શ્રીમતિ કિરણ ખેરે એક નાયકીય કલાકાર તરીકે પોતાના કેરિયરની શરૂઆત કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો. તેમનો જન્મ 14 જૂન 1955માં જાટ શીખ પરિવારમાં થયો અને ચંદીગઢમાં તેઓ મોટા થયા. કિરણે ચંદીગઢમાં પોતાનો સ્કુલ અભ્યાસ કર્યો અને પછી પંજાબ વિશ્વ વિદ્યાલય, ચંદીગઢના ભારતીય રંગમંચ વિભાગથી સ્નાતકની ઉપાધિ લીધી. તેમણે ગૌતમ બેરી સાથે લગ્ન કર્યા જે એક વેપારી છે અને તેનાથી તેમનો એક દિકરો છે. પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. 1985માં કિરણને પોતાનો સાચો પ્રેમ અનુપમ ખેરમાં મળ્યો અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. કિરણ ખેરે 1983માં પંજાબી ફિચર ફિલ્મ 'અસર પ્યાર દા' થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી. કિરણ ઉપરાંત અન્ય ત્રણ ભાઈ-બહેન છે. તેમના ભાઈ કલાકાર અમરદીપ સિંહનું મુત્યુ 2003માં થયુ. તેમની બંને બહેનોમાંની એક અર્જુન પુરસ્કાર વિજેતા છે, જે બેડમિન્ટનની ખેલાડી કંવલ ઠાકર કૌર છે. તેમની બીજી બહેન સરનજીત કૌર સિંધુ ભારતીય નૌકાદળના એક સેવાનિવૃત વરિષ્ઠ અધિકારીની પત્ની છે.
Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.