Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અશોક ગહલોત

અશોક ગહલોત
અશોક ગહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી છે. તેઓ કોંગ્રેસના સક્રિય નેતાઓમાંના એક છે.
By Administrator | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

અશોક ગહલોત જીવનચરિત્ર

અશોક ગહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી છે. તેઓ કોંગ્રેસના સક્રિય નેતાઓમાંના એક છે. મુખ્યમંત્રી તરીકે ગહલોતની આ ત્રીજો કાર્યકાળ છે. આ પહેલા તેઓ 1998થી 2003 સુધી અને પછી 2008થી 2013 સુધી રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. વિદ્યાર્થી જીવનથી જ તેઓ મહાત્મા મંદિરથી ખૂબ પ્રેરિક રહ્યા અને તેથી જ તેઓ તમામ સામાજીક પ્રવૃતિઓમાં ભાગ લેતા રહ્યા. તેમણે વિજ્ઞાન અને કાયદામાં સ્નાતક પાસ કર્યુ છે અને આર્થશાસ્ત્રથી એમએ કર્યુ છે. સ્નાતકના અભ્યાસ દરમિયાન તેઓ કોંગ્રેસ પાર્ટીના વિદ્યાર્થી એકમ એનએસયુઆઈ સાથે જોડાયા અને આગળ ચાલી કોંગ્રેસ કાર્યકર્તા તરીકે પાર્ટીને પોતાની સેવાઓ આપી. તેઓ પાર્ટીના અનેક વરિષ્ઠ પદો માટે કામ કરી ચૂક્યા છે.

વધુ વાંચો

અશોક ગહલોત અંગત જીવન

આખું નામ અશોક ગહલોત
જન્મતારીખ 03 May 1951 (ઉમર 74)
જન્મસ્થળ મહામંદિર, જોધપુર, રાજસ્થાન
પાર્ટીનું નામ Indian National Congress
ભણતર Post Graduate
વ્યવસાય રાજનેતા
પિતાનું નામ બાબુ લક્ષ્મણ સિંહ ગહલોત
માતાનું નામ -
જીવનસાથીનું નામ સુનિતા ગહલોત
જીવનસાથીનો વ્યવસાય ગૃહિણી
સંતાન 1 પુત્ર 1 પુત્રી
ધર્મ હિન્દુ
વેબસાઈટ ashokgehlot.in

અશોક ગહલોત કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹11.69 CRORE
સંપત્તિ
₹11.69 CRORE
જવાબદારીઓ
N/A

અશોક ગહલોત વિશે રસપ્રદ તથ્યો

1971 માં, પૂર્વ બંગાળી શરણાર્થીઓની કટોકટી દરમિયાન, ગહલોતે શરણાર્થી કેમ્પમાં સેવા આપી હતી. શરણાર્થી કેમ્પની તેમની મુલાકાત દરમિયાન ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમની સાથે મુલાકાત કરી હતી અને તેમની સંગઠનાત્મક કુશળતાને ઓળખી હતી. તેમણે ગહલોતને એનએસયુઆઈ રાજસ્થાનના પ્રથમ રાજ્ય પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા.

અશોક ગહલોત ની રાજકીય સમયરેખા

  • 2017 : તેમને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી તરીકે નિમવામાં આવ્યા હતા.
  • 2008 - 2013 : ગહલોત ફરીથી સરદારપુરાથી ચૂંટણી લડ્યા અને વિધાનસભા ચૂંટણી જીતી લીધી. તે રાજસ્થાનના મુખ્ય પ્રધાન બન્યા. તેણે 13 ડિસેમ્બર, 2013 સુધી પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો.
  • 2004 - 2008 : ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી.
  • 2003 : ગહલોત રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી જીત્યા. પરંતુ ભાજપના વસુંધરા રાજેના કાર્યકાળ દરમિયાન તેઓ વિરોધ પક્ષના નેતા હતા.
  • 1998 - 2003 : 1 ડિસેમ્બર 1998 ના રોજ ગહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. તેઓ ચૂંટણી જીત્યા પછી સરદારપુરાથી વિધાનસભાની સભ્ય બન્યા હતા. 8 ડિસેમ્બર 2003 સુધી તેમણે મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.
  • 1998 : તેઓ 12 મી લોકસભામાં એમપી તરીકે ચૂંટાયા હતા. તેમણે ફરી ભાજપના જસવંત સિંહ બિશ્નોઈને હરાવ્યા. પરંતુ ડિસેમ્બર મહિનામાં તેમણે લોકસાભાથી રાજીનામું આપ્યું હતું.
  • 1997 - 1999 : રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ.
  • 1996 - 1998 : વિદેશી બાબતો અંગેની સલાહકાર સમિતિ (લોકસભા).
  • 1996 - 1998 : તેમણે જોધપુરથી ભાજપના જસવંત સિંહ સામે લોકસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. ગહલોતે 242176 મતથી તેમને હરાવ્યા.
  • 1994 - 1997 : તેમને ફરીથી રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા
  • 1991 - 1998 : રેલવે પર સ્થાયી સમિતિ (10 મી અને 11 મી લોકસભા)ના સભ્ય.
  • 1991 - 1996 : કમ્યુનિકેશન (લોકસભા) પરની સલાહકાર સમિતિના સભ્ય.
  • 1991 - 1993 : કેન્દ્રીય રાજ્ય પ્રધાન, ટેક્સટાઇલ્સ વિભાગ (સ્વતંત્ર ચાર્જ).
  • 1991 - 1996 : તેઓ જોધપુરથી 10 મી લોકસભામાં ચૂંટાયા હતા. તેમણે ભાજપના રામ નારાયણ બિશ્નોઈને હરાવ્યો.
  • 1989 - 1989 : રાજસ્થાન સરકારના ગૃહ વિભાગ અને પી.એચ.ડીના મંત્રી.
  • 1985 - 1989 : રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ.
  • 1984 - 1989 : ગહલોત જોધપુરથી 8 ઠ્ઠી લોકસભામાં ચૂંટાયા હતા. તેમણે ભાજપના બલવીર સિંહને હરાવ્યો.
  • 1984 - 1985 : કેન્દ્રિય રાજ્યમંત્રી પર્યટન અને નાગરિક ઉડ્ડયન વિભાગ.
  • 1984 - 1984 : કેન્દ્રિય ઉપમંત્રી રમત વિભાગ.
  • 1983 - 1984 : કેન્દ્રિય ઉપમંત્રી પ્રવાસન અને નાગરિક ઉડ્ડન વિભાગ.
  • 1982 - 1983 : કેન્દ્રિય ઉપમંત્રી પ્રવાસન વિભાગ.
  • 1982 : ગહલોત રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત થયા હતા.
  • 1980 - 1982 : લોક લેખા સમિતિ લોકસભાના અધ્યક્ષ.
  • 1980 - 1984 : તેઓ જોધપુર બેઠક પરથી લોકસભામાં સંસદના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે જેએનપીના બલબીર સિંહ કચ્છવાહને હરાવ્યા.
  • 1979 - 1982 : જોધપુર શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ.
  • 1974 - 1979 : અશોક ગેહલોટ NSUI માં જોડાયા અને તરત જ રાજસ્થાન વિંગના અધ્યક્ષ બન્યા.

અગાઉનો ઇતિહાસ

  • 1971: ભારતના પૂર્વ રાજ્યોમાં અશોક ગહલોતે શરણાર્થી કેમ્પ (પૂર્વ બંગાળી શરણાર્થી કટોકટી) માં સેવા આપી હતી.

અશોક ગહલોત ની સિદ્ધિઓ

અશોક ગહલોત ભારત સેવા સંસ્થાના સ્થાપક છે, જેનો હેતુ રાજીવ ગાંધી મેમોરિયલ બુક બેંકના માધ્યમથી એમ્બ્યુલન્સ સેવાઓ અને પુસ્તકો મફતમાં આપવાનો છે.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+