અચ્યુતાનંદનનો જન્મ 1923માં કેરળના અલાપ્પુઝામાં શંકરન અને અક્કમ્માને ઘરે થયો હતો. તેમણે ખૂબ જ નાની ઉંમરમાં પોતાના માતા-પિતાને ગુમાવી દીધા અને તેમને 11 વર્ષની ઉંમરમાં પોતાનો અભ્યાસ છોડી દેવો પડ્યો. તેમણે જાતે પોતાની દેખભાળ કરવી પડી અને પોતાના ભાઈ સાથે સિલાઈની દુકાનમાં કામ કરવાનું શરૂ કરી દીધુ. ત્યાર બાદ તેમણે એક મજૂર તરીકે કાથીના કારખાનામાં કામ કર્યુ. અચ્યુતાનંંદન વેપાર યુનિયનના સક્રિય સભ્ય હતા અને તેમણે તેને રાજકારણમાં પ્રવેશવા માટે એક મંચ બનાવી લીધુ. તેઓ એક લોકપ્રિય જનનેતા બની વિકસ્યા. રાજકારણમાં અખંડતા લાવવા માટે તેમનું સન્માન કરાય છે. તેઓ કેરળના પૂર્વ મુખ્યમંત્રી(2006-20011) પણ છે અને વર્તમાનમાં 2011ના વિપક્ષના નેતા હતા. બાળપણમાં અચ્યુતાનંદન સંગઠિત જીવનમાં દ્રઢતામાં વિશ્વાસ રાખે છે. તેમણે હંમેશા ભ્રષ્ટાચાર વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવ્યો. તેઓ પોતાના સમર્પણ અને સાદગી માટે ઓળખાય છે. અચ્યુતાનંદન હંમેશા ખેડૂતો અને તેમના ભૂમિ રક્ષણ માટે સૌથી આગળ રહ્યા છે અને સ્વતંત્રતા આંદોલનમાં પણ ભાગ લીધો. જે માટે તેઓ 1946માં જેલમાં પણ ગયા. 1967માં ઈએમએસ દ્વારા પસાર કરેલો જમીન સુધારણા કાયદો લાગુ કરવા માટે અચ્યુતાનંદન 1970માં કેરળમાં ભૂમિ સંઘર્ષમાં સૌથી આગળ રહ્યા.
| આખું નામ | વી.એસ અચ્યુતાનંંદન |
| જન્મતારીખ | 20 Oct 1923 (ઉમર 102) |
| જન્મસ્થળ | અલપ્પુઝા |
| પાર્ટીનું નામ | Communist Party Of India (marxist) |
| ભણતર | 5th Pass |
| વ્યવસાય | સામાજીક કાર્યકર્તા |
| પિતાનું નામ | શંકરન |
| માતાનું નામ | અકમ્મા |
| જીવનસાથીનું નામ | કે.વસુમથી |
| જીવનસાથીનો વ્યવસાય | પેન્શનર (રાજ્ય સેવામાંથી નિવૃત્ત) |
| સંતાન | 1 પુત્ર 1 પુત્રી |
Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.