મોદીના મંત્રીમંડળમાંથી વજુભાઇ-નરોત્તમભાઇને પડતા મુકાયા

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે નરેન્દ્ર મોદી અને તેમના 16 મંત્રીઓએ સપથ લીધા હતા. જોકે મોદીના મંત્રી મંડળમાં સિનિયર નેતા વજુભાઇ વાળા અને નરોત્તમ પટેલના નામનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જેમા એવી અટકળો સેવાઇ રહી છે કે જો નરેન્દ્ર મોદી ભવિષ્યમાં કેન્દ્રમાં જાય તો તેમના બાદ તેમને ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ બનાવી દેવામાં આવે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધી સૌધી વધુ વખત નાણાપ્રધાન રહેવાનો વિક્રમ વજુભાઇ વાળાના નામે છે.
આ ઉપરાંત નારણપુરા વિસ્તારમાંથી ઝંઘી બહુમતીથી ચૂંટાઇને આવેલા પૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહને પણ મંત્રીમંડળમાં સ્થાન અપાયું નથી. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહે પોતે નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી કે તેઓને મંત્રીમંડળમાં સમાવવામાં આવે નહી, કારણ કે હાલમાં સોરાબુદ્દીન એનકાઉન્ટરમાં ફસાયેલા છે. જોકે એવી પણ અટકળો ઉઠી છે કે અમિતશાહને રાષ્ટ્રીય કક્ષાએ સંગઠનમાંથી જવાબદારી સોપવામાં આવે.
રાજ્યપાલ કમલા બેનિવાલે નરેન્દ્ર મોદીએ સવારે 11.50 કલાકે મુખ્યમંત્રી તરીકે ચોથીવાર શપત લેવડાવ્યા હતા. ત્યારબાદ રાજ્યપાલે રાજ્યકક્ષાના મંત્રીઓ અને કેબિનેટ કક્ષાના મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા, જે આ મુજબ છે.
રાજ્યકક્ષાના 9 મંત્રીઓ:
પુરસોત્તમ ઓધવજીભાઇ સોલંકી
પરબતભાઇ સવાભાઇ પટેલ
વસુબેન નરેન્દ્રભાઇ ત્રિવેદી
પ્રદીપસિંહ ભગવતસિંહ જાડેજા
લીલાધરભાઇ ખોડાજી વાઘેલા
રજનીકાંત સોમાભાઇ પટેલ
ગોવિંદભાઇ પટેલ
નાનુભાઇ ભગવાનભાઇ વાનાણી
જયંતિભાઇ રામજીભાઇ કવાડિયા
મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના 7 મંત્રીઓ:
નીતિન પટેલ
આનંદીબહેન મફતલાલ પટેલ
રમણલાલ વોરા
ભૂપેન્દ્રસિંહ મનુભાઇ ચૂડાસમા
સૌરભ પટેલ
ગણપતભાઇ વસ્તાભાઇ વસાવા
બાબુભાઇ ભીમાભાઇ બોખિરિયા
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
