Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સોનિયા ગાંધી

સોનિયા ગાંધી
સોનિયા ગાંધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ છે. તેઓ સત્તારૂઢ ગઠબંધન, સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધનની સંકલનકાર સમિતિના અધ્યક્ષ છે.
By Rashmi | Monday, April 29, 2019, 03:21:19 PM [IST]

સોનિયા ગાંધી જીવનચરિત્ર

સોનિયા ગાંધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ છે. તેઓ સત્તારૂઢ ગઠબંધન, સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધનની સંકલનકાર સમિતિના અધ્યક્ષ છે. શ્રીમતી ગાંધીનો જન્મ ૯ ડિસેમ્બર ૧૯૪૬ ના રોજ ઈટલીમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ પૂરું થયા બાદ તેમણે વિદેશી ભાષાની શાળામાં પ્રવેશ લીધો જ્યાં તેઓએ અંગ્રેજી, ફ્રેન્ચ તેમજ રુસી ભાષાનો અભ્યાસ કર્યો. કેમ્બ્રિજમાં જયારે તેઓ અંગ્રેજી ભાષાનો કોર્સ કરી રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત રાજીવ ગાંધી સાથે થઈ. ૧૯૬૮ માં નવી દિલ્હી ખાતે તેમનાં લગ્ન સંપન્ન થયા. તેમને એક દિકરો રાહુલ અને દિકરી પ્રિયંકા તેમજ બે પૌત્રીઓ છે. શ્રીમતી ગાંધીના જીવનની વાત કરીએ તો તેઓએ એમનું મહત્તમ જીવન એક સામાન્ય વ્યક્તિની જેમ પરિવારની દેખભાળ કરવામાં વ્યતિત કર્યુ. તેઓ તેમનાં સાસુ ઈન્દિરા ગાંધીનાં અનેક અધિકૃત કાર્ય દરમિયાન એક સાથી તરીકે સતત સાથે રહ્યા છે.

૧૯૮૪ થી ૧૯૯૧ દરમિયાન જ્યારે તેમનાં પતિ પ્રધાનમંત્રી હતાં અને ત્યારબાદ જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા બન્યાં ત્યારે સોનિયા ગાંધી દેશ વિદેશના તેમનાં પ્રવાસ દરમિયાન તેઓની સાથે રહ્યા હતાં. તદ્ઉપરાંત સોનિયા ગાંધીએ ઉત્તરપ્રદેશની સાંસદીય બેઠક અમેઠીમાં સ્વાસ્થ્ય શિબિર તેમજ અન્ય કલ્યાણકારી પ્રવૃત્તિઓ પર પોતાનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું

મે, ૧૯૯૧માં તેમનાં પતિ રાજીવ ગાંધીની હત્યા બાદ, તેઓએ બિન-સરકારી સંગઠન, રાજીવ ગાંધી ફાઉન્ડેશન અને તે સંબંધિત વિચારસરણી યુક્ત રાજીવ ગાંધી ઈન્સ્ટીટ્યુટ ફોર કન્ટેમ્પરરી સ્ટડીઝની સ્થાપના કરી. તેઓએ અધ્યક્ષનાં રૂપે દરેક પ્રવૃત્તિમાં ખુદને એ રીતે વ્યસ્ત કર્યા છે કે તેમનાં પતિ રાજીવ ગાંધીના વારસાની યાદ અપાવે છે. તદુપરાંત તેઓ અનેક બિન સરકારી સંગઠનોનું પણ નેતૃત્વ કરી રહ્યા છે.

૧૯૯૮ માં લોકસભાની ચૂંટણી પૂર્વે, કોંગ્રેસ પાર્ટીનાં ક્રમાંક અને ફાઈલની વ્યાપક માંગના પ્રત્ત્યુત્તરમાં તેઓએ જાહેરજીવનમાં ફરીવાર પ્રવેશ કર્યો. તેઓએ પક્ષ તરફથી ખૂબ ઉત્સાહપૂર્વક અભિયાન ચલાવ્યું અને એપ્રિલ ૧૯૯૮માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનાં અધ્યક્ષ બન્યાં.

૧૯૯૯ માં પહેલી વાર શ્રીમતી ગાંધીની પસંદગી સંસદીય ક્ષેત્ર "અમેઠી" ના સાંસદ સભ્ય તરીકે થઈ, ત્યારબાદ તેઓ લોકસભામાં વિપક્ષનાં નેતા બન્યાં. ૨૦૦૪ની સામાન્ય ચૂંટણીઓમાં તેઓએ પક્ષનાં ચૂંટણી અભિયાનનું નેતૃત્વ કર્યું જેના પરિણામ સ્વરૂપે સૌથી વધુ સીટો પ્રાપ્ત કરવામાં સફળતા મળી. જેના કારણે કોંગ્રેસ પક્ષ સંયુક્ત સરકાર (યુપીએ) રચવામાં સફળ રહી.આ ચૂંટણી દરમિયાન ઉત્તરપ્રદેશમાં રાયબરેલીના સંસદીય સભ્ય તરીકે તેઓની પસંદગી કરવામાં આવી હતી.

કોંગ્રેસ પક્ષે સર્વ સંમતિથી સંસદનાં નેતા સ્વરૂપે તેઓની પસંદગી કરી અને તેઓ પ્રધાનમંત્રી તરીકે શપથ લે એવી આશા હતી. પરંતુ તેઓએ સંયુક્ત સરકારના નેતૃત્વ માટે પદ સ્વીકારવાનો ઈન્કાર કરતા ડો. મનમોહન સિંહની વરણી કરવામાં આવી. સોનિયા ગાંધી સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધનના અધ્યક્ષ ઉપરાંત સાંસદમાં કોંગ્રેસ પક્ષના નેતા છે.

મે ૨૦૦૬ સુધી તેઓ રાષ્ટ્રીય સલાહકાર પરિષદ (એનએસી) ના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે, એક એવો મંચ કે જેને સામાજિક- આર્થિક ક્ષેત્રો અંગે સરકારને સમયાંતરે ભલામણો કરી હતી. રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન, મિડ ડે મીલ સ્કીમ, જવાહરલાલ નહેરુ શહેરી નવીનીકરણ મિશન અને રાષ્ટ્રીય પુનર્વાસ નીતિ, આ એ ભલામણો છે જેના પર અધિકૃત કાર્યવાહી કરવામાં આવી હતી.

વધુ વાંચો

સોનિયા ગાંધી અંગત જીવન

આખું નામ સોનિયા ગાંધી
જન્મતારીખ 09 Dec 1946 (ઉમર 79)
જન્મસ્થળ વિસેંજા, ઈટલી
પાર્ટીનું નામ Indian National Congress
ભણતર Others
વ્યવસાય રાજનીતિજ્ઞ
પિતાનું નામ સ્ટીફનો માઈનો
માતાનું નામ પાઓલા માઈનો
જીવનસાથીનું નામ સ્વ.શ્રી રાજીવ ગાંધી
જીવનસાથીનો વ્યવસાય પૂર્વ પ્રધાનમંત્રી
સંતાન 1 પુત્ર 1 પુત્રી
ધર્મ હિન્દુ

સોનિયા ગાંધી કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹12.54 CRORE
સંપત્તિ
₹12.54 CRORE
જવાબદારીઓ
N/A

સોનિયા ગાંધી વિશે રસપ્રદ તથ્યો

૧) બાળપણમાં તેઓ ફૂટબોલમાં વિશેષ રસ ધરાવતા હતાં તેમજ તેઓ પાડોશમાં બાળકો જોડે ફૂટબોલ પણ રમતા. લગ્ન પૂર્વે તેઓ વેલિંગ્ટન ક્રિસેન્ટ હાઉસમાં બચ્ચન પરિવાર જોડે રહ્યા હતાં.

૨) ૨૬ જાન્યુઆરી ૧૯૬૮(ભારત પ્રજાસત્તાક દિવસ) ના રોજ તેમની સગાઈ રાજીવ ગાંધી સાથે થઈ અને ૨૫ ફેબ્રુઆરી ૧૯૬૮ વસંત પંચમીના દિવસે તેમના લગ્ન થયા, જણાવી દઈએ કે દાયકા પૂર્વે આ જ દિવસે ઈન્દિરા અને ફિરોઝ ગાંધીના પણ લગ્ન થયા હતાં.

૩) તેમનો મહેંદી સમારંભ (લગ્નના એક દિવસ પહેલા) બચ્ચન પરિવારને ત્યાં યોજવામાં આવ્યો હતો.

૪) લગ્ન પહેલાં તેઓ ફ્રેન્ચ જાણતાં હતાં અને ત્યારબાદ તેમણે હિન્દી શીખી, શરૂઆતમાં ઘરે એક શિક્ષક દ્વારા અને બાદમાં એક સંસ્થામાં શીખ્યા.

૫) તેઓએ બે પુસ્તક લખ્યા છે- રાજીવ અને રાજીવની દુનિયા.તેઓેએ ૧૯૯૨ થી ૧૯૬૪ દરમિયાન પંડિત જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધી વચ્ચે થયેલા બે પત્રોનું સંપાદન કર્યું, જેના નામ ઉપક્રમે "ફ્રિડમ્સ ડોટર" તેમજ "ટુ અલોન, ટુ ટુગેધર" છે.

૬) તેઓ પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ, વંચિત લોકો, ખાસ કરીને મહિલાઓ અને બાળકોના કલ્યાણ સંબંધિત મુદ્દાઓમાં વધુ રસ ધરાવે છે.

૭) તેમની અન્ય રૂચિઓમાં સમકાલીન ભારતને વાંચવું, શાસ્ત્રીય અને આદિવાસી કળાઓ,હસ્તશિલ્પ, લોક સંગીત તેમજ શાસ્ત્રીય સંગીતનો સમાવેશ થાય છે. તેઓએ નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સંગ્રહાલય ખાતેથી ઓઈલ પેઈન્ટીંગ સંરક્ષણમાં ડિપ્લોમા કર્યું છે.

સોનિયા ગાંધી ની રાજકીય સમયરેખા

  • 2014: ૨૦૧૪ ની લોકસભા ચૂંટણી દરમિયાન ચોથા કાર્યકાળ માટે તેઓ રાયબરેલી ખાતેથી લોકસભા બેઠક જીત્યાં.
  • 2009: ૨૦૦૯ લોકસભા ચૂંટણી દરમિયાન તેઓને ત્રીજા કાર્યકાળ માટે રાયબરેલી ચૂંટણી ક્ષેત્રે ફરીવાર પસંદ કરવામાં આવ્યાં.
  • 2004: તેઓ તેમનાં ચૂંટણી ક્ષેત્ર રાયબરેલી ઉત્તરપ્રદેશથી ફરીવાર પસંદગી પામ્યા.
  • 2004: ૨૦૦૪ ની લોકસભા ચૂંટણી દરમિયાન તેઓ રાયબરેલી ઉત્તરપ્રદેશની બેઠક પરથી જીત્યા.૧૬ મે ૨૦૦૪માં સંયુક્ત રાષ્ટ્ર પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) હેઠળ તેઓની નેતા તરીકે વરણી કરવામાં આવી.
  • 1999: તેઓ તેરમી લોકસભામાં વિપક્ષના નેતા તરીકે પસંદગી પામ્યાં.
  • 1999: અમેઠી ઉત્તરપ્રદેશ અને બેલ્લારી કર્ણાટક ખાતેથી તેઓ લોકસભા ચૂંટણીમાં ઉભા રહયા અને બે બેઠકો જીત્યા.
  • 1998: તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના નેતા બન્યાં.
  • 1997: સોનિયા ગાંધી એક પ્રાથમિક સભ્ય તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં દાખલ થયા.

સોનિયા ગાંધી ની સિદ્ધિઓ

૧) ૨૦૦૪-૨૦૧૪ દરમિયાન શ્રીમતી ગાંધીની ભારતનાં સૌથી શકિતશાળી રાજનેતા તરીકે નોંધ કરવામાં આવી હતી તેમજ વિભિન્ન પત્રિકાઓ દ્વારા સૌથી શક્તિશાળી મહિલાની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

૨) ૨૦૧૩માં ફોર્બ્સ પત્રિકા દ્વારા સોનિયા ગાંધી દુનિયાના ૨૧ સૌથી શકિતશાળી વ્યકિત અને ૯માં સૌથી શક્તિશાળી મહિલાના સ્થાન પર રહ્યા હતાં.

૩) ૨૦૦૭ માં, આ જ પત્રિકામાં તેઓને દુનિયાના ત્રીજા સૌથી શક્તિશાળી મહિલાનું સ્થાન આપવામાં આવ્યું હતું અને ૨૦૦૭માં અનન્ય યાદીમાં છઠ્ઠા સ્થાન પર રહ્યા હતાં.

૪) ૨૦૧૦માં, ફોર્બ્સ પત્રિકા દ્વારા શ્રીમતી ગાંધી સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે નવમાં સ્થાન પર રહ્યા. ૨૦૧૨માં તેમને "શક્તિશાળી લોકો" ની યાદીમાં ૧૨મું પ્રાપ્ત કર્યુ હતું.

૫) વર્ષ ૨૦૦૭ અને ૨૦૦૮ માં સોનિયા ગાંધીને સૌથી વધુ પ્રભાવશાળી ૧૦૦ વ્યક્તિઓમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત "ન્યુ સ્ટેટ્સમૈન" એ વર્ષ ૨૦૧૦માં સોનિયા ગાંધીને ૫૦ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં બીજું સ્થાન આપ્યુ હતું.

૬) ૨૦૦૮ માં તેમને મદ્રાસ વિશ્વવિદ્યાલય ખાતે માનદ્ ડોક્ટરેટની (સાહિત્ય) ની પદવી એનાયત કરવામાં આવી હતી.

૭) ૨૦૦૬ માં તેઓને બ્રસેલ્સ વિશ્વવિદ્યાલય ખાતેથી માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી.

૮) ૨૦૦૬ માં તેઓને બેલ્જીયમ સરકાર દ્વારા કિંગ લિયોપોલ્ડના ઓર્ડર હેઠળ સન્માનિત કરાયા હતા.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+