India Covid Update : દેશમાં છેલ્લા 24 કલાકમાં 90028 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 325 દર્દીના મોત
ભારતમાં કોરોના વાયરસના આંકડા ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ 19ના 90,928 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે બુધવારના રોજ નોંધાયેલા 58,097 કેસ કરતાં 55 ટકા વધુ છે.
India Covid Update : ભારતમાં કોરોના વાયરસના આંકડા ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ 19ના 90,928 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે બુધવારના રોજ નોંધાયેલા 58,097 કેસ કરતાં 55 ટકા વધુ છે. ગુરુવારના રોજ આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 90,928 કેસ નોંધાયા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 325 કોવિડ 19 પોઝિટિવ દર્દીઓના મોત થયા છે. આ સમય દરમિયાન દેશમાં માત્ર 19,206 કોરોના દર્દીઓ રિકવર થયા છે. દેશમાં કોવિડ 19ના એક્ટિવ કેસની સંખ્યા ત્રણ લાખને વટાવી ગઈ છે. હાલ કુલ એક્ટિવ કેસની કુલ સંખ્યા 2,85,401 છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 4 લાખ 82 હજાર 876 લોકોના મોત થયા છે.
દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 6.43 ટકા થયો
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 3,43,41,009 છે. કોરોના કેસની કુલ સંખ્યા 3,51,09,286 છે. આ સાથે દૈનિક પોઝિવિટી રેટ વધીને6.43 ટકા થઈ ગયો છે.
સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 3.47 ટકા છે. દેશમાં રસીકરણની સંખ્યા 148.67 કરોડ છે. દેશમાં અત્યાર સુધીમાં 1,48,67,80,227 રસીના ડોઝઆપવામાં આવ્યા છે. 3 જાન્યુઆરી, 2022થી દેશમાં બાળકોને પણ આ રસી આપવામાં આવી રહી છે.
ભારતમાં ઓમિક્રોનના કુલ કેસ 2,630
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા વધીને 2,630 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધુ ઓમિક્રોન કેસ છે.
ઓમિક્રોનપાસે મહારાષ્ટ્રમાં 797 અને દિલ્હીમાં 465 છે. ઓમિકોનના 2,630 દર્દીઓમાંથી 995 દર્દીઓ સાજા થયા છે.
દેશમાં કોરોના રિકવરી રેટ 97.81 ટકા
ભારતમાં હાલમાં કોરોના રિકવરી રેટ 97.81 ટકા છે. છેલ્લા 24 કલાકમાં ઓછામાં ઓછા 19,206 લોકો સાજા થયા છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)એ બુધવારના રોજ (જાન્યુઆરી 05) ભારતમાં કોરોનાવાયરસ માટે 14,13,030 સેમ્પલ ટેસ્ટ હાથ ધર્યા છે. આવા સમયે અત્યાર સુધીમાં 68,53,05,751 નમૂના પરીક્ષણકરવામાં આવ્યા છે.