જયરામ રમેશ એક ભારતી અર્થશાસ્ત્રી છે તેમણે 1990માં વીપી સિંહની સરકામાં અને નિરસિમ્હા રાવ ના કાર્યકાળ દરમિયાન મનમોહન સિંહના નાણા મંત્રાલયમાં કામ કર્યુ છે. તેઓ 1996-98 વચ્ચે નાણા મંત્રી પલાનપ્પન ચિદમંબરમના સલાહકાર રહ્યા. તેઓ કર્ણાટક સરકારના ઉપાધ્યક્ષ, રાજ્ય યોજના બોર્ડ, આંધ્ર પ્રદેશના આર્થિક સલાહકાર પરિષદમાં કાર્યરત હતા. 2004માં તેઓ આંધ્ર પ્રદેશના આદિલાબાદ જિલ્લાની રાજ્યસભા માટે ચૂંટાયા હતા. ત્યારબાદ તેમને મનમોહન સિંહના કાર્યકાળમાં મંત્રીમંડળમાં શામેલ કરવામાં આવ્યા. તેમને 2010માં ફરીથી રાજ્યસભા માટે ચૂંટવામાં આવ્યા અને તેમને ગ્રામીણ વિકાસ મંત્રી અને પીવાના પાણી અને સ્વચ્છતા મંત્રી બનાવવામાં આવ્યા. પર્યાવરણ અને વનમંત્રી નિયુક્ત થયા બાદ તેમણે પ્રાણીઓના પ્રદર્શનમાં બળદના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો. જે બાદ 2016માં તમિલનાડુમાં જલ્લીકટ્ટુુ પર પ્રતિબંધ આવી ગયો. તેઓ 2015માં ત્રીજા કાર્યકાળ માટે રાજ્યસભામાં ચૂંટાયા.
| આખું નામ | જયરામ રમેશ |
| જન્મતારીખ | 09 Apr 1954 (ઉમર 72) |
| જન્મસ્થળ | ચિકમગલૂર (કર્ણાટક) |
| પાર્ટીનું નામ | Indian National Congress |
| ભણતર | NULL |
| વ્યવસાય | અર્થશાસ્ત્રી |
| પિતાનું નામ | સ્વ.શ્રી સી.કે રમેશ |
| માતાનું નામ | શ્રીમતિ શ્રીદેવી રમેશ |
| જીવનસાથીનું નામ | શ્રીમતિ કે.આર જયશ્રી |
| જીવનસાથીનો વ્યવસાય | ગૃહિણી |
| સંતાન | 2 પુત્ર |
| ધર્મ | હિન્દુ |
Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.