આધારનો ડેટા લિક થવાથી ચૂંટણી પ્રભાવિત થઇ શકે છે : સુપ્રિમ કોર્ટ
સુપ્રિમ કોર્ટ કહ્યું કે આધાર ડેટા લીક થવાથી ચૂંટણીના પરિણામો પ્રભાવિત થઇ શકે છે. સાથે કોર્ટે 1.3 અરબ ભારતીય ડેટાના સંભવિત દુરઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જાણો આ અંગે વધુ અહીં.
આધાર કાર્ડની વિગતો ખાનગી રાખવા મામલે લાંબા સમયથી સવાલો ઉઠી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ પર સરકારથી ડેટા લીક મામલે સતત સવાલ જવાબ કરી રહી છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે આ મામલે સુનવણી કરતા આધાર કાર્ડ બતાવેલી જાણકારીને સુરક્ષિત હોવાને લઇને ગંભીર સવાલ ઉઠાવ્યા છે. કોર્ટે કહ્યું છે કે આધાર ડેટા લીક થવાથી ચૂંટણીના પરિણામો પણ પ્રભાવિત થઇ શકે છે. ગત અઠવાડિયા પણ સર્વોચ્ચ અદાલતેે 1.3 અરબ ભારતીય ડેટાના સંભવિત દુરઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ પર યુઆઇડીએઆઇ કહ્યું હતું કે આધાર ડેટા કોઇ પરમાણું બોમ્બ નથી!
અમેરિકાની ચૂંટણી
તમને જણાવી દઇએ કે અમેરિકી ચૂંટણીમાં પણ ફેસબુક ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને આ પછી જે ભારે વિવાદ દુનિયા સામે થયો છે તે જગજાહેર છે. આ વાતને આધાર માનીને સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડના ડેટાને લિક થવાને લઇને ચિંતા વ્યક્ત કરી છે. પાંચ જજની સંવિધાન બેઠકમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં કોઇ પણ ડેટા સુરક્ષા કાનૂન નથી. તેવામાં લોકોનો ડેટા કેટલો સુરક્ષિત છે તે કેવી રીતે કહી શકાય. આ પહેલા ઉચ્ચ અદાલતે કહ્યું હતું કે એક સારું કારણ કહો જેનાથી અમે આધારને તમામ સેવાઓ સાથે જોડાવાની મંજૂરી આપીએ.
આંકડાનો પ્રભાવ
જજ જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડે આ મામલે સુનવણી કરતા કહ્યું હતું કે આ એક વાસ્ત્વિક આશંકા છે કે ઉપલબ્ધ આંકડાથી કોઇ દેશના ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરી શકાય છે. આ આધાર ડેટાનો ઉપયોગ ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરવા માટે કરી શકાય છે. તો શું લોકતંત્રને બચાવી શકાશે? જસ્ટિસ ચંદ્રચૂડ પાંચ સદસ્યોની બેઠકના સદસ્ય છે. જે સંવૈધાનિક વૈધતાને પડકારનાર 27 અરજીઓ પર સુનવણી કરી રહ્યા છે. કોર્ટે કહ્યું કે ડેટા સંરક્ષણ કાનૂનની ઉપસ્થિતિમાં ઉપલબ્ધ સુરક્ષિત ઉપાયોની પ્રકૃતિ શું છે? આ સમસ્યા લાક્ષણિક નહીં પણ વાસ્તવિક છે.
ડેટા લિક
જજ જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડે આ મામલે સુનવણી કરતા કહ્યું હતું કે આ એક વાસ્ત્વિક આશંકા છે કે ઉપલબ્ધ આંકડાથી કોઇ દેશના ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરી શકાય છે. આ આધાર ડેટાનો ઉપયોગ ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરવા માટે કરી શકાય છે. તો શું લોકતંત્રને બચાવી શકાશે? જસ્ટિસ ચંદ્રચૂડ પાંચ સદસ્યોની બેઠકના સદસ્ય છે. જે સંવૈધાનિક વૈધતાને પડકારનાર 27 અરજીઓ પર સુનવણી કરી રહ્યા છે. કોર્ટે કહ્યું કે ડેટા સંરક્ષણ કાનૂનની ઉપસ્થિતિમાં ઉપલબ્ધ સુરક્ષિત ઉપાયોની પ્રકૃતિ શું છે? આ સમસ્યા લાક્ષણિક નહીં પણ વાસ્તવિક છે.