લખીમપુરમાં ચાર લોકોની હત્યા, મંત્રીનો ડ્રાઇવર, 2 ભાજપ કાર્યકર્તા અને એક પત્રકારનો સમાવેશ
ઉત્તર પ્રદેશ ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના ડ્રાઈવર, બે ભાજપના કાર્યકરો અને એક સ્થાનિક રિપોર્ટર ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી ઘટનામાં મૃત્યુ પામેલા નવ લોકોમાં શામેલ છે, જે 3 સપ્ટેમ્બરે ખેડૂતોના વિરોધ બાદ હિંસક બની હતી.
farmer protest : ઉત્તર પ્રદેશ ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના ડ્રાઈવર, બે ભાજપના કાર્યકરો અને એક સ્થાનિક રિપોર્ટર ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી ઘટનામાં મૃત્યુ પામેલા નવ લોકોમાં શામેલ છે, જે 3 સપ્ટેમ્બરના રોજ ખેડૂતોના વિરોધ બાદ હિંસક બની હતી. ડ્રાઇવર હરિ ઓમ મિશ્રા હતા, જેમના વાહન મંત્રીના સહયોગીઓ અનુસાર 3 ઓક્ટોબરના રોજ લખીમપુર ખેરીમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
આ વાહનમાં ભાજપના ઝોનલ ચીફ શ્યામ સુંદર અને બૂથ પ્રમુખ શુભમ મિશ્રા પણ હતા, જેમને ડ્રાઈવર સાથે ખેડૂતોને આંદોલનકારીઓ દ્વારા કથિત રીતે લાકડીઓ અને પથ્થરોથી રીતે મારવામાં આવ્યા હતા. જે બાદમાં તેમના વાહનમાં આગ લગાવી દેવામાં આવી હતી. સાધના ચેનલના સ્થાનિક રિપોર્ટર રમણ કશ્યપ પર પણ સોમવારના રોજ હુમલો કરવામાં આવ્યો હતો અને તે ઘાયલ થયો હતો. તે રવિવારની સાંજથી ગુમ હતો અને સોમવારના રોજ વહેલી સવારે તેમના પરિવારજનોએ તેના મૃતદેહની ઓળખ કરી હતી. જો કે પત્રકાર પર કોણે હુમલો કર્યો તે અંગે હજૂ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
મંત્રી ટેનીના નજીકના કાર્યકરોએ જણાવ્યું હતું કે, આ અથડામણમાં અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને હાલ સ્થાનિક જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્રણ ઘાયલોની ઓળખ સ્થાનિક લોકો દ્વારા લવ કુશ, ટેનીના પૈતૃક ગામ બનવીરપુરના રહેવાસી, તારા નગરના આશિષ અને લખનઉના ડ્રાઈવર શેખર તરીકે કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં લખીમપુર જિલ્લા વહીવટી તંત્રે આ ઘટનામાં મૃત્યુ પામેલા માત્ર ચાર ખેડૂતોના નામની પુષ્ટિ કરી છે, જેમાં 20 વર્ષીય ગુરવિંદર સિંહ, 35 વર્ષીય દલજીત સિંહ, 65 વર્ષીય નક્ષત્ર સિંહ અને પાલિયા કલાનમાં ચૌકરા ફાર્મના 20 વર્ષીય લવપ્રિત સિંહનો સમાવેશ થાય છે.
ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, સમગ્ર લખીમપુર ઘટના ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે, રાજકીય પક્ષોએ જે રીતે સહાનુભૂતિ દર્શાવવાને બદલે ગંદી રાજનીતિ કરવાનું શરૂ કર્યું છે, તે વધુ દુર્ભાગ્યપૂર્ણ છે. સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે અને દોષિત સાબિત થનારાઓને કોઈપણ ભોગે છોડવામાં આવશે નહીં. ઉત્તર પ્રદેશ સરકાર કોઈને પણ છોડશે નહીં, જે આવી જઘન્ય ઘટનામાં જોવા મળશે.
ત્રિપાઠીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ઘટનાના દરેક પાસાની તપાસ કરવાની જરૂર છે. કારણ કે, સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો ફરતા હતા. કોઈપણ પ્રકારની અફવાઓ ફેલાવવી જોઈએ નહીં, તમામ પાસાઓની વૈજ્ઞાનિક રીતે તપાસ થઈ રહી છે અને આપણે બધાએ તપાસના પરિણામોની રાહ જોવી જોઈએ.
એમઓએસ ટેની, જેમના પુત્રએ કથિત રીતે વાહન ચલાવ્યું હતું, જેણે વિરોધ કરતા ખેડૂતોને ધક્કો માર્યો હતો અને લખીમપુર ખેરીમાં નવ લોકોની હત્યા કરી હતી, જણાવ્યું હતું કે, તેમનો પુત્ર ઘટના સ્થળે હાજર ન હતો. ટેનીએ આ ઘટનાની નિંદા કરી અને તેને "ષડયંત્ર" ગણાવ્યું હતું.
મિશ્રાએ જણાવ્યું હતું કે, મારો દીકરો પણ સ્થળ પર હાજર ન હતો. તેની સામેના આરોપો ખોટા છે. તેની અલીબી સાબિત કરતા વીડિયો પુરાવા છે. જ્યારે ટેની લખીમપુર શહેરમાં એક કાર્યક્રમ બાદ પોતાના પૂર્વજોના ગામ તરફ જઈ રહ્યો હતો, ત્યારે હોબાળો મચી ગયો હતો. ખેડૂતોએ તેમના ભાષણમાં કરેલા નિવેદનનો વિરોધ કરવા માટે કાળા ઝંડા બતાવીને એકઠા થયા હતા. કારમી ઘટના બાદ ઘટનાસ્થળે હાજર નારાજ ખેડૂતોએ મંત્રીના કાફલા સાથે જોડાયેલા વાહનને કથિત રીતે સળગાવી દીધું હતું.
મિશ્રાએ દાવો કર્યો હતો કે, આશિષ 3 ઓક્ટોબરની સવારે 11 વાગ્યાથી તેમના પૂર્વજોના ગામમાં આયોજિત કાર્યક્રમમાં હતો. તેમને 11 વાગ્યાથી ત્યાં હતા. તે ઘરે પણ ન હતા ગયા. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સહિત ઓછામાં ઓછા 2,000 લોકો સ્થળ પર હાજર હતા. જો તે કારમાં હોત તો તેમને પણ મારવામાં આવ્યો હોત.
પોલીસે સોમવારના રોજ મંત્રી ટેનીના પુત્ર આશિષ મિશ્રા અને અન્ય 13 સામે હત્યા અને તોફાનોનો કેસ નોંધ્યો હતો. પોલીસ દ્વારા લખીમપુર ખેરી હિંસા પર 302 (હત્યા), 120 બી (ફોજદારી કાવતરું) અને 147 (હુલ્લડ) ની કલમો લગાવવામાં આવી છે.