અરવિંદ કેજરીવાલ ભારતીય રાજકારણના એક લોકપ્રિય રાજનેતા અને લોકપ્રિય સામાજીક કાર્યકર્તા છે. તેમનો જન્મ હરિયાણાના એક સુદૂરવર્તી ગામમાં થયો હતો. બાળપણમાં તેઓ એક ઉજ્જવળ વિદ્યાર્થી તરીકે તેમણે પહેલા જ પ્રયત્ને પરીક્ષા પાસ કરી અને પશ્ચિમ બંગાળમાં આઈઆઈટી ખડગપુરમાં એડમિશન મેળવ્યુ અને તેમણે મિકેનિકલ ઈન્જીનિયરિંગ પસંદ કર્યુ. પોતાની ડિગ્રી પૂરીં કર્યા બાદ તેમણે ટાટા સ્ટીલમાં નોકરી મેળવી, જો કે જલ્દી જ દિલની વાત માનતા તેમણે સિવિલ સર્વિસિની તૈયારી કરવા માટે નોકરી છોડી દીધી. તેમને બે મહિના સુધી મધર ટેરેસા સાથે તેમના કાલીઘાટ આશ્રમમાં કામ કરવાની તક મળી. તેમણે 1993માં સિવિલ સેવા પરીક્ષા પાસ કરી અને ભારતીય રાજસ્વ સેવામાં શામેલ થઈ ગયા. 1995માં તેમણે પોતાની 1993ની આઈઆરએસ બેચની સુનિતા સાથે લગ્ન કરી લીધા.
તેઓ સામાજીક ક્ષેત્રે ત્યારે દેખાવા લાગ્યા જ્યારે તેમણે 1999માં નકલી રેશનિંગ કાર્ડ ગોટાળાને ઉજાગર કરવા માટે અને સામાજીક કારણો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે 2006માં પોતાની નોકરીમાંથી રાજીનામું આપી દીધુ અને પબ્લિક કૉઝ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરી.
તેમનું સામાજીક જીવન ત્યારે ખીલી ઉઠ્યુ જ્યારે તેમણે 1999માં પરિવર્તન નામક એક આંદોલનની શરૂઆત કરી. કેજરીવાલની લોકપ્રિયતા 2010માં વધી જ્યારે 2010માં લોકપાલ બિલને પાસ કરાવવા માટે તેમણે પ્રચાર કરતા પ્રમુખ સામાજીક કાર્યકર્તા અન્ના હજારે સાથે ખુદને જોડી દીધા. અન્ના હજારે સાથે તેમના મતભેદો લોકપ્રિય બન્યા. ભ્રષ્ટાચાર વિરુદ્ધ લોકપ્રિય ભારતનું રાજનીતિકરણ કરવું કે નહિં તે સંબંધમાં તેમણે આમ આમદી પાર્ટી(આપ)નામની પોતાની રાજનૈતિક પાર્ટીની સ્થાપના કરી અને 2013માં દિલ્હી વિધાનસભા ચૂંટણી લડી અને તેમની પાર્ટીએ 70માંથી 28 સીટો જીતી. કોંગ્રેસ સાથે સમર્થન કરી તેમણે સરકાર બનાવી અને દિલ્હીના મુખ્યમંત્રીના શપથ લીધા. જો કે તેમણે માત્ર 49 દિવસોમાં તેમણે જન લોકપાલની તાલિકામાં વિફળતાનો હવાલો આપતા રાજીનામું આપી દીધુ.
દિલ્હીમાં વર્તમાનમાં પ્રચલિત શાસન સાથે તેમણે ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્રમોદીની વિરુદ્ધ વારાણસી મત વિસ્તારથી 16મી લોકસભા ચૂંટણી લડી અને તેમાં તેઓ હારી ગયા. તેમની પાર્ટીને 2015માં દિલ્હી વિધાનસભા ચૂંટણી લડી અને 70 સીટોમાંથી 67 સીટો પર જીત હાંસલ કરી અને તેમણે ફરી દિલ્હીના 7માં મુખ્યમંત્રી તરીકે પોતાનો કાર્યભાળ સંભાળ્યો.
પોતાના અદ્વિતિય રાજનૈતિક વિચારો અને સાર્વજનિક સેવા માટે ઉત્સાહ સાથે કેજરીવાલ ભારતીય રાજકારણમાં પોતાનું કદ વધારતા ગયા.
| આખું નામ | અરવિંદ કેજરીવાલ |
| જન્મતારીખ | 16 Aug 1968 (ઉમર 57) |
| જન્મસ્થળ | સિવાની, ભિવાની જિલ્લો, હરિયાણા, ભારત |
| પાર્ટીનું નામ | Aam Aadmi Party |
| ભણતર | Graduate Professional |
| વ્યવસાય | કાર્યકર્તા, રાજનેતા |
| પિતાનું નામ | ગોવિંદરામ કેજરીવાલ |
| માતાનું નામ | ગીતા દેવી |
| જીવનસાથીનું નામ | સુનિતા કેજરીવાલ |
| જીવનસાથીનો વ્યવસાય | આઈઆરએસ ઓફિસર |
| સંતાન | 1 પુત્ર 1 પુત્રી |
| ધર્મ | હિન્દુ |
| વેબસાઈટ | http://aamaadmiparty.org/ |
Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.