For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉનના કારણે અર્થવ્યવસ્થા પર પડશે બહુ મોટો બોજઃ સોનિયા ગાંધી

કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યુ છે કે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઘોષિત દેશવ્યાપી લૉકડાઉનથી અર્થવ્યવસ્થા પર વધુ બોજ પડશે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યુ છે કે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઘોષિત દેશવ્યાપી લૉકડાઉનથી અર્થવ્યવસ્થા પર વધુ બોજ પડશે. તેમણે કહ્યુ કે ગરીબ, ખેડૂત અને મજૂર સૌથી વધુ પીડિત છે અને આશા છે કે કેન્દ્ર પાસે આના નુકશાનની ભરપાઈ કરવાની યોજના છે.

sonia gandhi

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા બેઠક કરી રહેલા સોનિયા ગાંધીએ કહ્યુ, 'લૉકડાઉનના કારણે આપણી અર્થવ્યવસ્થા પર બહુ વધુ બોજ પડવાનો છે. અર્થવ્યવસ્થા પહેલેથી જ સંકટમાં હતી અને હવે એવુ લાગે છે કે મુશ્કેલીઓ વધી જશે. આપણે આના માટે તૈયાર રહેવુ પડશે. અમે આશા રાખીએ છીએ કે સરકાર આ પડકારનો સામનો કરવા માટે એક યોજના સાથે સામે આવશે. ગરીબ, ખેડૂત અને મજૂર લૉકડાઉનથી સૌથી વધુ મુશ્કેલીમાં છે.'

લૉકડાઉનના કારણે કામધંધા બંધ પડ્યા છે અને આ કારણે અર્થવ્યવસ્થા પર પણ ઉંડી અસર પડવાની છે. આઈએમએફે પણ કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે આર્થિક મંદી વિશે ચેતવણી આપી છે. દેશમાં લૉકડાઉન બાદ મજૂરો સામે સૌથી મોટુ સંકટ પેદા થઈ ગયુ છે અને આ કારણે લૉકડાઉનના એલાન બાદ હજારોની સંખ્યામાં મજૂરોનુ પલાયન પણ થયુ છે. સોનિયા ગાંધીએ આ બેઠક દરમિયાન કહ્યુ, લૉકડાઉનના કારણે ગરીબ મજૂરોનુ પલાયન થયુ અને અમારા કાર્યકર્તા તેમની મદદ માટે આગળ આવ્યા. અહીં સુધી કે આજે પણ દેશભરમાં કોંગ્રેસ કાર્યકર્તા આવા કામ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ લૉકડાઉન લંબાશે કે ખતમ થશે? મુખ્યમંત્રીઓ સાથે આજે પીએમ મોદીની બેઠકમાં થશે નિર્ણયઆ પણ વાંચોઃ લૉકડાઉન લંબાશે કે ખતમ થશે? મુખ્યમંત્રીઓ સાથે આજે પીએમ મોદીની બેઠકમાં થશે નિર્ણય

English summary
lockdown will put burden on economy, hope govt has a plan to reverse the damage: sonia gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X