સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી મોદીએ આપ્યો પાકિસ્તાનને જવાબ
મોદીએ પાકિસ્તાનમાં આતંકવાદીઓને આશ્રય આપવાના મુદ્દાને પણ આડકતરી રીતે ઊઠાવ્યો, મોદીએ જણાવ્યું કે 'કેટલાંક દેશો આતંકવાદીઓને આશ્રય આપે છે અને વિચારે છે કે આતંકવાદ તેમના માટે હથિયાર છે. આ દેશો જ્યારે ગુડ ટેરરિઝમ અને બેડ ટેરરિઝમની વાત કરે છે ત્યારે આતંકવાદ સામેના આપણા અભિયાન પર સવાલ પેદા થાય છે.' મોદીએ પાકિસ્તાની વડાપ્રધાન શરીફ દ્વારા કાશ્મીર મુદ્દા પર જનમત સંગ્રહની માંગ પર કડક અને સ્પષ્ટ જવાબ આપતા દુનિયાની સામે એક મજબૂત રાષ્ટ્ર તરીકેનું ઉદાહરણ આપ્યું છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતા મોદીએ પાકિસ્તાનને બે ટૂક શબ્દોમાં જણાવ્યું કે આ મંચ પર વાત ઉઠાવવાથી કંઇ થવાનું નથી. પાકિસ્તાનને સલાહ આપતા જણાવ્યું કે સારુ રહેત કે તે કાશ્મીર પૂર પીડિતો પર ધ્યાન આપતા. મોદીએ જણાવ્યું કે અમે અમારા પડોશી દેશો સાથે સારા સંબંધ ઇચ્છીએ છીએ, પરંતુ પાકિસ્તાનનું પણ એ દાયિત્વ છે કે તે વાતચિત માટે યોગ્ય વાતાવરણ ઊભુ કરે. મોદીએ એમ પણ કહ્યું કે કાશ્મીરનો મુદ્દો આ મંચ પર ઊઠાવવાથી સમાધાનના પ્રયાસો કેટલા સફળ થશે તેમાં ઘણાને શંકા છે.
નરેન્દ્ર મોદીએ યુએનમાં આપેલ ભાષણને વીડિયોમાં જોવા માટે ક્લિક કરો...