અમેરિકન કોર્ટે ગોધરા કાંડમાં નરેન્દ્ર મોદીને પાઠવ્યું સમન

જાણકારી અનુસાર, ન્યૂયોર્ક સાઉદર્ન ડિસ્ટ્રિક્ટની સંઘીય કોર્ટે 2002ના ગુજરાત રમખાણોમાં નરેન્દ્ર મોદીની કથિત સંડોવણીને લઇને સમન જારી કર્યું છે. આ સમન અમેરિકન જસ્ટિસ સેંટર નામના એક માનવાધિકાર સંગઠનની અરજી પર જારી કરવામાં આવ્યું છે.
પોતાની અરજીમાં માનવાધિકાર સંગઠને નરેન્દ્ર મોદીને નરસંહારના દોષી બતાવ્યા છે. મોદી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમની દેખરેખમાં લોકોને મારવામાં આવ્યા, મહિલાઓ પર બળાત્કાર થયા અને તેમના બાળકોને ઘરવિહોણા કરી દેવામાં આવ્યા.
સંગઠનનું કહેવું છે કે ગુજરાત રમખાણોમાં પીડિતોના અધિકારોનું હનન થયું છે, એવામાં નરેન્દ્ર મોદી પર કાર્યવાહી થવી જોઇએ. સંગઠને રમખાણ પીડિતોને વળતર આપવાની પણ માંગ કરી છે.












Click it and Unblock the Notifications
