ગ્લોબલ પાટીદાર સમિટ 2018: પાટીદાર આંદોલન અંગે CMનો જવાબ
પાટીદારોને મનાવવા માટેના સરકારના પ્રયત્નો શરૂ થઇ ગયાં છે. 5 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2018નું ઉદ્ઘાટન કર્યું હતું.
પાટીદારોને મનાવવા માટેના સરકારના પ્રયત્નો શરૂ થઇ ગયાં છે. 5 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2018નું ઉદ્ઘાટન કર્યું હતું. પાટીદારોના સામાજિક અને આર્થિક વિકાસ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે સીએમ રૂપાણીએ ટ્વીટ કરતાં લખ્યું હતું કે, ગુજરાતના વિકાસમાં પાટીદાર સમાજનો ફાળો વખાણવા યોગ્ય છે. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં 10 હજાર પટેલ વેપારીઓએ હાજરી આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, જીતુ વાઘાણી ઉપરાંત વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ આ સમિટમાં હાજરી આપી હતી.

ગ્લોબલ પાટીદાર સમિટ 2018માં પહોંચેલા સીએમ વિજય રૂપાણીને જ્યારે પાટીદાર આંદોલન અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, હું કોઇ આંદોલન અંગે વાત કરવા નથી માંગતો. વ્યથા નહીં, વ્યવસ્થા એ સાચો રસ્તો છે. એ વ્યવસ્થા માટે જ આ પ્રયત્ન થઇ રહ્યો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 5થી 7 જાન્યુઆરી દરમિયાન આ બિઝનેસ સમિટનું આયોજન થયું હતું. 500થી વધુ વેપારી એકમો દ્વારા 50 હજારથી વધુ વસ્તુઓનું મેગા એક્ઝિબિઝન પણ અહીં યોજવામાં આવ્યું હતું. રવિવારે આ કાર્યક્રમની પૂર્ણાહતિ હતી, જેમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ હાજરી આપી હતી. આ સાથે વર્ષ 2020ની પણ તૈયારી કરવામાં આવી હતી. વર્ષ 2020માં ગાંદીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આ સમિટનું આયોજન થશે, જે માચે અત્યારથી જ મુખ્ય સ્પોન્સર્સે નામ નોંધાવી દીધા છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
