રામ વિલાસ પાસવાનનો જન્મ શ્રી જામૂન પાસવાન અને શ્રીમતિ સીયા પાસવાનને ત્યાં થયો હતો. જેઓ બિહાર ખગડિયા જિલ્લાના શહરબન્ની ગામમાં રહેનાર દલિત કુટુંબ હતુ. પાસવાને કોસી કૉલેજ, પિલ્ખી અને પટના વિશ્વવિદ્યાલયથી કાયદામાં સ્નાતક કર્યુ અને માસ્ટર ઓફ આર્ટસની ડિગ્રી મેળવી. તેમણે 1960ના દશકમાં રાજકુમારી દેવી સાથે લગ્ન કર્યા. 2014માં તેમણે ખુલાયો કર્યો કે તેમણે 1981માં લોકસભામાં નામાંકન પત્રને ચેલેન્જ આપ્યા બાદ તેમને છુટાછેડા આપી દીધા. તેમની પહેલી પત્નીથી બે દિકરીઓ, ઉષા અને આશા છે. 1983માં તેમણે રીના શર્મા સાથે લગ્ન કર્યા કે જે એક એયરહોસ્ટેસ અને અમૃતસરની પંજાબી હિંદુ કુટુંબની છે. તેમને એક દિકરો અને એક દિકરી છે. તેમનો દિકરો ચિરાગ પાસવાન નેતા પહેલા અભિનેતા રહી ચૂક્યો છે.
પાસવાન બિહારથી અને ઉપભોક્તા મામલા, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મામલાના વર્તમાન કેબિનેટ મંત્રી છે. તેમણે પોતાનું રાજનૈતિક જીવન સમયુક્તા સોશ્યાલિસ્ટ પાર્ટીના સભ્ય તરીકે શરૂ કર્યુ અને 1969માં બિહાર વિધાનસભા માટે ચૂંટાયા. ત્યાર બાદ તેમણે 1974માં લોક દળની રચના કર્યા બાદ તેમાં શામેલ થયા અને તેના મહાસચિવ બન્યા. તેમણે ઈમરજન્સીનો વિરોધ કર્યો અને તે માટે આ સમયે તેમની ધરપકડ પણ કરવામાં આવી. તેમણે 1977માં હાજીપુર ચૂંટણી વિસ્તારથી ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે લોકસભામાં પ્રવેશ કર્યો, તેઓ1980, 1989, 1996, 1998, 1999, 2004 અને 2014માં ફરીથી ચૂંટાયા.
તેઓ લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ પણ છે. તેમને આઠ વખત લોકસભા સભ્ય અને પૂર્વ રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટવામાં આવ્યા છે. 2000માં તેમણે તેના અધ્યક્ષ તરીકે લોક જનશક્તિ પાર્ટી(એલજેપી)ની રચના કરી. ત્યાર બાદ 2004માં તેઓ સત્તારૂઢ સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન સરકારમાં શામેલ થઈ ગયા અને રસાયણ અને ખાતર મંત્રાલય અને સ્ટીલ વિભાગના કેબિનેટ મંત્રી રહ્યા. તેઓ 2004ની લોકસભા ચૂંટણી જીત્યા પણ 2009માં તેઓ ચૂંટણી હારી ગયા. 2010થી 2014 સુધી રાજ્યસભા સભ્ય તરીકે ચૂંટાયા બાદ તેઓ 2014ના ભારતીય સામાન્ય ચૂંટણીમાં હાજીપુર મતવિસ્તારથી 16મી લોકસભાની ચૂંટણીમાં ફરી ચૂંટાયા.
પાસવાન1969માં એક આરક્ષિત મત વિસ્તાર ક્ષેત્રથી સંયુક્ત સોશલિસ્ટ પાર્ટી(યુનાઈટેડ સોશલિસ્ટ પાર્ટી)ના સભ્ય તરીકે બિહાર રાજ્ય વિધાનસભા માટે ચૂંટાયા. 1974માં રાજ નારાયણ અને જયપ્રકાશ નારાયણના પ્રબળ અનુયાયીના રૂપે પાસવાન લોકદળમાં મહાસચિવ બન્યા. તે વ્યકિતગત રીતે રાજ નારાયણ, કર્પૂરી ઠાકુર અને સત્યેન્દ્ર નારાયણ સિન્હા જેવા ઈમરજન્સીના પ્રમુખ નેતાઓની નજીક રહ્યા છે. તેઓ મોરારજીભાઈ દેસાઈથી અલગ થઈ ગયા અને જનતા પાર્ટી-એસમાં લોકબંધુ રાજ નારાયણના નેતૃત્વમાં પાર્ટીના અધ્યક્ષ અને પછી તેના ચેયરમૈન તરીકે જોડાયા. 1975માં જ્યારે ભારતમાં ઈમરજન્સીની ઘોષણા થઈ ગઈ ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી અને તેમણે આખો સમય જેલમાં વિતાવ્યો. 1977માં જેલથી છૂટ્યા બાદ તેઓ જનતા પાર્ટીના સભ્ય બની ગયા અને પહેલી વાર તેની ટીકિટ પર સંસદ માટે ચૂંટણી જીતી ગયા અને તેમણે સૌથી વધુ અંતરથી ચૂંટણી જીતવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. તેઓ 1980 અને 1984માં હાજીપુર મત વિસ્તારથી 7મી લોકસભા માટે ફરીથી ચૂંટાયા. 1983માં તેમણે દલિત મુક્તિ અને કલ્યાણ માટે એક સંગઠન દલિત સેનાની સ્થાપના કરી.
પાસવાન 1989માં 9મી લોકસભા માટે ફરીથી ચૂંટાયા અને તેમને વિશ્વનાથ પ્રતાપ સિંહ સરકારમાં કેન્દ્રિય શ્રમ અને કલ્યાણ મંત્રી તરીકે નિયુક્ત કરાયા. 1996માં તેમણે લોકસભામાં સત્તારૂઢ ગઢબંધનનું પણ નેતૃત્વ કર્યુ, કારણ કે પ્રધાનમંત્રી રાજ્યસભાના સભ્ય હતા. આ વર્ષ એ વર્ષ પણ હતુ જ્યારે તેઓ પહેલી વાર કેન્દ્રિય રેલ્વે મંત્રી બન્યા. તેમણે 1998 સુધી તેનો પદભાર સંભાળ્યો. ત્યારબાદ તેઓ ઓક્ટોબર 1999થી સપ્ટેમ્બર 2001 સુધી કેન્દ્રિય સંચાર મંત્રી રહ્યા, જ્યારે તેમને કોલસા મંત્રાલયમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા અને તેઓ આ પદે એપ્રિલ 2002 સુધી જળવાઈ રહ્યા.
2000માં લોક જનશક્તિ પાર્ટી(એલજેપી) બનાવવા માટે પાસવાન જનતા દળથી અલગ થઈ ગયા. 2004માં લોકસભા ચૂંટણી બાદ પાસવાન સંયુક્ત પ્રગતિશીલ સંગઠન સરકારમાં શામેલ થઈ ગયા અને તેમને રસાયણ અને ખાતર મંત્રાલય અને સ્ટીલ મંત્રાલયમમાં કેન્દ્રિય મંત્રી બનાવવામાં આવ્યા. ફેબ્રુઆરી 2005ના બિહાર રાજ્યમાં પાસવાનની પાર્ટી એલજેપીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે મળી ચૂંટણી લડી. પરિણામ એ આવ્યુ કે, કોઈ પણ વિશેષ દળ કે ગઠબંધન જાતે સરકાર બનાવી શક્યુ નહિં. જો કે પાસવાને લાલુ યાદવનું સમર્થન કરવાનો સતત ઈનકાર કર્યો. જેથી તેમના પર ભ્રષ્ટચારી અને દક્ષિણપંથી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનનો આરોગ લાગ્યો. તેનાથી ગતિરોધ પેદા થયો, આ ગતિરોધ ત્યારે તૂટ્યો જ્યારે નિતીશ કુમાર પાસવાનની પાર્ટીના 12 સભ્યોને દોષમુક્ત કરવામાં સફળ રહ્યા. બિહારના રાજ્યપાળ બૂટા સિંહ દ્વારા સમર્થિત લોજપાના સમર્થકોની સરકારની રચના થતી રોકવા માટે રાજ્ય વિધાનમંડળનો ભંગ કરવામાં આવ્યો અને બિહારના રાષ્ટ્રપતિ શાસન હેઠળ નવી રીતે ચૂંટણી કરાવવાનું આહવાન કરવામાં આવ્યુ. નવેમ્બર 20015ના બિહાર રાજ્ય ચૂંટણીમાં પાસવાનનું ત્રીજુ ગઠબંધન સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયુ. લાલુ યાદવ-કોંગ્રેસ ગઠબંધન અલ્પમતમાં આવી ગયુ અને એનડીએ એ નવી સરકાર બનાવી.
2009માં સામાન્ય ચૂંટણી દરમિયાન પાસવાને લાલૂ યાદવ(કેન્દ્ર) અને અમર સિંહ (લેફ્ટ) સાથે મુંબઈમાં પાર્ટીની રેલી કરી. પાસવાને ઘોષણા કરી કે બિહાર રાજ્યની ચૂંટણી પર કેન્દ્ર સરકારનો કોઈ
પ્રભાવ નહિં રહે અને તેઓ અને લાલુ યાદવ બંને મંત્રીઓ તરીકે ચાલુ રહેશે. પાસવાને પાંચ અલગ-અલગ પ્રધાનમંત્રીઓ હેઠળ એક કેન્દ્રિય મંત્રી તરીકે કામ કર્યુ છે અને 1996માં (2015 અનુસાર)ગઠિત તમામ મંત્રીપરિષદમાં એક કેબિનેટ બર્થ પર સતત પક્કડ જાળવી રાખવાનું ગૌરવ મેળવ્યુ છે. તેઓ તમામ રાષ્ટ્રીય ગઠબંધન(સંયુક્ત મોર્ચા, રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન અને સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન)નો ભાગ હોવા પર ગૌરવ અનુભવે છે. જેણે 1996થી 2015 સુધી ભારત સરકારની રચના કરી છે.
ભારતીય સામાન્ય ચૂંટણી 2009 માટે પાસવાને લાલુ યાદવ અને રાષ્ટ્રિય જનતા દળ સાથે ગઠબંધન કર્યુ, જ્યારે પોતાના પૂર્વ ગઠબંધન સહયોગી અને સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધનના નેતાઓએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છોડી દીધું. આ જોડી પછી મુલાયમ સિંહની સમાજવાદી પાર્ટીમાં શામેલ થઈ ગઈ. 33 વર્ષોમાં પહેલી વાર તેઓ હાજીપુરથી જનતા દળના રામ સુંદર દાસથી ચૂંટણીમાં હારી ગયા, કે જેઓ બિહારના પૂર્વ મુખ્યમંત્રી હતા. તેમની પાર્ટી લોક જનશક્તિ પાર્ટી 15મી લોકસભામાં કોઈપણ સીટ જીતવામાં સફળ રહી નહિં, સાથે જ તેમના ગઠબંધનના સાથી અને તેમની પાર્ટી પણ સારુ પ્રદર્શન કરી શક્યા નહિં અને 4 સીટો સુધી સિમિત રહ્યા.
2014ની ભારતીય સામાન્ય ચૂંટણી બાદ તેઓ હાજીપુર મત વિસ્તારથી 16મી લોકસભાના સભ્ય તરીકે ફરીથી ચૂંટાયા હતા. જ્યારે તેમના દિકરા ચિરાગ પાસવાને જમુઈ મત વિસ્તારથી બિહારમાં પણ જીત મેળવી હતી.
| આખું નામ | રામવિલાસ પાસવાન |
| જન્મતારીખ | 05 Jul 1946 |
| મૃત્યુની તારીખ | 08 Oct 2020 (ઉમર 74) |
| જન્મસ્થળ | શહર બન્ની, જિલ્લો-ખગડિયા (બિહાર) |
| પાર્ટીનું નામ | Ljnsp |
| ભણતર | Post Graduate |
| વ્યવસાય | સામાજીક કાર્યકર્તા |
| પિતાનું નામ | સ્વગત.શ્રી જામુન પાસવાન |
| માતાનું નામ | સ્વગત. શ્રીમતિ સિયા દેવી |
| જીવનસાથીનું નામ | શ્રીમતિ રીના પાસવાન |
| જીવનસાથીનો વ્યવસાય | સામાજીક કાર્યકર્તા |
| સંતાન | 1 પુત્ર 3 પુત્રી |
| વેબસાઈટ | ljp.co.in |
Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.