મનીષ સિસોદિયાના ઘરે પહોંચી CBI, ઉપ મુખ્યમંત્રીએ કહ્યુ - 'તપાસમાં સહયોગ કરશે'
CBIની ટીમ શુક્રવારે (19 ઓગસ્ટ) સવારે દિલ્લીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે પહોંચી છે.
નવી દિલ્લીઃ CBIની ટીમ શુક્રવારે (19 ઓગસ્ટ) સવારે દિલ્લીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે પહોંચી છે. મનીષ સિસોદિયાએ પોતે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ જાણકારી ટ્વીટ કરી છે. મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને લખ્યું, 'CBI આવી ગઈ છે. તેમનું સ્વાગત છે. અમે કટ્ટર પ્રમાણિક છીએ, લાખો બાળકોના ભવિષ્યનુ નિર્માણ કરીએ છીએ. આપણા દેશમાં સારુ કામ કરનારાઓને આ રીતે હેરાન કરવામાં આવે છે તે ખૂબ જ દૂર્ભાગ્યપૂર્ણ છે. તેથી જ આપણો દેશ હજુ નંબર-1 બન્યો નથી.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર CBIએ દિલ્લી અને NCRમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને દિલ્લીના તત્કાલીન એક્સાઇઝ કમિશનર આરવ ગોપી કૃષ્ણા સહિત 21 સ્થળો પર દરોડા પાડ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે સીબીઆઈનો આ દરોડો દિલ્લી સરકારની એક્સાઈઝ નીતિને લઈને પડ્યો છે. હકીકતમાં તાજેતરમાં દિલ્લીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાએ સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. મુખ્ય સચિવના રિપોર્ટ બાદ LGએ આ પગલું ભર્યુ હતુ. આ રિપોર્ટમાં મનીષ સિસોદિયાની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે દિલ્લીનુ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ મનીષ સિસોદિયાને આધીન છે.
હવે મનીષ સિસોદિયાએ પોતે ટ્વીટ કરીને સીબીઆઈના દરોડાની માહિતી આપી છે. મનીષ સિસોદિયાએ લખ્યુ, 'CBI આવી ગઈ છે. તેમનું સ્વાગત છે. અમે કટ્ટર પ્રમાણિક છીએ, લાખો બાળકોના ભવિષ્યનું નિર્માણ કરીએ છીએ. આપણા દેશમાં સારુ કામ કરનારાઓને આ રીતે હેરાન કરવામાં આવે છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તેથી જ આપણો દેશ હજુ નંબર-1 બન્યો નથી.
બીજા અને ત્રીજા ટ્વિટમાં તેમણે લખ્યુ કે, 'અમે સીબીઆઈનું સ્વાગત કરીએ છીએ. તપાસમાં સંપૂર્ણ સહકાર આપશુ જેથી સત્ય જલ્દી બહાર આવી શકે. અત્યાર સુધી મારા પર ઘણા કેસ દાખલ થયા છે પરંતુ કંઈ બહાર આવ્યું નથી. તેમાંથી પણ કશુ નીકળશે નહિ. દેશમાં સારા શિક્ષણ માટે મારુ કામ રોકી શકાશે નહિ. આ લોકો દિલ્લીના શિક્ષણ અને સ્વાસ્થ્યના અદ્ભુત કામથી પરેશાન છે. તેથી જ દિલ્લીના આરોગ્ય મંત્રી અને શિક્ષણ મંત્રીની ધરપકડ કરવામાં આવી છે જેથી કરીને શિક્ષણ આરોગ્યના સારા કામને અટકાવી શકાય. અમારા બંને પર ખોટા આરોપો છે. કોર્ટમાં સત્ય બહાર આવશે.
અરવિંદ કેજરીવાલે સાધ્યુ નિશાન
ડેપ્યુટી
સીએમ
મનીષ
સિસોદિયાના
ઘર
પર
સીબીઆઈના
દરોડા
બાદ
દિલ્લીના
સીએમ
અરવિંદ
કેજરીવાલે
પણ
બે
ટ્વિટ
કર્યા
છે.
કેજરીવાલે
લખ્યુ,
'જે
દિવસે
દિલ્લી
એજ્યુકેશન
મોડલના
વખાણ
થયા
અને
અમેરિકાના
સૌથી
મોટા
અખબાર
NYTના
પહેલા
પાના
પર
મનીષ
સિસોદિયાની
તસવીર
છપાઈ,
તે
જ
દિવસે
કેન્દ્રએ
CBIને
મનીષના
ઘરે
મોકલી.
સીબીઆઈમાં
આપનુ
સ્વાગત
છે.
સંપૂર્ણ
સહકાર
આપીશુ.
ભૂતકાળમાં
પણ
ઘણા
પરીક્ષણો/દરોડાઓ
થયા
છે.
કંઈ
બહાર
આવ્યુ
નહિ.
હજુ
પણ
કંઈ
બહાર
આવશે
નહિ.
એટલું
જ
નહીં
અન્ય
એક
ટ્વિટમાં
લખ્યુ
છે
કે,
'આખી
દુનિયા
દિલ્લીના
શિક્ષણ
અને
સ્વાસ્થ્ય
મોડલની
ચર્ચા
કરી
રહી
છે,
તેઓ
આને
રોકવા
માંગે
છે.
એટલા
માટે
દિલ્લીના
આરોગ્ય
અને
શિક્ષણ
મંત્રીઓ
પર
દરોડા
અને
ધરપકડ
કરવામાં
આવી
રહી
છે.
75
વર્ષમાં
જેણે
પણ
સારુ
કામ
કરવાનો
પ્રયાસ
કર્યો
તેને
રોકી
દેવામાં
આવ્યા.
જેના
કારણે
ભારત
પાછળ
છે.
દિલ્લીના
સારા
કાર્યોને
રોકવા
નહિ
દઈએ.