For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના ગુસ્સા બાદ પાકિસ્તાને કરી સ્પષ્ટતા કહ્યું, લખવી જેલમાંથી બહાર નહી આવે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 30 ડિસેમ્બર: ઇસ્લામાબાદ હાઇકોર્ટે સોમવારે મુંબઇમાં 26 નવેમ્બર, 2008ના રોજ થયેલા આતંકવાદી હુમલાનું કાવતરું રચનાર મુખ્ય આરોપી જકીઉર રહમાન લખવીને સશર્ત છોડી મુકવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ ભારતનું ગુસ્સે થવું સ્વાભાવિક જ હતું એટલા માટે સોમવારે સાંજે જ પાક હાઇ કમિશનરને જાણ કરી ત્યારબાદ પાકિસ્તાને મોડી રાત્રે પોતાનું નિવેદન મીડિયામાં જાહેર કરીને આ મુદ્દાને સંભાળવાનો પ્રયત્ન કર્યો છે.

પાકિસ્તાને ભારતને વિશ્વાસ અપાવ્યો છે કે કોઇપણ ભોગે જકીઉર રહમાન લખવીને જેલમાંથી બહાર આવવા નહી દે કારણ કે જેવો જ પેરલ પર છુટશે તેને બીજા કેસમાં ધરપકડૅ કરી લેવામાં આવશે. પાકિસ્તાન પોતે આતંકવાદી વિરોધી ગતિવિધિઓ માટે સજાગ છે.

zaki-ur-rehman-lakhvi

પાકિસ્તાને કરી સ્પષ્ટતા કહ્યું લખવી જેલમાંથી બહાર નહી આવે
અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે ઇસ્લામાબાદ હાઇકોર્ટે લખવીને 10 લાખ રૂપિયાના વ્યક્તિગત જામીન ભરવા માટે કહ્યું છે. કોર્ટે તેને ધરપકડમાં રાખવા સરકારના આદેશને સોમવારે સ્થગિત કરી દિધો.

પાકિસ્તાન પોતે આતંકવાદ વિરોધી ગતિવિધિઓ માટે સજાગ છે
લખવીને પાકિસ્તાનની આતંકવાદ નિરોધક કોર્ટના ન્યાયાધીશ સૈય્યદ કૌસર અબ્બાસ જૈદીએ 18 ડિસેમ્બરના રોજ જામીન આપ્યા હતા. પરંતુ તેને 19 ડિસેમ્બરના રોજ એકવાર ફરી વ્યવસ્થા જાળવી રાખવા સંબંધિત કલમ હેઠળ ધરપકડ કરી લેવામાં આવી હતી. લખવીએ તેને ફરીથી ધરપકડમાં લેવાના સરકારના ફેંસલાને 26 ડિસેમ્બરે પડકાર્યો હતો.

ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં લખવી દ્વારા અધિવક્તા રિઝવાન અબ્બાસીએ તરફેણ કરી અને કહ્યું કે કોર્ટે તેના આરોપીની અરજી સ્વિકારી લીધી હતી, પરંતુ તંત્રએ તેને ધરપકડમાં રાખ્યો છે, જે ગેરકાનૂની છે. તેમણે કહ્યું કે જામીન મૌલિક અધિકારનો મુદ્દો છે. વકીલની દલીલ બાદ કોર્ટે ધરપકડના આદેશને સસ્પેંડ કરી દિધા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે લખવી તે સાત આતંકવાદીમાંથી એક છે જેમના પર મુંબઇ હુમલાનું કાવતરું રચવા અને તેમાં મદદ કરવાનો આરોપ છે. તેને મુંબઇ હુમલામાં એકમાત્ર જીવીત પકડાયેલા આતંકવાદી અજમલ કસાબના નિવેદન પર ફેબ્રુઆરી 2009માં પાકિસ્તાનની સંઘીય તપાસ એજેંસીએ ધરપકડ કરી હતી. આ સાથે જ આ મુદ્દે છ અન્ય લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા.

English summary
The Islamabad High Court (IHC) Monday ordered the conditional release of Zakiur Rehman Lakhvi - the alleged mastermind of the 2008 Mumbai attack - asking him to submit a security bond of Pakistani Rs.1 million (around $9,000), media reported.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X