Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મેનકા સંજય ગાંધી

મેનકા સંજય ગાંધી
' ગાંધી પરિવારની વિદ્રોહી' તરીકે ગણાતી મેનકા ગાંધી દિગ્ગજ રાજનેતાઓમાંની એક છે. વાસ્તવમાં તેઓ રાજકારણમાં આવવા માંગતી ન્હોતી, પણ પરિસ્થિતિએ તેમને રાજકારણનો ભાગ બનવા મજબૂર કર્યો.
By Zainab Ashraf | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

મેનકા સંજય ગાંધી જીવનચરિત્ર

' ગાંધી પરિવારની વિદ્રોહી' તરીકે ગણાતી મેનકા ગાંધી દિગ્ગજ રાજનેતાઓમાંની એક છે. વાસ્તવમાં તેઓ રાજકારણમાં આવવા માંગતી ન્હોતી, પણ પરિસ્થિતિએ તેમને રાજકારણનો ભાગ બનવા મજબૂર કર્યો. 1982માં પોતાના પતિ સંજય ગાંધીના મૃત્યુ બાદ રાજકારણમાં પ્રતિદ્વન્દિઓ દ્વારા આયોજિત રેલીમાં ભાગ લેવા અને રાજીવ ગાંધી માટે તૈયાર કરેલી સત્તા હાંસલ કરવા માટેના
પ્રયત્નો કરવા માટે તેમને પોતાની સાસુ, ઈન્દિરા ગાંધી દ્વારા ઘરથી બહાર કાઢી મુકવામાં આવી હતી. આટલી મુશ્કેલીઓ છતાં તેઓ પોતાના માટે રસ્તો મોકળો કરવામાં સક્ષમ રહી. મેનકાએ પોતાના દિકરા ફિરોજ વરુણ ગાંધી સાથે ગાંધી પરિવારની વંશવાદી વિચારધારા છોડ્યા બાદ પાછળ વળીને જોયુ નથી. 1989માં તેઓ જનતા દળમાં શામેલ થઈ અને જનતા પાર્ટીના મહાસચિવ તરીકે
131,224 મતના અંતરે પીલીભીતથી સાંસદમાં પોતાની જીતનું અભિયાન ચલાવ્યુ, જેમાં 1989માં નવી ગઠબંધન સરકાર બનાવવામાં મદદ કરી અને દેશમાં ગાધીના શાસનકાળ પર રોક લગાવી. એક ઉદારવાદી આદર્શવાદી રાજનેતા મેનકા ગાંધી પીલીભીતમાં પોતાની પહેલી જીત બાદ છ લોકસભા ચૂંટણીમાં સફળતાપૂર્વક ચૂંટણી લડી. તેમણે 1998 અને 1999માં એક સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા બાદ જીત મેળવી. 2004માં તેમણે પોતાના દિકરા સાથે ભાજપ સાથે ગઠબંધન કર્યું. ત્યારથી તેઓ પીલીભીત મતવિસ્તાર પર મજબૂત પક્કડ જમાવી બેઠા છે અને સતત આ ક્ષેત્રે ચૂંટણી જીતી રહ્યા છે. તે પીલીભીતના સાંસદ છે અને મહિલા અને બાળ વિકાસ મંત્રી છે.

વધુ વાંચો

મેનકા સંજય ગાંધી અંગત જીવન

આખું નામ મેનકા સંજય ગાંધી
જન્મતારીખ 26 Aug 1956 (ઉમર 69)
જન્મસ્થળ નવી દિલ્હી
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર 12th Pass
વ્યવસાય લેખક
પિતાનું નામ સ્વ. લે. કર્નલ ટી.એસ. આનંદ
માતાનું નામ લેટ શ્રીમતિ અમિતશ્વર આનંદ
જીવનસાથીનું નામ સ્વ.શ્રી સંજય ગાંધી
સંતાન 1 પુત્ર
ધર્મ શીખ

મેનકા સંજય ગાંધી કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹54.5 CRORE
સંપત્તિ
₹55.69 CRORE
જવાબદારીઓ
₹1.19 CRORE

મેનકા સંજય ગાંધી વિશે રસપ્રદ તથ્યો

મેનકા ગાંધીએ 1984ની સામાન્ય ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની અમેઠી મત વિસ્તારથી રાજીવ ગાંધી વિરુધ્ધ ચૂંટણી લડી અને 3, 14, 878 મતના અંતરે હારી ગઈ. કુટુંબમાં જે પણ રહ્યુ હોય, પણ મેનકા ગાંધી પોતાની સાસુ ઈન્દિરા ગાંધી પ્રત્યે આદર ભાવના રાખે છે. જો કે તેઓ પોતાના પરિવાર દ્વારા
રાજીવ ગાંધી પ્રત્યે અત્યંત અવમાનનાનો ભાવ રાખતા તેમણે એક વખત કર્યુ હતુ કે, 'રાજીવ ગાંધીની પ્રતિબધ્ધતા હંંમેશા પૈસામાં રહી છે. તેઓ આ દેશને એક બજાર અથવા એક રમકડાની દુકાન તરીકે જોવે છે, જ્યાં સામાનને ઉઠાવી, તોડી, ખરીદી અને વહેંચી શકાય છે'. જ્યારે સંજય ગાંધીનું એક વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયુ, ત્યારે મેનકા માત્ર ત્રેવીસ વર્ષની હતી અને તેમનો દિકરો માત્ર 100 દિવસનો હતો.

મેનકા સંજય ગાંધી ની રાજકીય સમયરેખા

  • 2014 : 30,7052 મતથી વિજય થઈ પીલીભિત મતવિસ્તારમાં ફરી ચૂંટાઈ. તેણીને મહિલા અને બાળ વિકાસ વિભાગના કેન્દ્રીય કેબિનેટ પ્રધાન નિમવામાં આવ્યા.
  • 2009 : તેમને ભાજપ દ્વારા ઔંસલા મતદારક્ષેત્રથી ચૂંટણી લડવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું. જ્યાં તેમણે એસપીના ધર્મેન્દ્રકુમારને બિહારમાં હરાવ્યો. તેમના પુત્ર ફિરોઝ વરુણ ગાંધીએ પીલીભિત મતદારક્ષેત્ર જીત્યુ.
  • 2004 : તેણી બીજેપીમાં જોડાઈ અને પીલીભિત ચૂંટણીમાં સફળતાપૂર્વક લડત આપી. તેણીએ 10,2720 મતના માર્જિનથી જીત મેળવી.
  • 1999 : તેણીએ પીલીભિતમાં એક સ્વતંત્ર ઉમેદવાર તરીકે પોતાની બેઠક જાળવી રાખી હતી અને ફરીથી અની ખાનને પછાડ્યા.
  • 1998 : તેણીએ પીલીભિતમાં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી અભિયાન ચલાવ્યુ, અને કોંગ્રેસના અની ખાનને હરાવીને 288876 મતથી જીતી મેળવી.
  • 1996 : તેણીએ પીલીભિતથી સંસદીય ચૂંટણી લડી અને 28,3310 મતના માર્જિનથી પોતાના પ્રતિસ્પર્ધી પરશુરામને હરાવ્યો.
  • 1991 : તેઓ પિલિભિતથી ભાજપના પરશુરામ સામે સંસદીય ચૂંટણી હારી ગયા, જેણે 6923 મતથી જીત મેળવી.
  • 1989 : વન અને પર્યાવરણ વિભાગના કેન્દ્રિય રાજ્ય મંત્રી (સ્વતંત્ર ચાર્જ) તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી હતી.
  • 1989 : તેમણે પીલીભિતથી સફળ અભિયાન ચલાવ્યું, જનતા પક્ષના જનરલ સેક્રેટરી તરીકે 131,224 મત મત દ્વારા તેમણે સંસદમાં બેઠક મેળવી.
  • 1984 : મેનીકા ગાંધીએ 1984 ની લોકસભાની ચૂંટણીમાં અમેઠીથી ચૂંટણી લડી, પરંતુ રાજીવ ગાંધીએ તેમને 3,14,878 મતોથી હાર આપી હતી.

અગાઉનો ઇતિહાસ

  • 1976: તેણી સમાચાર સામયિક સૂર્યના સ્થાપક અને સંપાદક હતા.

મેનકા સંજય ગાંધી ની સિદ્ધિઓ

પર્યાવરણશાસ્ત્રી અને પ્રાણી અધિકારના નેતા તરીકે તેમણે પ્રાણીના અધિકારો પરની તેમની હિમાયત બદલ આંતરરાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે
1995 માં પ્રાણીઓ પર પ્રયોગો (CPCSEA)ના નિયંત્રણ અને દેખરેખના હેતુ માટેની સમિતિના અધ્યક્ષ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+