Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલ ભારતીય રાજકારણના એક લોકપ્રિય રાજનેતા અને લોકપ્રિય સામાજીક કાર્યકર્તા છે. તેમનો જન્મ હરિયાણાના એક સુદૂરવર્તી ગામમાં થયો હતો.
By Zainab Ashraf | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

અરવિંદ કેજરીવાલ જીવનચરિત્ર

અરવિંદ કેજરીવાલ ભારતીય રાજકારણના એક લોકપ્રિય રાજનેતા અને લોકપ્રિય સામાજીક કાર્યકર્તા છે. તેમનો જન્મ હરિયાણાના એક સુદૂરવર્તી ગામમાં થયો હતો. બાળપણમાં તેઓ એક ઉજ્જવળ વિદ્યાર્થી તરીકે તેમણે પહેલા જ પ્રયત્ને પરીક્ષા પાસ કરી અને પશ્ચિમ બંગાળમાં આઈઆઈટી ખડગપુરમાં એડમિશન મેળવ્યુ અને તેમણે મિકેનિકલ ઈન્જીનિયરિંગ પસંદ કર્યુ. પોતાની ડિગ્રી પૂરીં કર્યા બાદ તેમણે ટાટા સ્ટીલમાં નોકરી મેળવી, જો કે જલ્દી જ દિલની વાત માનતા તેમણે સિવિલ સર્વિસિની તૈયારી કરવા માટે નોકરી છોડી દીધી. તેમને બે મહિના સુધી મધર ટેરેસા સાથે તેમના કાલીઘાટ આશ્રમમાં કામ કરવાની તક મળી. તેમણે 1993માં સિવિલ સેવા પરીક્ષા પાસ કરી અને ભારતીય રાજસ્વ સેવામાં શામેલ થઈ ગયા. 1995માં તેમણે પોતાની 1993ની આઈઆરએસ બેચની સુનિતા સાથે લગ્ન કરી લીધા.

તેઓ સામાજીક ક્ષેત્રે ત્યારે દેખાવા લાગ્યા જ્યારે તેમણે 1999માં નકલી રેશનિંગ કાર્ડ ગોટાળાને ઉજાગર કરવા માટે અને સામાજીક કારણો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે 2006માં પોતાની નોકરીમાંથી રાજીનામું આપી દીધુ અને પબ્લિક કૉઝ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરી.

તેમનું સામાજીક જીવન ત્યારે ખીલી ઉઠ્યુ જ્યારે તેમણે 1999માં પરિવર્તન નામક એક આંદોલનની શરૂઆત કરી. કેજરીવાલની લોકપ્રિયતા 2010માં વધી જ્યારે 2010માં લોકપાલ બિલને પાસ કરાવવા માટે તેમણે પ્રચાર કરતા પ્રમુખ સામાજીક કાર્યકર્તા અન્ના હજારે સાથે ખુદને જોડી દીધા. અન્ના હજારે સાથે તેમના મતભેદો લોકપ્રિય બન્યા. ભ્રષ્ટાચાર વિરુદ્ધ લોકપ્રિય ભારતનું રાજનીતિકરણ કરવું કે નહિં તે સંબંધમાં તેમણે આમ આમદી પાર્ટી(આપ)નામની પોતાની રાજનૈતિક પાર્ટીની સ્થાપના કરી અને 2013માં દિલ્હી વિધાનસભા ચૂંટણી લડી અને તેમની પાર્ટીએ 70માંથી 28 સીટો જીતી. કોંગ્રેસ સાથે સમર્થન કરી તેમણે સરકાર બનાવી અને દિલ્હીના મુખ્યમંત્રીના શપથ લીધા. જો કે તેમણે માત્ર 49 દિવસોમાં તેમણે જન લોકપાલની તાલિકામાં વિફળતાનો હવાલો આપતા રાજીનામું આપી દીધુ.

દિલ્હીમાં વર્તમાનમાં પ્રચલિત શાસન સાથે તેમણે ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્રમોદીની વિરુદ્ધ વારાણસી મત વિસ્તારથી 16મી લોકસભા ચૂંટણી લડી અને તેમાં તેઓ હારી ગયા. તેમની પાર્ટીને 2015માં દિલ્હી વિધાનસભા ચૂંટણી લડી અને 70 સીટોમાંથી 67 સીટો પર જીત હાંસલ કરી અને તેમણે ફરી દિલ્હીના 7માં મુખ્યમંત્રી તરીકે પોતાનો કાર્યભાળ સંભાળ્યો.

પોતાના અદ્વિતિય રાજનૈતિક વિચારો અને સાર્વજનિક સેવા માટે ઉત્સાહ સાથે કેજરીવાલ ભારતીય રાજકારણમાં પોતાનું કદ વધારતા ગયા.

વધુ વાંચો

અરવિંદ કેજરીવાલ અંગત જીવન

આખું નામ અરવિંદ કેજરીવાલ
જન્મતારીખ 16 Aug 1968 (ઉમર 57)
જન્મસ્થળ સિવાની, ભિવાની જિલ્લો, હરિયાણા, ભારત
પાર્ટીનું નામ Aam Aadmi Party
ભણતર Graduate Professional
વ્યવસાય કાર્યકર્તા, રાજનેતા
પિતાનું નામ ગોવિંદરામ કેજરીવાલ
માતાનું નામ ગીતા દેવી
જીવનસાથીનું નામ સુનિતા કેજરીવાલ
જીવનસાથીનો વ્યવસાય આઈઆરએસ ઓફિસર
સંતાન 1 પુત્ર 1 પુત્રી
ધર્મ હિન્દુ
વેબસાઈટ http://aamaadmiparty.org/

અરવિંદ કેજરીવાલ કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹4.24 CRORE
સંપત્તિ
₹4.24 CRORE
જવાબદારીઓ
N/A

અરવિંદ કેજરીવાલ વિશે રસપ્રદ તથ્યો

અરવિંદ કેજરીવાલ સાદગીમાં વિશ્વાસ ધરાવે છે અને શાકાહારી છે. અધ્યયનશીલ હોવાની સાથે તેઓ બોલીવુડ અભિનેતા આમિર ખાનના પ્રશંસક છે. તેમને કોમેડિ ફિલ્મો જોવી ગમે છે. તેમને પોતાનું દરેક કામ જાતે કરવું ગમે છે. ઉપરાંત પોતાના કાર્યસ્થળે પટ્ટાવાળાની સેવાનો ઉપયોગ કરવાનો અસ્વિકાર કર્યો અને જાતે પોતાનું ડેસ્ક સાફ કર્યુ. કેજરીવાલ પોતાના બાળકોના જન્મદિવસ ઉજવતા નથી.

અરવિંદ કેજરીવાલ ની રાજકીય સમયરેખા

  • 2015 : તેમને 2015માં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત માટે આમ આદમી પાર્ટીનું નેતૃત્વ કર્યુ અને 14 ફેબ્રુઆરી 2015ના રોજ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
  • 2014 : તેમણે ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની વિરુદ્ધ વારાણસી મત વિસ્તારથી 16મી લોકસભા ચૂંટણી લડી અને લગભગ 370,000 મતોના અંતરથી તેઓ હારી ગયા.
  • 2013 : કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટીએ 2013ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પોતાની ચૂંટણીની શરૂઆત કરી. જ્યાં તેમણે 70 સીટોમાંથી 28 સીટો જીતી સૌથી મોટી પાર્ટી તરીકે ઉપસી આવી. સમગ્ર જનબહુમત ન મળતા આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે સમર્થન કરી અલ્પસંખ્યક સરકાર બનાવી. અરવિંદ કેજરીવાલે 28 ડિસેમ્બર, 2013ના રોજ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ફેબ્રુઆરી 2014માં કેજરીવાલે આ પદથી રાજીનામુ આપી દીધુ. આ સમયે આ પાર્ટી 49 દિવસ સુધી સત્તામાં રહી.
  • 2012 : અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની શરૂઆત કરી. આ એક ભારતીય રાજનૈતિક પાર્ટી છે, જેને ઔપચારિક રૂપે 26 નવેમ્બર 2012માં લોન્ચ કરવામાં આવી હતી. તે 2011 બાદ એક જન લોકપાલ બિલની માંગ કરી રહેલા લોકપ્રિય ઈન્ડિયા અગેન્સ કરપ્શન આંદોલનનું રાજનીતિકરણ કરવા કે ન કરવાના સંબંધમાં અરવિદં કેજરીવાલ અને અન્ના હજારે વચ્ચે મતભેદો બાદ અસ્તિત્વમાં આવી હતી. હજારે ઈચ્છતા હતા કે, આંદોલનને રાજનૈતિક રૂપથી દૂર રહેવું જોઈએ. જ્યારે કેજરીવાલને આંદોલનની વિફળતાને કારણે પ્રત્યક્ષ રાજનૈતિક ભાગીદારીની જરૂર હતી.

અગાઉનો ઇતિહાસ

  • 2012: તેમણે સ્વરાજ નામક એક પુસ્તક પ્રકાશિત કર્યુ, જેમાં ભ્રષ્ટાચાર અને ભારતીય લોકતંત્રની સ્થિતિ પર તેમના વિચારો વર્ણવ્યા છે.
  • 2006: તેમણે ટેક્સ વિભાગના જોઈન્ટ કમિશ્નર તરીકે પોતાની નોકરીથી રાજીનામું આપી દીધુ અને પુરસ્કાર રાશિની સાથે એક કોષ બનાવ્યો અને 'પબ્લિક કૉઝ રિસર્ચ ફાઉન્ડેશન' નામની એક એનજીઓની સ્થાપના કરી.
  • 1999: કેજરીવાલને વિજળી, ટેક્સ અને ખાદ્ય રાશન સાથે જોડાયેલા મામલામાં નાગરિકોની મદદ કરવાના ઉદેશ્યથી એક એનજીઓ પરિવર્તનની શરૂઆત કરી.
  • 1995: તેમણે 1993ની બેચની આઈઆરએસ અધિકારી સુનિતા સાતે લગ્ન કર્યા.
  • 1993: તેમણે સિવિલ સેવા પરીક્ષા પાસ કરી અને ભારતીય રાજસ્વ સેવામાં શામેલ થઈ ગયા.
  • 1989: અરવિંદ કેજરીવાલ 1989માં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી, ખાનપુરથી મિકેનિકલ ઈન્જીનિયરિંગમાં સ્નાતક થયા.

અરવિંદ કેજરીવાલ ની સિદ્ધિઓ

2004: અશોકા ફેલો સિવિક એન્ગેજમેન્ટ
2005: સરકારમાં પારદર્શીતા લાવવા માટેના આંદોલન બદલ આઈઆઈટી કાનપુર તરફથી સત્યેન્દ્ર કે. દૂબે મેમોરિયલ એવોર્ડ
2006ઃઈમરજન્ટ લીડરશીપ માટે રોમન મેક્સેસ અવોર્ડ
2006: પબ્લિક સર્વિસમાં સીએનએન-આઈબીએન તરફથી ઇન્ડિયન ઑફ ધ યર
2009: પ્રતષ્ઠિત લીડરશીપ માટે પ્રતિષ્ઠિત પૂર્વ વિદ્યાર્થી પુરસ્કાર, આઈઆઈટી ખડગપુર
2009: એસોસિએશન ફોર ઈન્ડિયાઝ ડેવલપમેન્ટ દ્વારા અનુદાન અને ફેલોશીપથી સન્માનિત કરવામાં આવ્યા.
2010: પૉલિસી ચેન્જ એજન્ટ ઓફ ધ યર અવોર્ડ, ઈકોનોમિક્સ ટાઈમ તરફથી

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+