અસદુદ્દીન ઓવૈસી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-આત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના અધ્યક્ષ છે. અસ્માનિયા વિશ્વવિદ્યાલાયથી બૈચલર ઓફ આર્ટસમાં સ્નાતકનો અભ્યાસ પૂરોં કર્યા બાદ તેઓ ઉચ્ચ અધ્યયન માટે લંડન જતા રહ્યા. તેમણે લંડનમાં લિંકન ઈનમાં બેચલર ઓફ લૉજ અને બૈરિસ્ટર-એટ-લૉનું અધ્યયન કર્યુ અને વકીલ બની ગયા. તેમના ઘરનું નામ નકીબ-એ-મિલત કાયદ છે અને તેમને અસદ ભાઈના નામથી ઓળખવામાં આવે છે. તેમનું રાજકારણ મુસલામાનો અને દલિતો તેમજ અલ્પસંખ્યકોની આસપાસ કેન્દ્રિત હતુ. ઓવૈસી પોતાના રાજકારણને કારણે અને પોતાના ભાષણોને કારણે વિવાદોમાં અને સમાચારમાં રહે છે. ઉપરાંત ઓવૈસી હૈદરાબાદ સ્થિત ઓવૈસી હૉસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના અધ્યક્ષ છે. આ હૉસ્પિટલમાં ઓછા ખર્ચે ચિકિત્સા સેવા પ્રદાન કરાય છે. તેમની વિચારધારાની વાત કરીએ તો તેઓ હંમેશા સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાનોમાં પછાત મુસલમાનોના આરક્ષણનું સમર્થન કરે છે. તેઓ હંમેશા કહે છે કે તે હિંદુત્વની વિચારધારાની વિરુદ્ધ છે, જો કે હિંદુઓની વિરુદ્ધ નથી.
| આખું નામ | અસદુદ્દીન ઓવૈસી |
| જન્મતારીખ | 13 May 1969 (ઉમર 56) |
| જન્મસ્થળ | હૈદરાબાદ |
| પાર્ટીનું નામ | All India Majlis-e-ittehadul Muslimoon |
| ભણતર | Graduate Professional |
| વ્યવસાય | વકીલ, રાજનેતા |
| પિતાનું નામ | સુલ્તાન સલાઉદ્દીન ઓવૈસી |
| માતાનું નામ | નજમુન્નિસા બેગમ |
| જીવનસાથીનું નામ | ફરહીન ઓવૈસી |
| જીવનસાથીનો વ્યવસાય | ગૃહિણી |
| સંતાન | 1 પુત્ર 5 પુત્રી |
| ધર્મ | ઇસ્લામ |
| વેબસાઈટ | http://www.asadowaisi.com/ |
Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.