અણ્ણાની દિલ્હીમાં સમર્થકો સાથે બેઠક
બેઠકમાં નવી સમન્વય સમિતિ બનાવવાનું એલાન થઇ શકે છે, જેમાં 15-16 સભ્ય હોઇ શકે છે. અણ્ણા હઝારે કહીં ચુક્યા છે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આખા દેસમાં જન આંદોલન ચલાવવામાં આવશે. અણ્ણા આ આંદોલનની મુહિમની રૂપરેખા આજે બેઠકમાં નક્કી કરી શકે છે.
અણ્ણાએ બેઠક પહેલાં અહીં મીડિયાને જણાવ્યું કે, અમે અમારું કામ શરૂ કરી દીધું છે અને આજે અમે અમારી રણનીતિ તૈયાર કરીશું. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેમની ટીમને 'નવી ટીમ અણ્ણા' કહેવામાં આવશે. તેમણે કહ્યું કે, આ નવી ટીમ નથી, આ જૂની ટીમ છે.
કિરણ બેદીએ કહ્યું કે અણ્ણાએ તેમને ખાનગી રીતે બેટકમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું, આગળની રણનીતિ બેઠકમાં નક્કી કરવામાં આવશે. આ સમિતિ થોડા સમય પહેલા અમારા દ્વારા શરૂ કરવામાં આવેલા રાષ્ટ્રીય આંદોલનને આગળ લઇ જશે.
નોંધનીય છે કે અણ્ણાએ પોતાના મુખ્ય સહયોગી અવિંદ કેજરવીલના રાજકીય દળ રચના કરવાના મુદ્દે 19 સપ્ટેમ્બરે પૂર્વ ટીમને પોતાનાથી અલગ કરી લીધા હતા અને રાજકીય અભિયાનમાં તેમના અનેક ફોટા કે નામનો ઉપયોગ નહીં કરવાના નિર્દેશ આપ્યો હતો.