PGVCL રોકડની અછત ગ્રસ્ત નાગરિક સંસ્થા સામે 'લાચાર'
PGVCL વીજ જોડાણ તોડી શકતું નથી. કારણ કે, તેનાથી ઘરોમાં પાણી પુરવઠાને અસર થશે. અનેક સૂચનાઓ અને ચેતવણીઓ છતાં વસૂલાત બાકી છે.
રાજકોટ : રાજ્ય સંચાલિત વીજ વિતરણ કંપની, પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL), 22 ની કિસ્સામાં સૌરાષ્ટ્રની 66 નગરપાલિકાઓ પાસેથી છેલ્લા પાંચ વર્ષથી તેમની કુલ રૂપિયા 415 કરોડની બાકી લેણી રકમ ફસાયેલી છે.
PGVCL વીજ જોડાણ તોડી શકતું નથી. કારણ કે, તેનાથી ઘરોમાં પાણી પુરવઠાને અસર થશે. અનેક સૂચનાઓ અને ચેતવણીઓ છતાં વસૂલાત બાકી છે. જ્યારે PGVCLના જનરલ મેનેજર (એકાઉન્ટ) કે. એસ. મલકાનનો આ અંગે સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે જણાવ્યું હતું કે, અમે વોટર વર્ક્સ અને સ્ટ્રીટ લાઇટનો પાવર સપ્લાય ડિસ્કનેક્ટ કરી શકતા નથી. કારણ કે, તેની સાથે વિશાળ જાહેર હિત સંકળાયેલું છે.
આ ઉપરાંત, કડક પગલાં લોકોના પ્રતિનિધિઓ માટે પણ યોગ્ય નથી અને PGVCL પાસે સરકારી મદદ મેળવવાનો એકમાત્ર વિકલ્પ બાકી છે. 2014 માં, એક સમજાવટ કરવામાં આવી હતી, જ્યાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ અને શહેરી વિકાસ વિભાગે બાકી મૂળ રકમ ચૂકવી હતી, જ્યારે PGVCL એ વ્યાજ માફ કર્યું હતું.
વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટેરિફમાં વધારાના સ્વરૂપમાં આ બાકી રકમનો બોજ પ્રમાણિક રહેણાંક અને ઔદ્યોગિક ગ્રાહકો પર પડે છે. PGVCL ને તેના રોજિંદા કામકાજ અને વિકાસ પ્રોજેક્ટ માટે બજારમાંથી નાણાં એકત્ર કરવાની જરૂર છે અને બાકી રકમ તેના સમવર્તી અને રિકરિંગ ફંડ ખર્ચમાં વધારો કરે છે. જોકે, નગરપાલિકાઓ કહે છે કે, તેમની પાસે નાણાની અછત છે.
સાવરકુંડલા સિવિક બોડીના ઈન્ચાર્જ ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે, પાણી પુરો પાડવાનો ખર્ચો વધારે છે. કારણ કે, અમારે ભૂગર્ભજળ લાવીને તેનું વિતરણ કરવું પડે છે. અમને વધુ માનવબળની જરૂર છે અને અમારો જાળવણી ખર્ચ વધુ છે. અમારી પાસે વોટર વર્કસનું બિલ ભરવા માટે પૂરતું ભંડોળ નથી. કારણ કે, નગરપાલિકાની આવક ઘટી ગઈ છે. ગયા વર્ષે અમે પ્રોપર્ટી ટેક્સના માત્ર 49 ટકા જ વસૂલ કરી શક્યા છીએ.
કચ્છની અંજાર નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલે જણાવ્યું હતું કે, અમારી પાસે બિલ ચૂકવવા માટે પૂરતું ભંડોળ નથી. સરકારી ગ્રાન્ટ ચોક્કસ પ્રોજેક્ટ માટે જ આપવામાં આવે છે. PGVCL નગરપાલિકાઓને શહેરી ગ્રાહકો માને છે અને તેઓ અમારી પાસેથી ગ્રામીણ ગ્રાહકો કરતાં વધુ ચાર્જ વસૂલે છે. અમે તેમાંથી કોઈ ધંધો કરતા નથી, તેથી અમને સબસિડીવાળા દરે વીજળી પૂરી પાડવી જોઈએ.
જીગર પટેલે જણાવ્યું હતું કે, નગરપાલિકાએ પોતાની આવકના સ્ત્રોતો પણ વધારવા જોઈએ અને જે સરકારી વિભાગો નગરપાલિકાને મિલકત વેરો ભરવામાં વિલંબ કરે છે, તેઓએ પણ સમયસર ચૂકવણી કરવી જોઈએ. જેથી કરીને અમે પોતાનું પૂરતું ભંડોળ જાળવી શકીએ.