હતો.
#Lakvi, the GoodTerrorist, freed by #Pakistan.
Not trending #IllRideWithYou in #India?
— VijayThakkar (@vikingthakkar) December 29, 2014 ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં લખવી દ્વારા અધિવક્તા રિઝવાન અબ્બાસીએ તરફેણ કરી અને કહ્યું કે કોર્ટે તેના આરોપીની અરજી સ્વિકારી લીધી હતી, પરંતુ તંત્રએ તેને ધરપકડમાં રાખ્યો છે, જે ગેરકાનૂની છે. તેમણે કહ્યું કે જામીન મૌલિક અધિકારનો મુદ્દો છે. વકીલની દલીલ બાદ કોર્ટે ધરપકડના આદેશને સસ્પેંડ કરી દિધા હતા.
@writers1234 @timesofindia
Releasing #Lakvi is going to hurt Pak.India hav Plan B to get after dawood,Lakhvi & Hafiz saeed.
6months more:)
— Tyrion (@TyrionSinister) December 29, 2014 અત્રે ઉલ્લેખનીય છે કે લખવી તે સાત આતંકવાદીમાંથી એક છે જેમના પર મુંબઇ હુમલાનું કાવતરું રચવા અને તેમાં મદદ કરવાનો આરોપ છે. તેને મુંબઇ હુમલામાં એકમાત્ર જીવીત પકડાયેલા આતંકવાદી અજમલ કસાબના નિવેદન પર ફેબ્રુઆરી 2009માં પાકિસ્તાનની સંઘીય તપાસ એજેંસીએ ધરપકડ કરી હતી. આ સાથે જ આ મુદ્દે છ અન્ય લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
