Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

એડપ્પાદી કે પલાનીસ્વામી

એડપ્પાદી કે પલાનીસ્વામી
એડપ્પાદી કે પલાનીસ્વામી તમિલનાડુના મુખ્યમંત્રી છે અને એઆઈએડીએમકેના પ્રમુખ પણ. પલાનીસ્વામીએ 1974માં અન્નાદ્રમુક સાથે રાજકારણમાં પોતાના રાજનૈતિક કેરિયરની શરૂઆત કરી.
By Rashmi | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

એડપ્પાદી કે પલાનીસ્વામી જીવનચરિત્ર

એડપ્પાદી કે પલાનીસ્વામી તમિલનાડુના મુખ્યમંત્રી છે અને એઆઈએડીએમકેના પ્રમુખ પણ. પલાનીસ્વામીએ 1974માં અન્નાદ્રમુક સાથે રાજકારણમાં પોતાના રાજનૈતિક કેરિયરની શરૂઆત કરી. 2017માં તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે તેમનો કાર્યભાળ સંભાળ્યા પહેલા તેમણે જયલલિતા અને ઓ.પન્નીરસેલ્વમને નેતૃત્વ વાળી તમિલનાડુ સરકારના મંત્રાલયોમાં રાજમાર્ગ અને લધુ બંદરગાહના મંત્રી તરીકે કામ કર્યુ. તેમણે 1989, 1991, 2011 અને 2016માં એડપ્પાદી મત વિસ્તારથી ચાર વખત વિધાનસભા ચૂંટણી લડી અને જીત મેળવી.

વધુ વાંચો

એડપ્પાદી કે પલાનીસ્વામી અંગત જીવન

આખું નામ એડપ્પાદી કે પલાનીસ્વામી
જન્મતારીખ 12 May 1954 (ઉમર 71)
જન્મસ્થળ સિલુવમપલાયમ, સલેમ
પાર્ટીનું નામ All India Anna Dravida Munnetra Kazhagam
ભણતર 12th Pass
વ્યવસાય ખેડૂત
પિતાનું નામ કરુપ્પા ગૌંડર
માતાનું નામ થાવાસી અમ્મલ
જીવનસાથીનું નામ પી. રાધા
જીવનસાથીનો વ્યવસાય ગૃહિણી
સંતાન 1 પુત્ર
ધર્મ હિન્દુ

એડપ્પાદી કે પલાનીસ્વામી કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹6.41 CRORE
સંપત્તિ
₹6.7 CRORE
જવાબદારીઓ
₹29.75 LAKHS

એડપ્પાદી કે પલાનીસ્વામી વિશે રસપ્રદ તથ્યો

રાજકારણમાં પ્રવેશતા પહેલા પલાનીસ્વામી ગોળના એક વેપારી હતા. તે સમયે તેમને ગુડ પલાનીસ્વામી તરીકે ઓળખતા હતા. 1989 ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન, એઆઈએનડીએમકે બે પક્ષોમાં વહેંચાઈ. તેઓ જયલલિતાના નેતૃત્વ હેઠળ કુકડાના ચિન્હ સાથે ચૂંટણી લડ્યા હતા.

એડપ્પાદી કે પલાનીસ્વામી ની રાજકીય સમયરેખા

  • 2017 : જયલલિતાના અવસાન બાદ, શશિકલાએ તત્કાલીન મુખ્યમંત્રી ઓ. પન્નીરસેલ્વમ પાસેથી સત્તા ઝુંટવવાના ઘણા પ્રયત્નો કર્યા. પરંતુ ઘણા આક્ષેપોને કારણે, તેમને જેલ મોકલવામાં આવી અને પન્નીરસેલ્વમે પોતાનું પદ છોડી દીધુ. છેવટે એઆઈએડીએમકે તમિળનાડુના મુખ્યમંત્રી તરીકે પલાનીસ્વામી ચૂંટાયા.
  • 2016 : તે ફરીથી ઈડપ્પાડી સીટથી જીત્યા. તેમણે પીએમકેના એક મજબૂત ઉમેદવાર અન્નાદુરાઈને 42022 મતથી હરાવ્યા..
  • 2011 : પલાનીસ્વામીએ લગભગ 20 વર્ષ પછી ઈડપ્પાડીથી જીતી મેળવી, તેમણે પીએમકેના કાર્તે.એમને હરાવ્યા.
  • 2006 : 10 વર્ષ બાદ ફરી તેમણે પોતાનું નસીબ અજમાવ્યુ. પરંતુ વિધાનસભાની ચૂંટણી જીતવામાં અસફળ રહ્યા. તેઓ કાવેરી.વી સામે હારી ગયા.
  • 2001 : આ વર્ષે તેઓ તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી લડ્યા નહીં.
  • 1998 : તેમણે તિરુચેન્ગોડે મતદારક્ષેત્રથી લોકસભાની બેઠક જીતી હતી. તેમણે ડો રામાલિંગમ કે.પી.ને 104,809 મતથી હરાવ્યા.
  • 1996 : 1996 ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેમણે ઈડપ્પાડી બેઠક ગુમાવી. મતદાનના 28.3% મત સાથે તેઓ ચૂંટણી પરિણામમાં ત્રીજા સ્થાને રહ્યા.
  • 1991 : તે જ મતવિસ્તારથી રાજ્ય વિધાનસભામાં ફરી ચૂંટાયા હતા. આ વખતે તેમણે પી.એમ.કે.ના પી. કોલંડાઈ ગૌંડરને હરાવ્યો.
  • 1989 : પલાનીસ્વામીએ પ્રથમ વખત ઈડપ્પાડી બેઠક પરથી રાજ્ય વિધાનસભાની ચૂંટણી જીતી. તેમણે ડીએમકેના પલાનીસામી. એલને માત્ર 1364 મતથી હરાવ્યો હતો.
  • 1980s : પલાનીસ્વામી રાજકારણમાં જોડાયા અને ટૂંક સમયમાં એઆઈએડીએમકેના સભ્ય બન્યા.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+